જાણો ક્યારે છે વસંત પંચમી, કેમ વસંત પંચમીના દિવસે કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા?


  • Published By :
  • Published Date : 2023-01-23 17:35:17

હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ હોય છે. વસંત પંચમીને આપણે ત્યાં ખુબ મહત્વની તિથી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. જેને કારણે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતી હોવાનું પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મૂહુર્ત જોયા વગર લગ્ન કરી શકાય છે. 

Vasant Panchami 2021: આ મંત્રથી દેવી સરસ્વતી થશે પ્રસન્ન, આજના દિવસે ભૂલથી  પણ ન કરો આ પાંચ કામ | India News in Gujarati

વસંત પંચમીએ સરસ્વતી જયંતી હોવાથી આ દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને જ્ઞાન અને કળાના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિનાની સુદ પાંચમે ભગવાન શ્રીકૃષ્ણએ માતા સરસ્વતી પૂજન કર્યું હતું. ત્યારથી આ દિવસના રોજ સરસ્વતી પૂજનનું પ્રચલન શરૂ થયું. 

સિદ્ધિ અને રવિયોગમાં લગ્ન થશે, આ દિવસે ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે  વણજોયું મુહૂર્ત | Vasant Panchami Will Be Held On February 5 In Siddhi And  Raviyoga; Abuja Muhurta On This

વસંતપંચમીને વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો વસંતપંચમીના દિવસથી કરી શકાય. વિદ્યા જેવી કે સંગીત શીખવું, ચિત્રકામ, અથવા તો કોઈ ખાસ કોર્સ પણ શરૂ કરી શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્યાજીએ સૃષ્ટિની રચના કરી હતી. જે બાદ આદ્યશક્તિએ પોતાને પાંચ રૂપમાં વિભાજીત કર્યા. દુર્ગા, સાવિત્રી, સરસ્વતી, પદ્મા અને રાધાના સ્વરૂપમાં આદ્યશક્તિએ પોતાની શક્તિ વિભાજીત કરી. સરસ્વતીજીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમને અલગ અલગ નામોથી પણ જેવા કે વાક, વાણી, વાક્દેવી જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરીના રોજ આવી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.