જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે શુું કરી છે વરસાદને લઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-21 16:20:10

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે પરંતુ અતિભારે વરસાદને કારણે પાકને નુકસાન પણ પહોંચી શકે છે. ખેડૂતોમાં વરસાદ આવવાની ખુશી છે તો અગોતરા વરસાદને કારણે તેમના પાકને નુકસાન પણ પહોંચ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 

વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી 

અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી તે અરબસાગરમાં આવશે અને તે ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમમાં પણ પરિવર્તિતિ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ભયંકર વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે. 



મનોરમા મોહંતીએ આપી આ જાણકારી   

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં  આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. પાંચમા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છઠ્ઠા-સાતમા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. 




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.