જાણો Heart Attack પાછળ Corona Vaccine જવાબદાર છે કે નહીં? આ મામલે શું કહે છે ICMRનો રિપોર્ટ?


  • Published By :
  • Published Date : 2023-11-03 09:42:18

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તે આપણે જાણીએ છીએ.  નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ સમાચાર આવ્યા કે 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અંકલેશ્વરથી આ બનાવ સામે આવ્યો છે. તે ઉપરાંત અનેક લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું કે કોરોના વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આ બધા વચ્ચે આઈસીએમઆર દ્વારા આ મામલે રિસર્ચ કરવામાં આવ્યું જેમાં સામે આવ્યું કે કોવિડ-19 રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ ઊભું થયું નથી. 

 

કોરોના બાદ યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા

એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક તો મોટી ઉંમરવાળા લોકોને અથવા તો જેને વધારે બિમારીઓ હોય તેવા લોકોને  આવે છે. એવા લોકો જ હાર્ટ એટેકનો શિકાર બને છે. પરંતુ પરિસ્થિતિ બદલાઈ. લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ, ખોરાકમાં બદલાવ આવ્યો, કસરત ઓછી થઈ વગેરે વગેરે... તે ઉપરાંત ફેમિલી બેકગ્રાઉન્ડ પણ વધતા હાર્ટ એટેકની પાછળ કારણ હોઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. મહત્વનું છે કે ખોરાકની તેમજ લાઈફસ્ટાઈલની અસર આપણા શરીર પર થતી હોય છે. બહારનું જમવાનું પણ લોકો વધારે ખાઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 

Image

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં કેટલો વધારો થયો છે તે આપણે જાણીએ છીએ. સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી થતી. ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા બાળકોના જીવન પૂર્ણ થઈ જાય છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકો કહેતા હતા કે પરંતુ હવે તે વાત સાચી નથી...



કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ જ સંબંધ નથી 

કોરોના વેક્સિનની આડઅસરને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર નથી બની રહ્યા તેવો નિષ્કર્ષ આઈસીએમઆરના રિપોર્ટમાં આવ્યો છે. કોરોનાની રસી અને અચાનક હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી. ઈન્ડિયન કોઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા થયેલા તબીબી અભ્યાસમાં એવો નિર્દેશ છે કે આ બધાં યુવાનો કોવિડ-19 મહામારીના ચેપથી બચવા માટે આપવામાં આવેલી રસીની વિપરીત અસરથી હાર્ટ એટેક નથી આવી રહ્યો. હાર્ટ એટેકની ઘટનાઓ માટે કોવિડ-19ની રસી કારણભૂત નથી. મહત્વનું છે કે આઈ.સી.એમ.આરનો રિપોર્ટ જોકે હજી પ્રસિદ્ધ નથી થયો. એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.   

Corona s first vaccine for animals Anocovax will provide protection against  Delta and Omicron variants - જાનવરો માટે લોન્ચ થઈ કોરોનાની પ્રથમ વેક્સિન  'Anocovax', ડેલ્ટા અને ઓમિકરોન વેરિએંટથી ...



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.