જાણો હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું મહત્વ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-22 16:55:52

હિંદુ ધર્મમાં અનેક ચિન્હો પ્રતિકોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અનેક ચિન્હોને પવિત્ર માનવામાં આવે છે. જેમાં સ્વસ્તિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વસ્તિકને અનેક લોકો પોતાના ઘરના દરવાજા બહાર કરતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગ અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તે દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન બનાવામાં આવે છે. સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ. સ્વસ્તિકને ઉર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દથી બનેલો શબ્દ છે. સુ નો અર્થ થાય છે શુભ, અસનો અર્થ અસ્તિત્વ થાય છે અને ક નો અર્થ  કર્તા થાય છે. સ્વસ્તિકનો અર્થ થાય છે મંગલ કરનાર હોય છે. સ્વસ્તિકને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. 

Swastika Sign Related To Lord Ganesha Know Importance Of Swastika In Hindu  Religious | Swastik Sign: શું આપના ઘર કે ઓફિસમાં વાસ્તુદોષ છે? સ્વસ્તિકના આ  ઉપાયથી કરો દૂર

સ્વસ્તિકમાં કરવામાં આવેલી રેખાઓ ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. અનેક લોકો વાસ્તુદોષને દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્વસ્તિકના મધ્યભાગમાં ભગવાન વિષ્ણુની કમલ નાભી, રેખાઓને બ્રહ્માજીના ચારમુખ, ચાર હાથ અને ચાર વેદોનું રૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવામાં કંકુ અથવા કેસરી રંગનો કરવો જોઈએ. ઉપરાંત ચાર રેખાઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવામાં આવે છે. 

Ashadeep News Paper


પૂજા દરમિયાન આરતીની થાળીમાં પણ સ્વસ્તિક કરવામાં આવે છે. ઉપરાંત કળશમાં પણ સ્વસ્તિક અંકિત કરવામાં આવે છે. કપાળ પર તિલક કરવામાં આવે છે તે દરમિયાન આ મંત્ર બોલવામાં આવે છે.     

ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ 



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...