જાણો Heart Attack પાછળ Corona Vaccine જવાબદાર છે કે નહીં? આ મામલે શું કહે છે ICMRનો રિપોર્ટ?


  • Published By :
  • Published Date : 2023-11-03 09:42:18

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તે આપણે જાણીએ છીએ.  નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ સમાચાર આવ્યા કે 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અંકલેશ્વરથી આ બનાવ સામે આવ્યો છે. તે ઉપરાંત અનેક લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું કે કોરોના વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આ બધા વચ્ચે આઈસીએમઆર દ્વારા આ મામલે રિસર્ચ કરવામાં આવ્યું જેમાં સામે આવ્યું કે કોવિડ-19 રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ ઊભું થયું નથી. 

 

કોરોના બાદ યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા

એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક તો મોટી ઉંમરવાળા લોકોને અથવા તો જેને વધારે બિમારીઓ હોય તેવા લોકોને  આવે છે. એવા લોકો જ હાર્ટ એટેકનો શિકાર બને છે. પરંતુ પરિસ્થિતિ બદલાઈ. લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ, ખોરાકમાં બદલાવ આવ્યો, કસરત ઓછી થઈ વગેરે વગેરે... તે ઉપરાંત ફેમિલી બેકગ્રાઉન્ડ પણ વધતા હાર્ટ એટેકની પાછળ કારણ હોઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. મહત્વનું છે કે ખોરાકની તેમજ લાઈફસ્ટાઈલની અસર આપણા શરીર પર થતી હોય છે. બહારનું જમવાનું પણ લોકો વધારે ખાઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 

Image

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં કેટલો વધારો થયો છે તે આપણે જાણીએ છીએ. સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી થતી. ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા બાળકોના જીવન પૂર્ણ થઈ જાય છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકો કહેતા હતા કે પરંતુ હવે તે વાત સાચી નથી...



કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ જ સંબંધ નથી 

કોરોના વેક્સિનની આડઅસરને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર નથી બની રહ્યા તેવો નિષ્કર્ષ આઈસીએમઆરના રિપોર્ટમાં આવ્યો છે. કોરોનાની રસી અને અચાનક હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી. ઈન્ડિયન કોઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા થયેલા તબીબી અભ્યાસમાં એવો નિર્દેશ છે કે આ બધાં યુવાનો કોવિડ-19 મહામારીના ચેપથી બચવા માટે આપવામાં આવેલી રસીની વિપરીત અસરથી હાર્ટ એટેક નથી આવી રહ્યો. હાર્ટ એટેકની ઘટનાઓ માટે કોવિડ-19ની રસી કારણભૂત નથી. મહત્વનું છે કે આઈ.સી.એમ.આરનો રિપોર્ટ જોકે હજી પ્રસિદ્ધ નથી થયો. એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.   

Corona s first vaccine for animals Anocovax will provide protection against  Delta and Omicron variants - જાનવરો માટે લોન્ચ થઈ કોરોનાની પ્રથમ વેક્સિન  'Anocovax', ડેલ્ટા અને ઓમિકરોન વેરિએંટથી ...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.