જાણો મૂકેશ અગ્નિહોત્રીની પત્રકારથી હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનવા સુધીની સફર


  • Published By :
  • Published Date : 2022-12-11 18:40:32

મૂકેશ અગ્નિહોત્રી હિમાચલ પ્રદેશની રાજનીતિમાં પહેલા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. મૂકેશ તેમના પિતા ઓમકારનાથની રાજનીતિનો વારસો સંભાળી રહ્યા છે. મૂકેશ અગ્નિહોત્રીના પિતા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. પિતાની હાર બાદ મૂકેશ સંતોષગઢથી મેદાને ઉતર્યા હતા. મૂકેશ અગ્નિહોત્રી હિમાચલ પ્રદેશ-પંજાબ સીમા પરના ઉના જિલ્લાના હરોલી તાલુકાના ગોંદપુર જયચંદમાં રહે છે. 


કોણ છે મૂકેશ અગ્નિહોત્રી અને શું છે તેમનો રાજકીય ઈતિહાસ?


મૂકેશ અગ્નિહોત્રીનો જન્મ પંજાબના સંગરુરમાં 9 ઓક્ટોબર 1962ના રોજ થયો હતો.  મૂકેશ અગ્નિહોત્રીએ ગણિત વિષય સાથે એમએસસીની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ પબ્લિક રિલેશન વિષયમાં પોસ્ટ ગ્રેજન્યુએશન ડિપ્લોમા કરીને પત્રકાર બની ગયા હતા. દિલ્લીમાં પત્રકારિતા દરમિયાને કોંગ્રેસ સાથે તેમનો સંપર્ક વધ્યો હતો. પત્રકાર તરીકે કામગીરીમાં હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્રસિંહના સંબંધીઓ સાથે સંપર્ક વધ્યો હતો ત્યારથી તેઓ પત્રકારત્વથી રાજનીતિમાં પ્રવેશ્યા હતા. વર્ષ 1998માં મૂકેશ અગ્નિહોત્રીના પિતાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમના પિતા હારી ગયા હતા. ત્યાર બાદ 2003ની ચૂંટણીમાં કોંગ્રેસે ઓમકારનાથની જગ્યાએ  તેમના પુત્ર મૂકેશ અગ્નિહોત્રીને ટિકિટ આપી હતી. તેઓ ચૂંટણી જીત્યા અને વીરભદ્રની સરકારમાં સીપીએસ પણ રહ્યા હતા. વર્ષ 2007માં તેઓ સંતોષગઢથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વર્ષ 2012માં મૂકેશ અગ્નિહોત્રી વીરભદ્ર સરકારમાં ઉદ્યોગમંત્રી પણ રહ્યા છે. 


મૂકેશના નાયબ મુખ્યમંત્રી બનવાથી તેમના કોંગ્રેસી સાથીઓ કેમ ખુશ નથી?


હરોલી વિધાનસભાથી પાંચમીવાર ધારાસભ્ય બનેલા મૂકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી બનતા હરોલીવાસીઓમાં કોઈ ખાસ ઉત્સાહ નજરે નહોતો આવ્યો. મૂકેશના સમર્થકો મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા હતા પણ મૂકેશને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. પાંચ વર્ષ વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી તેમણે નિભાવી છે. મૂકેશને મુખ્યમંત્રીની જગ્યાએ ઉપમુખ્યમંત્રી બનાવાતા તેમના સમર્થકો નારાજ થઈ ગયા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે