જાણો ક્યારે છે મૌની અમાસ, આ દિવસે શનિદેવની કરાય છે વિશેષ પૂજા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-20 17:05:38

પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. શનિવારે અમાસ આવતી હોવાને કારણે આને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સહિત તમામ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે મૌની અમાસનું સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. 

Mauni Amavasya shani puja vidhi chanting these mantra to remove shanidev  vakra drishti details in hindi | Mauni Amavasya Shani Puja : इस मौनी  अमावस्या को हट जाएगी शनि वक्र दृष्टि, इन

હિંદુ ધર્મમાં આમ તો દરેક અમાસને મહત્વ આપવામાં આવ્યું છે. મૌની અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ દર્શન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં મેળો ભરાય છે. અમાસના દિવસે પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

Pitru Tarpan – Divya Dwarika

આ દિવસે સરસિયાના તેલથી અભિષેક કરવો જોઈએ. શનિદેવને વાદળી વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. આ દિવસે ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવના મંદિરમાં દર્શન અને પૂજા કરવી શુભ માનવામાં  આવે છે. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો જોઈએ અને એ દિવસે સુંદરકાંડ  અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

क्यों भगवान विष्णु को करने पड़े थे ये 8 छल, जानें इसके पीछे की कहानी –  News18 हिंदी

આ દિવસે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો શુભ મનાય છે. આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર, આંકડાના ફુલ, ધતૂરા વગેરે અર્પિત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. તે સિવાય ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.         



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.