જાણો હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:55:52

હિંદુ ધર્મમાં અનેક ચિન્હો પ્રતિકોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અનેક ચિન્હોને પવિત્ર માનવામાં આવે છે. જેમાં સ્વસ્તિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વસ્તિકને અનેક લોકો પોતાના ઘરના દરવાજા બહાર કરતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગ અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તે દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન બનાવામાં આવે છે. સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ. સ્વસ્તિકને ઉર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દથી બનેલો શબ્દ છે. સુ નો અર્થ થાય છે શુભ, અસનો અર્થ અસ્તિત્વ થાય છે અને ક નો અર્થ  કર્તા થાય છે. સ્વસ્તિકનો અર્થ થાય છે મંગલ કરનાર હોય છે. સ્વસ્તિકને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. 

Swastika Sign Related To Lord Ganesha Know Importance Of Swastika In Hindu  Religious | Swastik Sign: શું આપના ઘર કે ઓફિસમાં વાસ્તુદોષ છે? સ્વસ્તિકના આ  ઉપાયથી કરો દૂર

સ્વસ્તિકમાં કરવામાં આવેલી રેખાઓ ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. અનેક લોકો વાસ્તુદોષને દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્વસ્તિકના મધ્યભાગમાં ભગવાન વિષ્ણુની કમલ નાભી, રેખાઓને બ્રહ્માજીના ચારમુખ, ચાર હાથ અને ચાર વેદોનું રૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવામાં કંકુ અથવા કેસરી રંગનો કરવો જોઈએ. ઉપરાંત ચાર રેખાઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવામાં આવે છે. 

Ashadeep News Paper


પૂજા દરમિયાન આરતીની થાળીમાં પણ સ્વસ્તિક કરવામાં આવે છે. ઉપરાંત કળશમાં પણ સ્વસ્તિક અંકિત કરવામાં આવે છે. કપાળ પર તિલક કરવામાં આવે છે તે દરમિયાન આ મંત્ર બોલવામાં આવે છે.     

ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.