જાણો કયા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર ? ક્યાં જૂની પેન્શન યોજના પાછી આવવાની શક્યતા છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 13:27:01

ગુજરાતમાં Opsની લડાઈની વચ્ચે…પંજાબ સરકારે તેના પર મોટી  જાહેરાત કરી છે જ્યારે ઝારખંડ અને છત્તીસગઢ જેવી ઘણી રાજ્ય સરકારોએ જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે, ત્યારે હજારો સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ગુજરાતમાં ફરીથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


હવે, પંજાબના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે, આમ આદમી પાર્ટી (AAP) સરકારે જાહેરાત કરી છે કે તે રાજ્યમાં OPSને પુનઃસ્થાપિત કરવાનું વિચારી રહી છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું કે AAP સરકાર OPS પર પાછા ફરવા માટે સંભવિતતા અભ્યાસ હાથ ધરશે.

"મારી સરકાર જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફરવાનું વિચારી રહી છે. મેં મારા મુખ્ય સચિવને તેના અમલીકરણની સંભવિતતા અને પદ્ધતિઓનો અભ્યાસ કરવા કહ્યું છે. અમે અમારા કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ," સીએમ માનએ કહ્યું.



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .