જાણો ક્યારે છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા અને વ્રત કરવાથી થતા લાભ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-16 17:05:34

હિંદુ ધર્મમાં દરેક તિથીને મહત્વ આપવામાં આવે છે. અનેક તિથી અનેક દેવતાઓને સમર્પિત હોય છે. આઠમ અને ચૌદશ માતાજીને સમર્પિત હોય છે, ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે. અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તેવી જ રીતે તેરસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસે કરવામાં આવતા વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વખતે ગુરૂવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને ગુરૂ પ્રદોષ કહેવામાં આવે છે.


એવું કહેવામાં આવે છે કે સાચા દિલથી જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ તિથી નક્કી કરવામાં આવી છે. જોએ તિથી દરમિયાન તેમની પૂજા-આરાધના કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. 

જાણો શિવરાત્રિ પહેલા શિવલિંગ પર જળાભિષેક કરવાના નિયમો, કેવી રીતે કરવી  પૂજા,અર્ચના. - FaktFood


દરેક મહિનામાં શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવતી તેરસને પ્રદોષ કહેવામાં આવે છે. તેરસની તિથી ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે પ્રદોષ ગુરૂવારે હોવાથી આને ગુરુ પ્રદોષ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે ઉપરાંત શત્રુ અને વિરોધી શાંત થાય છે. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો શક્ય હોય તો ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ. ઉપરાંત દિવસ દરમિયાન ઓમ નમ: શિવાય મંત્રની માળા કરવી જોઈએ. ઉપરાંત પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.     




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.