જાણો Mehsana Loksabha Seatના બંને ઉમેદવારોનું શું છે વિઝન? BJPના Haribhai Patel કહે ફોન પર જવાબ ન મળે, Congressના ઉમેદવારે કહ્યું કે.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:32:52

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે.. મતદારોને રિઝવવા માટે રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે પરંતુ દેશના મુદ્દાઓ સામાન્ય માણસને સીધી રીતના અસર નથી કરતા.. સ્થાનિક મુદ્દાઓ તેમને અસર કરતા હોય છે.. જનતાનોએ સવાલ હોય છે કે તેમના ઉમેદવાર આગામી પાંચ વર્ષોમાં કયા કામો કરશે? 

મહેસાણાના ઉમેદવારને જમાવટની ટીમે કર્યો ફોન

ત્યારે જનતા વતી જમાવટ લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહ્યું છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.. ત્યારે મહેસાણાના બંને ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધી રહ્યા છે તે જાણવા માટે ફોન કર્યો હતો.. ભાજપના ગ્રાફમાં મહેસાણાનું વિશેષ સ્થાન છે. દેશમાં ભાજપને પહેલી સીટ મહેસાણાથી મળી હતી. 



1984માં ભાજપને મળી હતી મહેસાણાની સીટ 

1984થી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને બે સીટ મહેસાણા અને હૈદરાબાદ મળી હતી. એ કે પટેલે અહીં ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદથી આમ તો આ સીટ ભાજપનો ગઢ રહ્યો છે. પણ વચ્ચે બે વખત 1999 અને 2004માં કોંગ્રેસે ભાજપને માત આપી હતી. ભાજપના સિનિયર નેતા નીતિન પટેલ ખુદ 2004માં 14 હજાર મતથી હારી ગયા હતા..... 



શું કહ્યું ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારે? 

મહેસાણા સીટ પર આ વખતે પાટીદાર અને ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર વચ્ચે જંગ છે. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ 62 વર્ષીય હરિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 52 વર્ષીય રામજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન પર જવાબ આપવાની ના પાડી હતી... જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રામજી ઠાકોરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહેસાણાનો જે વિકાસ થવો જોઈએ તે પ્રકારનો વિકાસ નથી થયો... ડેવલ્પમેન્ટ જે રીતે થવું જોઈએ તે પ્રમાણેનું નથી થયું...પ્રજાના ઉદ્યોગી વસાહતો નથી થઈ.. 



જનતા કોને બનાવશે સાંસદ? 

વાતચીત દરમિયાન તેમણે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતે આપવામાં આવેલા નિવેદનને યાદ કર્યા હતા.. મહેસાણામાં યુનિવર્સિટી નથી, મહેસાણામાં મોટી હોસ્પિટલો નથી બની.. પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ નથી થઈ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ત્યારે જનતા કોને પસંદ કરી સાંસદ બનાવે છે તે જાણવા માટે આપણે ચાર જૂન સુધી રાહ જોવી પડશે...  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..