જાણો Mehsana Loksabha Seatના બંને ઉમેદવારોનું શું છે વિઝન? BJPના Haribhai Patel કહે ફોન પર જવાબ ન મળે, Congressના ઉમેદવારે કહ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-05-02 16:32:52

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે.. મતદારોને રિઝવવા માટે રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે પરંતુ દેશના મુદ્દાઓ સામાન્ય માણસને સીધી રીતના અસર નથી કરતા.. સ્થાનિક મુદ્દાઓ તેમને અસર કરતા હોય છે.. જનતાનોએ સવાલ હોય છે કે તેમના ઉમેદવાર આગામી પાંચ વર્ષોમાં કયા કામો કરશે? 

મહેસાણાના ઉમેદવારને જમાવટની ટીમે કર્યો ફોન

ત્યારે જનતા વતી જમાવટ લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહ્યું છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.. ત્યારે મહેસાણાના બંને ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધી રહ્યા છે તે જાણવા માટે ફોન કર્યો હતો.. ભાજપના ગ્રાફમાં મહેસાણાનું વિશેષ સ્થાન છે. દેશમાં ભાજપને પહેલી સીટ મહેસાણાથી મળી હતી. 



1984માં ભાજપને મળી હતી મહેસાણાની સીટ 

1984થી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને બે સીટ મહેસાણા અને હૈદરાબાદ મળી હતી. એ કે પટેલે અહીં ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદથી આમ તો આ સીટ ભાજપનો ગઢ રહ્યો છે. પણ વચ્ચે બે વખત 1999 અને 2004માં કોંગ્રેસે ભાજપને માત આપી હતી. ભાજપના સિનિયર નેતા નીતિન પટેલ ખુદ 2004માં 14 હજાર મતથી હારી ગયા હતા..... 



શું કહ્યું ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારે? 

મહેસાણા સીટ પર આ વખતે પાટીદાર અને ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર વચ્ચે જંગ છે. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ 62 વર્ષીય હરિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 52 વર્ષીય રામજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન પર જવાબ આપવાની ના પાડી હતી... જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રામજી ઠાકોરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહેસાણાનો જે વિકાસ થવો જોઈએ તે પ્રકારનો વિકાસ નથી થયો... ડેવલ્પમેન્ટ જે રીતે થવું જોઈએ તે પ્રમાણેનું નથી થયું...પ્રજાના ઉદ્યોગી વસાહતો નથી થઈ.. 



જનતા કોને બનાવશે સાંસદ? 

વાતચીત દરમિયાન તેમણે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતે આપવામાં આવેલા નિવેદનને યાદ કર્યા હતા.. મહેસાણામાં યુનિવર્સિટી નથી, મહેસાણામાં મોટી હોસ્પિટલો નથી બની.. પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ નથી થઈ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ત્યારે જનતા કોને પસંદ કરી સાંસદ બનાવે છે તે જાણવા માટે આપણે ચાર જૂન સુધી રાહ જોવી પડશે...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.