જાણો Mehsana Loksabha Seatના બંને ઉમેદવારોનું શું છે વિઝન? BJPના Haribhai Patel કહે ફોન પર જવાબ ન મળે, Congressના ઉમેદવારે કહ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-05-02 16:32:52

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે.. મતદારોને રિઝવવા માટે રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે પરંતુ દેશના મુદ્દાઓ સામાન્ય માણસને સીધી રીતના અસર નથી કરતા.. સ્થાનિક મુદ્દાઓ તેમને અસર કરતા હોય છે.. જનતાનોએ સવાલ હોય છે કે તેમના ઉમેદવાર આગામી પાંચ વર્ષોમાં કયા કામો કરશે? 

મહેસાણાના ઉમેદવારને જમાવટની ટીમે કર્યો ફોન

ત્યારે જનતા વતી જમાવટ લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહ્યું છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.. ત્યારે મહેસાણાના બંને ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધી રહ્યા છે તે જાણવા માટે ફોન કર્યો હતો.. ભાજપના ગ્રાફમાં મહેસાણાનું વિશેષ સ્થાન છે. દેશમાં ભાજપને પહેલી સીટ મહેસાણાથી મળી હતી. 



1984માં ભાજપને મળી હતી મહેસાણાની સીટ 

1984થી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને બે સીટ મહેસાણા અને હૈદરાબાદ મળી હતી. એ કે પટેલે અહીં ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદથી આમ તો આ સીટ ભાજપનો ગઢ રહ્યો છે. પણ વચ્ચે બે વખત 1999 અને 2004માં કોંગ્રેસે ભાજપને માત આપી હતી. ભાજપના સિનિયર નેતા નીતિન પટેલ ખુદ 2004માં 14 હજાર મતથી હારી ગયા હતા..... 



શું કહ્યું ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારે? 

મહેસાણા સીટ પર આ વખતે પાટીદાર અને ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર વચ્ચે જંગ છે. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ 62 વર્ષીય હરિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 52 વર્ષીય રામજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન પર જવાબ આપવાની ના પાડી હતી... જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રામજી ઠાકોરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહેસાણાનો જે વિકાસ થવો જોઈએ તે પ્રકારનો વિકાસ નથી થયો... ડેવલ્પમેન્ટ જે રીતે થવું જોઈએ તે પ્રમાણેનું નથી થયું...પ્રજાના ઉદ્યોગી વસાહતો નથી થઈ.. 



જનતા કોને બનાવશે સાંસદ? 

વાતચીત દરમિયાન તેમણે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતે આપવામાં આવેલા નિવેદનને યાદ કર્યા હતા.. મહેસાણામાં યુનિવર્સિટી નથી, મહેસાણામાં મોટી હોસ્પિટલો નથી બની.. પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ નથી થઈ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ત્યારે જનતા કોને પસંદ કરી સાંસદ બનાવે છે તે જાણવા માટે આપણે ચાર જૂન સુધી રાહ જોવી પડશે...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે