જાણો ક્યારે છે મૌની અમાસ, આ દિવસે શનિદેવની કરાય છે વિશેષ પૂજા


  • Published By :
  • Published Date : 2023-01-20 17:05:38

પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. શનિવારે અમાસ આવતી હોવાને કારણે આને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સહિત તમામ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે મૌની અમાસનું સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. 

Mauni Amavasya shani puja vidhi chanting these mantra to remove shanidev  vakra drishti details in hindi | Mauni Amavasya Shani Puja : इस मौनी  अमावस्या को हट जाएगी शनि वक्र दृष्टि, इन

હિંદુ ધર્મમાં આમ તો દરેક અમાસને મહત્વ આપવામાં આવ્યું છે. મૌની અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ દર્શન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં મેળો ભરાય છે. અમાસના દિવસે પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

Pitru Tarpan – Divya Dwarika

આ દિવસે સરસિયાના તેલથી અભિષેક કરવો જોઈએ. શનિદેવને વાદળી વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. આ દિવસે ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવના મંદિરમાં દર્શન અને પૂજા કરવી શુભ માનવામાં  આવે છે. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો જોઈએ અને એ દિવસે સુંદરકાંડ  અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

क्यों भगवान विष्णु को करने पड़े थे ये 8 छल, जानें इसके पीछे की कहानी –  News18 हिंदी

આ દિવસે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો શુભ મનાય છે. આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર, આંકડાના ફુલ, ધતૂરા વગેરે અર્પિત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. તે સિવાય ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.         



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી