જાણો દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપ જેને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2022-12-16 12:49:42

દેવી લક્ષ્મીને ધન તેમજ ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે આજે જાણીએ અષ્ટલક્ષ્મી વિશે. અષ્ઠલક્ષ્મી એટલે મહાલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજ લક્ષ્મી, વીર લક્ષ્મી, વિજય લક્ષ્મી છે. 

રોજ કરો લક્ષ્મી દ્વાદશનામ મંત્રના જાપ, કાયમ બની રહેશે લક્ષ્મીની કૃપા  દ્રષ્ટિ | Shri Lakshmi Dwadasha Naam Stotram: 12 Names of Goddess Lakshmi -  Divya Bhaskar

 

દેવી મહાલક્ષ્મીને આદિ લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી લક્ષ્મીનું આ પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભૃગુઋષિના પુત્રી છે અને ભગવાન નારાયણના પત્ની છે. માતાજીનું બીજા સ્વરૂપ ઐશ્વર્ય લક્ષ્મી છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકની સમાજમાં પ્રતિષ્ઠતા વધે છે. સમાજમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ધન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી સાધકના ઘરમાં ધનનો વાસ હમેશા રહે છે.

Ashta Lakshmi - Wikipedia

માતાજીના ચોથા સ્વરૂપની વાત કરીએ તો સંતાન લક્ષ્મી સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ માટે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દેવીની પૂજા કરવાથી વંશ આગળ વધે છે. માતાજીના પાંચમા સ્વરૂપની વાત કરીએ તો ધાન્યલક્ષ્મી છે. દેવીના સ્વરૂપની પૂજા કરવાથી ઘર હમેશાં ધન અને ધાન્યથી ભરેલું રહે છે. દેવી લક્ષ્મી ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે. ગજ લક્ષ્મી પણ અષ્ઠલક્ષ્મી માંથી એક છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજસત્તા તેમજ તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે. વીર લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી માતા સાધકને અકાળ  મૃત્યુથી બચાવે છે. વિજયલક્ષ્મી સ્વરૂપની સાધના કરવાથી શત્રુઓ પર વિજયી મળે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.