જાણો કયા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર ? ક્યાં જૂની પેન્શન યોજના પાછી આવવાની શક્યતા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:27:01

ગુજરાતમાં Opsની લડાઈની વચ્ચે…પંજાબ સરકારે તેના પર મોટી  જાહેરાત કરી છે જ્યારે ઝારખંડ અને છત્તીસગઢ જેવી ઘણી રાજ્ય સરકારોએ જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે, ત્યારે હજારો સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ગુજરાતમાં ફરીથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


હવે, પંજાબના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે, આમ આદમી પાર્ટી (AAP) સરકારે જાહેરાત કરી છે કે તે રાજ્યમાં OPSને પુનઃસ્થાપિત કરવાનું વિચારી રહી છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું કે AAP સરકાર OPS પર પાછા ફરવા માટે સંભવિતતા અભ્યાસ હાથ ધરશે.

"મારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફરવાનું વિચારી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની સંભવિતતા અને પદ્ધતિઓનો અભ્યાસ કરવા કહ્યું છે. અમે અમારા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ," સીએમ માનએ કહ્યું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે