જાણો Bhavnagarના ક્ષત્રિય યુવાનો શું માને છે BJPના 400 પારના લક્ષ્યાંક વિશે? જાણો શું છે ત્યાંના લોકોનો મિજાજ? Jamawat Election Yatra


  • Published By :
  • Published Date : 2024-05-05 12:26:49

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે... ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.. રાજ્યના અનેક ભાગોમા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતના અનેક ગામડાઓ એવા છે જ્યાં પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી ભાવનગર અને ક્ષત્રિય યુવાનો સાથે વાત કરી હતી.. યુવાનો વિવાદને લઈ શું વિચારે છે, ભાજપ અને સરકાર વિશે શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી હતી.. 


 ભાવનગરના ક્ષત્રિય યુવાનો સાથે કરી ચર્ચા

ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવાનું છે.. 26માંથી 26 લોકસભા બેઠક ભાજપને મળશે તેવો આશાવાદ પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. એક તરફ પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા.. જમાવટની ઈલેક્શન યાત્રા અનેક લોકો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતી હોય છે... ત્યારે ભાવનગરના ક્ષત્રિય યુવાનો સાથે ટીમે ચર્ચા કરી હતી જેમાં યુવાનોનો રોષ ઉભરીને દેખાતો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. 


ભાજપ વિરોધી કરશે ક્ષત્રિય સમાજના લોકો મતદાન

યુવાનો સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ કપાય તેવી ક્ષત્રિય સમાજની માગ હતી પરંતુ પાર્ટીએ તેમની ટિકીટ નથી કાપી જેને લઈ ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરોધી મતદાન કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ, ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું છે તો કોને વોટ કરશો? તો જવાબમાં તેમણે કહ્યું કે ભાજપ સિવાયના જે મજબૂત ઉમેદવાર હશે તેમને વોટ આપીશું.. તે સિવાય પણ આ મુદ્દા પર અનેક સવાલો કરવામાં આવ્યા છે. 

ભાવનગરના રાજાનો કર્યો ઉલ્લેખ 

જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે તે શું જોઈને વોટ કરશે તો તેમણે કહ્યું કે સમાજ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે તે વોટ કરશે.. સરકાર એવી હોવી જોઈએ જે દેશનો વિકાસ કરે.. તે સિવાય જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોમાં પણ ફાંટા પડી ગયા છે તો તેમણે કહ્યયું કે આવું નથી.. અમે અમારા નિર્ણય પર મક્કમ રહીશું તેવો કહેવાનો તેમનો ભાવાર્થ હતો.. વાતચીત દરમિયાન તેમણે ભાવનગરના રાજાનો પણ ઉલ્લેખ કર્યો હતો... તે સિવાય પીએમ મોદી અને જામસાહેબની મુલાકાતને લઈ પણ ટીમ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.   



"ગુજરાતની 10 બેઠકો એવી છે જ્યાં..."

ત્યાં હાજર લોકોએ કહ્યું કે જે લોકો આંદોલન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે તે ભાજપ સાથે જોડાયેલા લોકો છે...! તેમણે એ પણ કહ્યું કે બધા ક્ષત્રિય સમાજના લોકો ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે.. સ્વાભિમાન કરતા કોઈ વસ્તુ ક્ષત્રિય માટે મોટી હોતી જ નથી તેવી વાત તેમણે કરી હતી... જ્યારે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર ગુજરાતની કઈ કઈ સીટો પર પડશે તેની વાત જ્યારે તેમને પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતની ઓછામાં ઓછી એવી 10 બેઠકો છે જેના પરિણામ પર આ આંદોલનની અસર થઈ શકે.. બેઠકોના નામ પણ તેમણે કહ્યા હતા



સ્થાનિક સમસ્યાને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે

400 પારના લક્ષ્યાંકની વાત જ્યારે પૂછવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાજપ 200 પાર પણ નહીં જાય.. તે સિવાય સ્થાનિક મુદ્દાઓને લઈ પણ વાત કરી હતી. ટ્રાફિકની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાવનગરમાં કોઈ કામ થયા જ નથી તેવી વાત એક ભાઈ દ્વારા કરવામાં આવી હતી.. છેલ્લા પાંચ વર્ષથી એક બ્રિજનું કામ થઈ રહ્યું અને તેમને લાગે છે કે એ બ્રિજનું કામ આગામી અનેક વર્ષો સુધી ચાલતું રહેશે. તે સિવાય રોજગારને લઈ પણ તેમણે વાત કરી હતી... ત્યારે સૌ કોઈની નજર પરિણામ પર રહેલી છે... 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.