જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે શુું કરી છે વરસાદને લઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-21 16:20:10

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે પરંતુ અતિભારે વરસાદને કારણે પાકને નુકસાન પણ પહોંચી શકે છે. ખેડૂતોમાં વરસાદ આવવાની ખુશી છે તો અગોતરા વરસાદને કારણે તેમના પાકને નુકસાન પણ પહોંચ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 

વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી 

અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી તે અરબસાગરમાં આવશે અને તે ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમમાં પણ પરિવર્તિતિ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ભયંકર વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે. 



મનોરમા મોહંતીએ આપી આ જાણકારી   

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં  આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. પાંચમા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છઠ્ઠા-સાતમા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.