જાણો ક્યારે છે પ્રદોષ વ્રત, જાણો પ્રદોષ વ્રતનો મહિમા અને વ્રત કરવાથી થતા લાભ


  • Published By :
  • Published Date : 2023-01-16 17:05:34

હિંદુ ધર્મમાં દરેક તિથીને મહત્વ આપવામાં આવે છે. અનેક તિથી અનેક દેવતાઓને સમર્પિત હોય છે. આઠમ અને ચૌદશ માતાજીને સમર્પિત હોય છે, ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે. અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તેવી જ રીતે તેરસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસે કરવામાં આવતા વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વખતે ગુરૂવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને ગુરૂ પ્રદોષ કહેવામાં આવે છે.


એવું કહેવામાં આવે છે કે સાચા દિલથી જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ તિથી નક્કી કરવામાં આવી છે. જોએ તિથી દરમિયાન તેમની પૂજા-આરાધના કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે. 

જાણો શિવરાત્રિ પહેલા શિવલિંગ પર જળાભિષેક કરવાના નિયમો, કેવી રીતે કરવી  પૂજા,અર્ચના. - FaktFood


દરેક મહિનામાં શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવતી તેરસને પ્રદોષ કહેવામાં આવે છે. તેરસની તિથી ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે પ્રદોષ ગુરૂવારે હોવાથી આને ગુરુ પ્રદોષ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે ઉપરાંત શત્રુ અને વિરોધી શાંત થાય છે. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો શક્ય હોય તો ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ. ઉપરાંત દિવસ દરમિયાન ઓમ નમ: શિવાય મંત્રની માળા કરવી જોઈએ. ઉપરાંત પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.     




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી