જાણો કયારે છે ગણેશ જયંતી, ભગવાન ગણપતિની પૂજા કરવાથી મળે છે વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-24 18:25:59

ભગવાન ગણપતિજીને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક મહિનાની બંને પક્ષોની ચતુર્થી તિથી ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. ત્યારે મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસને ગણેશ જયંતિ મનાવામાં આવે છે. આ દિવસે ચતુર્થી બુધવારે હોવાને કારણે આનું મહત્વ વિશેષ થઈ જતા હોય છે. ચતુર્થી 25 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 

Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની સ્થાપના અને  વિસર્જન? | Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની  સ્થાપના અને વિસર્જન?


આ દિવસે બની રહ્યા છે શુભ યોગ 

બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત હોય છે.  એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણપતિ પ્રગટ થયા હતા. આજ કારણોસર આ દિવસને ગણેશ જયંતી કહેવામાં આવે છે. અલગ અલગ નામથી આ ચોથને સંબોધવમાં આવે છે. ગણેશ જયંતીના દિવસે રવિ, શિવ યોગ બની રહ્યા છે.     

 

આ દિવસે નથી કરવામાં આવતા ચંદ્ર દર્શન 

સામાન્ય રીતે ચોથના દિવસે ચંદ્ર દર્શનનો વિશેષ મહિમા હોય છે. પરંતુ ગણેશ જયંતીના દિવસે ચંદ્ર દર્શન નથી કરવામાં આવતા. પૌરાણીક કથાઓ અનુસાર આ દિવસે ગણપતિજીએ ચંદ્ર દેવને શ્રાપ આપ્યો હતો. જેને લઈ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ગણેશજીને લાલ પુષ્પ, ચંદન અને લાલ રંગની મિઠાઈ અર્પણ કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ મળે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.