જાણો શા માટે વાંસથી બનેલી અગરબત્તીનો નથી કરવામાં આવતો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:12:55

ભગવાનની પૂજા દરમિયાન પૂજાની અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે અગરબત્તીનો ઉપયોગ કરતા હોઈએ છીએ.  ભગવાન સમક્ષ ધૂપ-અગરબત્તી, દીપ પ્રગટાવવામાં આવે છે. અનેક લોકો માને છે કે ઘરમાં અગરબત્તી કરવાથી ઘરમાં પોઝિટીવ એનર્જીનો વાસ રહે છે પરંતુ વાસ્તુમાં વાંસની અગરબત્તી કરવાને નિષેધ ગણવામાં આવી છે.    

અગરબત્તી ધૂપ વિશે વિસ્તૃત જાણકારી | Detailed information about agarbatti  incense

વાંસથી બનેલી અગરબત્તીનો ન કરવો જોઈએ ઉપયોગ 

એવું માનવામાં આવે છે કે અગરબત્તી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે. અગરબત્તીને પ્રગટવાનું શુભ માનવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો હવામાં રહેલા જીવાણુંનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં અગરબત્તી કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પરંતુ વાંસથી બનેલી અગરબત્તીનો ઉપયોગ કરવાનું નિષેધ માનવામાં આવ્યું છે. 


વંશ પર પડે છે આની અસર  

વાંસની અગરબત્તી કરવાને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લગ્ન-વિવાહના કાર્યક્રમમાં મંડપ બનાવવામાં વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ લાકડીથી અગરબત્તી બનતી હોય છે. પૂજામાં વાંસની અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે તો પૂજાને અશુભ માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોના અનુસાર વાંસની લાકડીને પ્રગટાવવામાં આવે તો વંશની વૃદ્ધિ થતી નથી. તેનાથી ઘરની બરકત ઘટે છે. અને આ જ કારણોસર વાંસની લાકડીથી બનેલી અગરબત્તીનો ઉપયોગ નથી કરવામાં આવતો.     




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.