જાણો ક્યારે છે વસંત પંચમી, કેમ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા?


  • Published By :
  • Published Date : 2023-01-23 17:35:17

હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ હોય છે. વસંત પંચમીને આપણે ત્યાં ખુબ મહત્વની તિથી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. જેને કારણે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મૂહુર્ત જોયા વગર લગ્ન કરી શકાય છે. 

Vasant Panchami 2021: આ મંત્રથી દેવી સરસ્વતી થશે પ્રસન્ન, આજના દિવસે ભૂલથી  પણ ન કરો આ પાંચ કામ | India News in Gujarati

વસંત પંચમીએ સરસ્વતી જયંતી હોવાથી આ દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને જ્ઞાન અને કળાના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિનાની સુદ પાંચમે ભગવાન શ્રીકૃષ્ણએ માતા સરસ્વતી પૂજન કર્યું હતું. ત્યારથી આ દિવસના રોજ સરસ્વતી પૂજનનું પ્રચલન શરૂ થયું. 

સિદ્ધિ અને રવિયોગમાં લગ્ન થશે, આ દિવસે ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે  વણજોયું મુહૂર્ત | Vasant Panchami Will Be Held On February 5 In Siddhi And  Raviyoga; Abuja Muhurta On This

વસંતપંચમીને વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો વસંતપંચમીના દિવસથી કરી શકાય. વિદ્યા જેવી કે સંગીત શીખવું, ચિત્રકામ, અથવા તો કોઈ ખાસ કોર્સ પણ શરૂ કરી શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્યાજીએ સૃષ્ટિની રચના કરી હતી. જે બાદ આદ્યશક્તિએ પોતાને પાંચ રૂપમાં વિભાજીત કર્યા. દુર્ગા, સાવિત્રી, સરસ્વતી, પદ્મા અને રાધાના સ્વરૂપમાં આદ્યશક્તિએ પોતાની શક્તિ વિભાજીત કરી. સરસ્વતીજીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમને અલગ અલગ નામોથી પણ જેવા કે વાક, વાણી, વાક્દેવી જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .