જાણો Heart Attack પાછળ Corona Vaccine જવાબદાર છે કે નહીં? આ મામલે શું કહે છે ICMRનો રિપોર્ટ?


  • Published By :
  • Published Date : 2023-11-03 09:42:18

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તે આપણે જાણીએ છીએ.  નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ગઈકાલે પણ સમાચાર આવ્યા કે 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. અંકલેશ્વરથી આ બનાવ સામે આવ્યો છે. તે ઉપરાંત અનેક લોકોએ પોતાનો જીવ હૃદય હુમલાને કારણે ગુમાવ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું કે કોરોના વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આ બધા વચ્ચે આઈસીએમઆર દ્વારા આ મામલે રિસર્ચ કરવામાં આવ્યું જેમાં સામે આવ્યું કે કોવિડ-19 રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ ઊભું થયું નથી. 

 

કોરોના બાદ યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા

એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક તો મોટી ઉંમરવાળા લોકોને અથવા તો જેને વધારે બિમારીઓ હોય તેવા લોકોને  આવે છે. એવા લોકો જ હાર્ટ એટેકનો શિકાર બને છે. પરંતુ પરિસ્થિતિ બદલાઈ. લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ, ખોરાકમાં બદલાવ આવ્યો, કસરત ઓછી થઈ વગેરે વગેરે... તે ઉપરાંત ફેમિલી બેકગ્રાઉન્ડ પણ વધતા હાર્ટ એટેકની પાછળ કારણ હોઈ શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. મહત્વનું છે કે ખોરાકની તેમજ લાઈફસ્ટાઈલની અસર આપણા શરીર પર થતી હોય છે. બહારનું જમવાનું પણ લોકો વધારે ખાઈ રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. 

Image

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક 

યુવાનોમાં હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં કેટલો વધારો થયો છે તે આપણે જાણીએ છીએ. સાજો લાગતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી થતી. ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અભ્યાસ પૂર્ણ થાય તે પહેલા બાળકોના જીવન પૂર્ણ થઈ જાય છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે લોકો કહેતા હતા કે પરંતુ હવે તે વાત સાચી નથી...



કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ જ સંબંધ નથી 

કોરોના વેક્સિનની આડઅસરને કારણે યુવાનો હાર્ટ એટેકનો શિકાર નથી બની રહ્યા તેવો નિષ્કર્ષ આઈસીએમઆરના રિપોર્ટમાં આવ્યો છે. કોરોનાની રસી અને અચાનક હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી. ઈન્ડિયન કોઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા થયેલા તબીબી અભ્યાસમાં એવો નિર્દેશ છે કે આ બધાં યુવાનો કોવિડ-19 મહામારીના ચેપથી બચવા માટે આપવામાં આવેલી રસીની વિપરીત અસરથી હાર્ટ એટેક નથી આવી રહ્યો. હાર્ટ એટેકની ઘટનાઓ માટે કોવિડ-19ની રસી કારણભૂત નથી. મહત્વનું છે કે આઈ.સી.એમ.આરનો રિપોર્ટ જોકે હજી પ્રસિદ્ધ નથી થયો. એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.   

Corona s first vaccine for animals Anocovax will provide protection against  Delta and Omicron variants - જાનવરો માટે લોન્ચ થઈ કોરોનાની પ્રથમ વેક્સિન  'Anocovax', ડેલ્ટા અને ઓમિકરોન વેરિએંટથી ...



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.