જાણો Mehsana Loksabha Seatના બંને ઉમેદવારોનું શું છે વિઝન? BJPના Haribhai Patel કહે ફોન પર જવાબ ન મળે, Congressના ઉમેદવારે કહ્યું કે.....


  • Published By :
  • Published Date : 2024-05-02 16:32:52

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે.. મતદારોને રિઝવવા માટે રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે પરંતુ દેશના મુદ્દાઓ સામાન્ય માણસને સીધી રીતના અસર નથી કરતા.. સ્થાનિક મુદ્દાઓ તેમને અસર કરતા હોય છે.. જનતાનોએ સવાલ હોય છે કે તેમના ઉમેદવાર આગામી પાંચ વર્ષોમાં કયા કામો કરશે? 

મહેસાણાના ઉમેદવારને જમાવટની ટીમે કર્યો ફોન

ત્યારે જનતા વતી જમાવટ લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહ્યું છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.. ત્યારે મહેસાણાના બંને ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધી રહ્યા છે તે જાણવા માટે ફોન કર્યો હતો.. ભાજપના ગ્રાફમાં મહેસાણાનું વિશેષ સ્થાન છે. દેશમાં ભાજપને પહેલી સીટ મહેસાણાથી મળી હતી. 



1984માં ભાજપને મળી હતી મહેસાણાની સીટ 

1984થી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને બે સીટ મહેસાણા અને હૈદરાબાદ મળી હતી. એ કે પટેલે અહીં ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદથી આમ તો આ સીટ ભાજપનો ગઢ રહ્યો છે. પણ વચ્ચે બે વખત 1999 અને 2004માં કોંગ્રેસે ભાજપને માત આપી હતી. ભાજપના સિનિયર નેતા નીતિન પટેલ ખુદ 2004માં 14 હજાર મતથી હારી ગયા હતા..... 



શું કહ્યું ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારે? 

મહેસાણા સીટ પર આ વખતે પાટીદાર અને ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર વચ્ચે જંગ છે. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ 62 વર્ષીય હરિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 52 વર્ષીય રામજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન પર જવાબ આપવાની ના પાડી હતી... જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રામજી ઠાકોરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહેસાણાનો જે વિકાસ થવો જોઈએ તે પ્રકારનો વિકાસ નથી થયો... ડેવલ્પમેન્ટ જે રીતે થવું જોઈએ તે પ્રમાણેનું નથી થયું...પ્રજાના ઉદ્યોગી વસાહતો નથી થઈ.. 



જનતા કોને બનાવશે સાંસદ? 

વાતચીત દરમિયાન તેમણે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતે આપવામાં આવેલા નિવેદનને યાદ કર્યા હતા.. મહેસાણામાં યુનિવર્સિટી નથી, મહેસાણામાં મોટી હોસ્પિટલો નથી બની.. પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ નથી થઈ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ત્યારે જનતા કોને પસંદ કરી સાંસદ બનાવે છે તે જાણવા માટે આપણે ચાર જૂન સુધી રાહ જોવી પડશે...  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.