જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આ આગાહી, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-15 16:03:31

ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડ્યો છે અને શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.  ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડો પવન વહી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી અને સારો પવન પણ રહ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરનું તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું છે. નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે. 


આવનાર દિવસોમાં તાપમાન યથાવત રહેશે!

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો પણ હતો જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આવનાર દિવસોમાં વાતાવરણ સુકૂ રહેશે અને બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફરક આવશે તેવી આગાહી કરવામાં આવી છે.


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ઉત્તરાયણના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ડીસાનું તાપમાન 09.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું હતું. 19.0 ડિગ્રી તાપમાન સુરતનું નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું હતું. દ્વારકાનું તાપમાન 17.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 20.6, નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ઠંડીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. ઠંડીને લઈ આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 જાન્યુઆરી બાદ ઠંડી વધારે પડી શકે છે. ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત કરવામાં આવી છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. મહેસાણા. સુરત આસપાસના ભાગોમાં તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો ફરક આવી શકે છે તેવું અનુમાન લગાવવમાં આવ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.