જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે શુું કરી છે વરસાદને લઈ આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-21 16:20:10

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે પરંતુ અતિભારે વરસાદને કારણે પાકને નુકસાન પણ પહોંચી શકે છે. ખેડૂતોમાં વરસાદ આવવાની ખુશી છે તો અગોતરા વરસાદને કારણે તેમના પાકને નુકસાન પણ પહોંચ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 

વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી 

અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી તે અરબસાગરમાં આવશે અને તે ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમમાં પણ પરિવર્તિતિ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ભયંકર વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે. 



મનોરમા મોહંતીએ આપી આ જાણકારી   

વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં  આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહન્તીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. પાંચમા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છઠ્ઠા-સાતમા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.