જાણો ક્યારે છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા અને વ્રત કરવાથી થતા લાભ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:05:34

હિંદુ ધર્મમાં દરેક તિથીને મહત્વ આપવામાં આવે છે. અનેક તિથી અનેક દેવતાઓને સમર્પિત હોય છે. આઠમ અને ચૌદશ માતાજીને સમર્પિત હોય છે, ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે. અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તેવી જ રીતે તેરસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસે કરવામાં આવતા વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વખતે ગુરૂવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને ગુરૂ પ્રદોષ કહેવામાં આવે છે.


એવું કહેવામાં આવે છે કે સાચા દિલથી જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ તિથી નક્કી કરવામાં આવી છે. જોએ તિથી દરમિયાન તેમની પૂજા-આરાધના કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. 

જાણો શિવરાત્રિ પહેલા શિવલિંગ પર જળાભિષેક કરવાના નિયમો, કેવી રીતે કરવી  પૂજા,અર્ચના. - FaktFood


દરેક મહિનામાં શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવતી તેરસને પ્રદોષ કહેવામાં આવે છે. તેરસની તિથી ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે પ્રદોષ ગુરૂવારે હોવાથી આને ગુરુ પ્રદોષ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે ઉપરાંત શત્રુ અને વિરોધી શાંત થાય છે. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો શક્ય હોય તો ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ. ઉપરાંત દિવસ દરમિયાન ઓમ નમ: શિવાય મંત્રની માળા કરવી જોઈએ. ઉપરાંત પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.