જાણો ભગવાનને અર્પણ કરવામાં આવતા પંચામૃતનું મહત્વ, અને શું છે તેના ફાયદા


  • Published By :
  • Published Date : 2023-02-04 18:53:54

પૂજામાં વપરાતી દરેક સામગ્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ભગવાનની પૂજા અને આરતી બાદ પ્રસાદના રૂપે પંચામૃત વહેચવામાં આવે છે. પંચામૃતનો પ્રસાદ લઈ આપણે હાથને માથે ચઢાવી દેતા હોઈએ છીએ. પરંતુ પંચામૃત કોને કહેવાય છે તે અંગે જાણકારી અનેક લોકોને નથી હોતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આનું મહત્વ રહેલું છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ પંચામૃતનું વિશેષ મહત્વ રહેલું છે. 

પ્રસાદમાં પંચામૃતને પવિત્ર કેમ ગણવામાં આવે છે? જાણો શું છે બનાવવાની  શાસ્ત્રોક વિધી - GSTV

દેવી-દેવતાઓ સમક્ષ વિવિધ પ્રકારના તેમજ અલગ અલગ પ્રકારના પ્રસાદ ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે. પરંતુ દરેક ભગવાન સમક્ષ પંચામૃતનો પ્રસાદ અવશ્ય અર્પણ કરવામાં આવે છે. પંચામૃત એટલે પાંચ પદાર્થથી બનાવામાં આવેલું મિશ્રણ. પાંચ તત્વોમાં દૂધ, દહીં, મધ, ધી અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃતથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. દરેક ભગવાનને પંચામૃતત અર્પણ કરવામાં આવે છે. 


પંચામૃતનો સરળ અર્થ થાય પાંચ અમૃત. દૂધને અમૃત સમાન ગણવામાં આવ્યું છે તે ઉપરાંત મધ,ધી ,સાકર અને દહીંને પણ અમૃત સમાન ગણવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પંચામૃતનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યારે વ્યક્તિને પંચામૃતમાંથી અનેક વસ્તુઓ શીખવી જોઈએ. જાણીએ પંચામૃતમાં રહેલા પાંચ તત્વોના મહત્વ વિશે.


દૂધ - દૂધને શુદ્ધાતાનું પ્રતિક માનવામાં આવે છે. એવો ભાવ કરવામાં આવે છે કે આપણે જીવનમાં દૂધની જેમ નિષ્કલંક રહેવું જોઈએ. તે ઉપરાંત દૂધથી પદ પ્રતિષ્ઠતામાં પણ વૃદ્ધિ થાય છે. 


દહી- દૂધને મેરવીએ તો તેમાંથી દહીં બને છે. દહીંની વિશેષતા એ છે કે તે બીજાને પોતાના જેવા બનાવે છે. તે સિવાય આરોગ્યની દ્રષ્ટિએ પણ દહીંને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દહીંથી જીવનમાં શાંતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘીને સ્નેહનું પ્રતિક પણ માનવામાં આવે છે. 


મધ- પંચામૃતમાં મધનું પણ વિશેષ સ્થાન રહેલું છે. મધ મીઠું હોવાની સાથે સાથે શક્તિશાળી પણ છે. એવું માનવામાં આવે છે કે મધનો ઉપયોગ કરવાથી શત્રુઓ પર વિજયી મેળવી શકાય છે. મધમાંથી શિખવા જેવી વાત એ છે કે તે જાળમાં રહેતું હોવા છતાંય આસાનીથી નથી મળતું. તેવી જ રીતે મનુષ્યએ પણ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અલગ રહેવું જોઈએ. 


સાકર - પંચામૃતમાં સાકરને પણ વિશેષ સ્થાન આફવામાં આવ્યું છે.  સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વ્યવસ્થિત રહે છે. તે સિવાય આળસમાં પણ ઘટાડો આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરવાથી વાણી મધુર બને છે અને શિસ્તાચાર વધે છે. તે ઉપરાંત ઉંઘનું સમસ્યા પણ દૂર થાય છે. 


ઘી- પંચામૃતમાં ઘીનો સમાવેશ થાય છે. ઘી શરીરને બળ આપે છે તે ઉપરાંત હાડકા પણ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે આનો ઉપયોગ કરવાથી નેત્ર જ્યોતિમાં વધારો થાય છે. જો પ્રમાણની વાત કરવામાં આવે તો ચાર ચમચી દહીં, એક ચમચી ઘી, ચાર ચમચી દૂધ, બે ચમચી મધ, બે ચમચી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.