જાણો ભગવાનને અર્પણ કરવામાં આવતા પંચામૃતનું મહત્વ, અને શું છે તેના ફાયદા


  • Published By :
  • Published Date : 2023-02-04 18:53:54

પૂજામાં વપરાતી દરેક સામગ્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ભગવાનની પૂજા અને આરતી બાદ પ્રસાદના રૂપે પંચામૃત વહેચવામાં આવે છે. પંચામૃતનો પ્રસાદ લઈ આપણે હાથને માથે ચઢાવી દેતા હોઈએ છીએ. પરંતુ પંચામૃત કોને કહેવાય છે તે અંગે જાણકારી અનેક લોકોને નથી હોતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આનું મહત્વ રહેલું છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ પંચામૃતનું વિશેષ મહત્વ રહેલું છે. 

પ્રસાદમાં પંચામૃતને પવિત્ર કેમ ગણવામાં આવે છે? જાણો શું છે બનાવવાની  શાસ્ત્રોક વિધી - GSTV

દેવી-દેવતાઓ સમક્ષ વિવિધ પ્રકારના તેમજ અલગ અલગ પ્રકારના પ્રસાદ ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે. પરંતુ દરેક ભગવાન સમક્ષ પંચામૃતનો પ્રસાદ અવશ્ય અર્પણ કરવામાં આવે છે. પંચામૃત એટલે પાંચ પદાર્થથી બનાવામાં આવેલું મિશ્રણ. પાંચ તત્વોમાં દૂધ, દહીં, મધ, ધી અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃતથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. દરેક ભગવાનને પંચામૃતત અર્પણ કરવામાં આવે છે. 


પંચામૃતનો સરળ અર્થ થાય પાંચ અમૃત. દૂધને અમૃત સમાન ગણવામાં આવ્યું છે તે ઉપરાંત મધ,ધી ,સાકર અને દહીંને પણ અમૃત સમાન ગણવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પંચામૃતનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યારે વ્યક્તિને પંચામૃતમાંથી અનેક વસ્તુઓ શીખવી જોઈએ. જાણીએ પંચામૃતમાં રહેલા પાંચ તત્વોના મહત્વ વિશે.


દૂધ - દૂધને શુદ્ધાતાનું પ્રતિક માનવામાં આવે છે. એવો ભાવ કરવામાં આવે છે કે આપણે જીવનમાં દૂધની જેમ નિષ્કલંક રહેવું જોઈએ. તે ઉપરાંત દૂધથી પદ પ્રતિષ્ઠતામાં પણ વૃદ્ધિ થાય છે. 


દહી- દૂધને મેરવીએ તો તેમાંથી દહીં બને છે. દહીંની વિશેષતા એ છે કે તે બીજાને પોતાના જેવા બનાવે છે. તે સિવાય આરોગ્યની દ્રષ્ટિએ પણ દહીંને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દહીંથી જીવનમાં શાંતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘીને સ્નેહનું પ્રતિક પણ માનવામાં આવે છે. 


મધ- પંચામૃતમાં મધનું પણ વિશેષ સ્થાન રહેલું છે. મધ મીઠું હોવાની સાથે સાથે શક્તિશાળી પણ છે. એવું માનવામાં આવે છે કે મધનો ઉપયોગ કરવાથી શત્રુઓ પર વિજયી મેળવી શકાય છે. મધમાંથી શિખવા જેવી વાત એ છે કે તે જાળમાં રહેતું હોવા છતાંય આસાનીથી નથી મળતું. તેવી જ રીતે મનુષ્યએ પણ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અલગ રહેવું જોઈએ. 


સાકર - પંચામૃતમાં સાકરને પણ વિશેષ સ્થાન આફવામાં આવ્યું છે.  સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વ્યવસ્થિત રહે છે. તે સિવાય આળસમાં પણ ઘટાડો આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરવાથી વાણી મધુર બને છે અને શિસ્તાચાર વધે છે. તે ઉપરાંત ઉંઘનું સમસ્યા પણ દૂર થાય છે. 


ઘી- પંચામૃતમાં ઘીનો સમાવેશ થાય છે. ઘી શરીરને બળ આપે છે તે ઉપરાંત હાડકા પણ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે આનો ઉપયોગ કરવાથી નેત્ર જ્યોતિમાં વધારો થાય છે. જો પ્રમાણની વાત કરવામાં આવે તો ચાર ચમચી દહીં, એક ચમચી ઘી, ચાર ચમચી દૂધ, બે ચમચી મધ, બે ચમચી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.   




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.