જાણો ક્યારે છે મૌની અમાસ, આ દિવસે શનિદેવની કરાય છે વિશેષ પૂજા


  • Published By :
  • Published Date : 2023-01-20 17:05:38

પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. શનિવારે અમાસ આવતી હોવાને કારણે આને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સહિત તમામ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે મૌની અમાસનું સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. 

Mauni Amavasya shani puja vidhi chanting these mantra to remove shanidev  vakra drishti details in hindi | Mauni Amavasya Shani Puja : इस मौनी  अमावस्या को हट जाएगी शनि वक्र दृष्टि, इन

હિંદુ ધર્મમાં આમ તો દરેક અમાસને મહત્વ આપવામાં આવ્યું છે. મૌની અમાસને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે તીર્થ દર્શન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન પ્રયાગરાજમાં મેળો ભરાય છે. અમાસના દિવસે પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.  

Pitru Tarpan – Divya Dwarika

આ દિવસે સરસિયાના તેલથી અભિષેક કરવો જોઈએ. શનિદેવને વાદળી વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. આ દિવસે ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવના મંદિરમાં દર્શન અને પૂજા કરવી શુભ માનવામાં  આવે છે. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો જોઈએ અને એ દિવસે સુંદરકાંડ  અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 

क्यों भगवान विष्णु को करने पड़े थे ये 8 छल, जानें इसके पीछे की कहानी –  News18 हिंदी

આ દિવસે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો શુભ મનાય છે. આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર, આંકડાના ફુલ, ધતૂરા વગેરે અર્પિત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે. તે સિવાય ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.         



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.