જાણો Anandના યુવાનોનો શું છે રાજકીય મત? Jamawat Election Yatra પહોંચી વિદ્યાનગર જ્યાં રામ મંદિરથી લઈ યોજનાની વાતો થઈ..


  • Published By :
  • Published Date : 2024-05-05 16:10:49

જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી ગઈ આણંદ લોકસભા બેઠકના મતદાતાઓનો મિજાજ જાણવા... આણંદના વલ્લભવિદ્યાનગર જમાવટની ટીમ પહોંચી હતી ચૂંટણીનો માહોલ જાણવા માટે... વલ્લભવિદ્યાનગરને વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે... જેટલા મતદાતાઓને જમાવટની ટીમ મળી ત્યારે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી..

કયા મુદ્દાઓ યુવાનોને કરે છે અસર?   

સામાન્ય રીતે અનેક મુદ્દાઓ એવા હોય છે જેને મતદાર મતદાન આપતી વખતે ધ્યાનમાં રાખે છે... કોઈ મોંઘવારીનો મુદ્દો ઉઠાવે છે તો કોઈ રોજગારીનો મુદ્દો ઉઠાવે છે... કોઈ રસ્તાઓનો મુદ્દો ઉઠાવે છે તો કોઈ વિકાસની વાતો કરે છે.. વિદ્યાર્થીઓનો રાજકીય મત જાણવાની જ્યારે કોશિશ કરી ત્યારે તેમણે કહ્યું કે યુવાનોને જેટલો રોજગાર જોઈએ છે તેવી નોકરી નથી મળી રહી.. સરકારને તેમણે અપીલ કરી હતી જેમાં તેમણે કહ્યું કે યુવાનોને નોકરી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.. 


રોજગારીને લઈ યુવાનોએ કરી વાત

જ્યારે બીજા એક મતદારને પૂછવામાં આવ્યું તો તેમણે પણ રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર પાસે તે શું અપેક્ષા રાખે છે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે શિક્ષણ સારૂં મળે, આરોગ્ય સારૂં મળે..જે સરકાર ચૂંટાઈને આવે છે તે યુવાનો માટે અને મહિલાઓ માટે કામ કરે..  સરકારે શિક્ષણ અને રોજગારી મુદ્દે મુખ્યત્વે કામ કરવાનું હોય છે.. જ્યારે આમાં સરકાર ખરી ઉતરતી હોય છે ત્યારે જ ભારતનો વિકાસ થાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. 


રામ મંદિર, કલમ 370નો એક મતદાતાએ કર્યો ઉલ્લેખ

બીજા એક મતદારને પૂછવામાં આવ્યું કે માહોલ કેવો લાગે છે તો તેમણે કહ્યું કે તેમને વ્યવસાયને કારણે તેમને અનેક જગ્યાઓ પર ફરવાનું થાય છે ત્યારે  પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી પહોંચવી જોઈએ... ખેડૂતોને યોજનાઓની ખબર જ નથી હોતી.. લોકલ લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી... એક મતદારે ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો.. પબ્લિકને જાગૃત થવું જોઈએ તેવી વાત તેમણે કરી હતી.. એક મતદારે કલમ 370નો ઉલ્લેખ કર્યો હતો.  તે સિવાય તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.. ત્યારે જોવું રહ્યું કે આણંદના મતદાતા કોને જીતાડી સંસદ પહોંચાડે છે?    




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.