જાણો મૂકેશ અગ્નિહોત્રીની પત્રકારથી હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનવા સુધીની સફર


  • Published By :
  • Published Date : 2022-12-11 18:40:32

મૂકેશ અગ્નિહોત્રી હિમાચલ પ્રદેશની રાજનીતિમાં પહેલા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. મૂકેશ તેમના પિતા ઓમકારનાથની રાજનીતિનો વારસો સંભાળી રહ્યા છે. મૂકેશ અગ્નિહોત્રીના પિતા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. પિતાની હાર બાદ મૂકેશ સંતોષગઢથી મેદાને ઉતર્યા હતા. મૂકેશ અગ્નિહોત્રી હિમાચલ પ્રદેશ-પંજાબ સીમા પરના ઉના જિલ્લાના હરોલી તાલુકાના ગોંદપુર જયચંદમાં રહે છે. 


કોણ છે મૂકેશ અગ્નિહોત્રી અને શું છે તેમનો રાજકીય ઈતિહાસ?


મૂકેશ અગ્નિહોત્રીનો જન્મ પંજાબના સંગરુરમાં 9 ઓક્ટોબર 1962ના રોજ થયો હતો.  મૂકેશ અગ્નિહોત્રીએ ગણિત વિષય સાથે એમએસસીની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ પબ્લિક રિલેશન વિષયમાં પોસ્ટ ગ્રેજન્યુએશન ડિપ્લોમા કરીને પત્રકાર બની ગયા હતા. દિલ્લીમાં પત્રકારિતા દરમિયાને કોંગ્રેસ સાથે તેમનો સંપર્ક વધ્યો હતો. પત્રકાર તરીકે કામગીરીમાં હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્રસિંહના સંબંધીઓ સાથે સંપર્ક વધ્યો હતો ત્યારથી તેઓ પત્રકારત્વથી રાજનીતિમાં પ્રવેશ્યા હતા. વર્ષ 1998માં મૂકેશ અગ્નિહોત્રીના પિતાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમના પિતા હારી ગયા હતા. ત્યાર બાદ 2003ની ચૂંટણીમાં કોંગ્રેસે ઓમકારનાથની જગ્યાએ  તેમના પુત્ર મૂકેશ અગ્નિહોત્રીને ટિકિટ આપી હતી. તેઓ ચૂંટણી જીત્યા અને વીરભદ્રની સરકારમાં સીપીએસ પણ રહ્યા હતા. વર્ષ 2007માં તેઓ સંતોષગઢથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વર્ષ 2012માં મૂકેશ અગ્નિહોત્રી વીરભદ્ર સરકારમાં ઉદ્યોગમંત્રી પણ રહ્યા છે. 


મૂકેશના નાયબ મુખ્યમંત્રી બનવાથી તેમના કોંગ્રેસી સાથીઓ કેમ ખુશ નથી?


હરોલી વિધાનસભાથી પાંચમીવાર ધારાસભ્ય બનેલા મૂકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી બનતા હરોલીવાસીઓમાં કોઈ ખાસ ઉત્સાહ નજરે નહોતો આવ્યો. મૂકેશના સમર્થકો મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા હતા પણ મૂકેશને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. પાંચ વર્ષ વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી તેમણે નિભાવી છે. મૂકેશને મુખ્યમંત્રીની જગ્યાએ ઉપમુખ્યમંત્રી બનાવાતા તેમના સમર્થકો નારાજ થઈ ગયા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.