જાણો ભગવાનને અર્પણ કરવામાં આવતા પંચામૃતનું મહત્વ, અને શું છે તેના ફાયદા


  • Published By :
  • Published Date : 2023-02-04 18:53:54

પૂજામાં વપરાતી દરેક સામગ્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ભગવાનની પૂજા અને આરતી બાદ પ્રસાદના રૂપે પંચામૃત વહેચવામાં આવે છે. પંચામૃતનો પ્રસાદ લઈ આપણે હાથને માથે ચઢાવી દેતા હોઈએ છીએ. પરંતુ પંચામૃત કોને કહેવાય છે તે અંગે જાણકારી અનેક લોકોને નથી હોતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આનું મહત્વ રહેલું છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ પંચામૃતનું વિશેષ મહત્વ રહેલું છે. 

પ્રસાદમાં પંચામૃતને પવિત્ર કેમ ગણવામાં આવે છે? જાણો શું છે બનાવવાની  શાસ્ત્રોક વિધી - GSTV

દેવી-દેવતાઓ સમક્ષ વિવિધ પ્રકારના તેમજ અલગ અલગ પ્રકારના પ્રસાદ ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે. પરંતુ દરેક ભગવાન સમક્ષ પંચામૃતનો પ્રસાદ અવશ્ય અર્પણ કરવામાં આવે છે. પંચામૃત એટલે પાંચ પદાર્થથી બનાવામાં આવેલું મિશ્રણ. પાંચ તત્વોમાં દૂધ, દહીં, મધ, ધી અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃતથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. દરેક ભગવાનને પંચામૃતત અર્પણ કરવામાં આવે છે. 


પંચામૃતનો સરળ અર્થ થાય પાંચ અમૃત. દૂધને અમૃત સમાન ગણવામાં આવ્યું છે તે ઉપરાંત મધ,ધી ,સાકર અને દહીંને પણ અમૃત સમાન ગણવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પંચામૃતનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યારે વ્યક્તિને પંચામૃતમાંથી અનેક વસ્તુઓ શીખવી જોઈએ. જાણીએ પંચામૃતમાં રહેલા પાંચ તત્વોના મહત્વ વિશે.


દૂધ - દૂધને શુદ્ધાતાનું પ્રતિક માનવામાં આવે છે. એવો ભાવ કરવામાં આવે છે કે આપણે જીવનમાં દૂધની જેમ નિષ્કલંક રહેવું જોઈએ. તે ઉપરાંત દૂધથી પદ પ્રતિષ્ઠતામાં પણ વૃદ્ધિ થાય છે. 


દહી- દૂધને મેરવીએ તો તેમાંથી દહીં બને છે. દહીંની વિશેષતા એ છે કે તે બીજાને પોતાના જેવા બનાવે છે. તે સિવાય આરોગ્યની દ્રષ્ટિએ પણ દહીંને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દહીંથી જીવનમાં શાંતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘીને સ્નેહનું પ્રતિક પણ માનવામાં આવે છે. 


મધ- પંચામૃતમાં મધનું પણ વિશેષ સ્થાન રહેલું છે. મધ મીઠું હોવાની સાથે સાથે શક્તિશાળી પણ છે. એવું માનવામાં આવે છે કે મધનો ઉપયોગ કરવાથી શત્રુઓ પર વિજયી મેળવી શકાય છે. મધમાંથી શિખવા જેવી વાત એ છે કે તે જાળમાં રહેતું હોવા છતાંય આસાનીથી નથી મળતું. તેવી જ રીતે મનુષ્યએ પણ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અલગ રહેવું જોઈએ. 


સાકર - પંચામૃતમાં સાકરને પણ વિશેષ સ્થાન આફવામાં આવ્યું છે.  સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વ્યવસ્થિત રહે છે. તે સિવાય આળસમાં પણ ઘટાડો આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરવાથી વાણી મધુર બને છે અને શિસ્તાચાર વધે છે. તે ઉપરાંત ઉંઘનું સમસ્યા પણ દૂર થાય છે. 


ઘી- પંચામૃતમાં ઘીનો સમાવેશ થાય છે. ઘી શરીરને બળ આપે છે તે ઉપરાંત હાડકા પણ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે આનો ઉપયોગ કરવાથી નેત્ર જ્યોતિમાં વધારો થાય છે. જો પ્રમાણની વાત કરવામાં આવે તો ચાર ચમચી દહીં, એક ચમચી ઘી, ચાર ચમચી દૂધ, બે ચમચી મધ, બે ચમચી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.   




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .