જાણો શા માટે વાંસથી બનેલી અગરબત્તીનો નથી કરવામાં આવતો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:12:55

ભગવાનની પૂજા દરમિયાન પૂજાની અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અગરબત્તીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.  ભગવાન સમક્ષ ધૂપ-અગરબત્તી, દીપ પ્રગટાવવામાં આવે છે. અનેક લોકો માને છે કે ઘરમાં અગરબત્તી કરવાથી ઘરમાં પોઝિટીવ એનર્જીનો વાસ રહે છે પરંતુ વાસ્તુમાં વાંસની અગરબત્તી કરવાને નિષેધ ગણવામાં આવી છે.    

અગરબત્તી ધૂપ વિશે વિસ્તૃત જાણકારી | Detailed information about agarbatti  incense

વાંસથી બનેલી અગરબત્તીનો ન કરવો જોઈએ ઉપયોગ 

એવું માનવામાં આવે છે કે અગરબત્તી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. અગરબત્તીને પ્રગટવાનું શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો હવામાં રહેલા જીવાણુંનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ વાંસથી બનેલી અગરબત્તીનો ઉપયોગ કરવાનું નિષેધ માનવામાં આવ્યું છે. 


વંશ પર પડે છે આની અસર  

વાંસની અગરબત્તી કરવાને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન-વિવાહના કાર્યક્રમમાં મંડપ બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ લાકડીથી અગરબત્તી બનતી હોય છે. પૂજામાં વાંસની અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે તો પૂજાને અશુભ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોના અનુસાર વાંસની લાકડીને પ્રગટાવવામાં આવે તો વંશની વૃદ્ધિ થતી નથી. તેનાથી ઘરની બરકત ઘટે છે. અને આ જ કારણોસર વાંસની લાકડીથી બનેલી અગરબત્તીનો ઉપયોગ નથી કરવામાં આવતો.     




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .