જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આ આગાહી, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-15 16:03:31

ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડ્યો છે અને શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.  ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડો પવન વહી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી અને સારો પવન પણ રહ્યો હતો ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરનું તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું છે. નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે. 


આવનાર દિવસોમાં તાપમાન યથાવત રહેશે!

શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી હતી. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો પણ હતો જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. આવનાર દિવસોમાં વાતાવરણ સુકૂ રહેશે અને બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફરક આવશે તેવી આગાહી કરવામાં આવી છે.


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ઉત્તરાયણના દિવસે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 10.6 ડિગ્રી પર પહોંચ્યું હતું. ડીસાનું તાપમાન 09.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું હતું. 19.0 ડિગ્રી તાપમાન સુરતનું નોંધાયું હતું જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી પહોંચ્યું હતું. દ્વારકાનું તાપમાન 17.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 20.6, નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ઠંડીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. ઠંડીને લઈ આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 15 જાન્યુઆરી બાદ ઠંડી વધારે પડી શકે છે. ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી વાત કરવામાં આવી છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. મહેસાણા. સુરત આસપાસના ભાગોમાં તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો ફરક આવી શકે છે તેવું અનુમાન લગાવવમાં આવ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.