જાણો કયારે છે ગણેશ જયંતી, ભગવાન ગણપતિની પૂજા કરવાથી મળે છે વિશેષ કૃપા


  • Published By :
  • Published Date : 2023-01-24 18:25:59

ભગવાન ગણપતિજીને પ્રથમ પૂજ્ય ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક મહિનાની બંને પક્ષોની ચતુર્થી તિથી ભગવાન ગણપતિને સમર્પિત હોય છે. ત્યારે મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસને ગણેશ જયંતિ મનાવામાં આવે છે. આ દિવસે ચતુર્થી બુધવારે હોવાને કારણે આનું મહત્વ વિશેષ થઈ જતા હોય છે. ચતુર્થી 25 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 

Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની સ્થાપના અને  વિસર્જન? | Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની  સ્થાપના અને વિસર્જન?


આ દિવસે બની રહ્યા છે શુભ યોગ 

બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત હોય છે.  એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણપતિ પ્રગટ થયા હતા. આજ કારણોસર આ દિવસને ગણેશ જયંતી કહેવામાં આવે છે. અલગ અલગ નામથી આ ચોથને સંબોધવમાં આવે છે. ગણેશ જયંતીના દિવસે રવિ, શિવ યોગ બની રહ્યા છે.     

 

આ દિવસે નથી કરવામાં આવતા ચંદ્ર દર્શન 

સામાન્ય રીતે ચોથના દિવસે ચંદ્ર દર્શનનો વિશેષ મહિમા હોય છે. પરંતુ ગણેશ જયંતીના દિવસે ચંદ્ર દર્શન નથી કરવામાં આવતા. પૌરાણીક કથાઓ અનુસાર આ દિવસે ગણપતિજીએ ચંદ્ર દેવને શ્રાપ આપ્યો હતો. જેને લઈ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે ગણપતિજીની વિશેષ પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ગણેશજીને લાલ પુષ્પ, ચંદન અને લાલ રંગની મિઠાઈ અર્પણ કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ મળે છે.     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .