જાણો મંદિરમાં અને પૂજા દરમિયાન કેમ કરવામાં આવે છે ઘંટનાદ?


  • Published By :
  • Published Date : 2022-11-25 14:22:48

હિંદુ ધર્મમાં દરેક વસ્તુને મહત્વ આપવામાં આવ્યું છે. અનેક વસ્તુઓનો પૂજામાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે પૂજા દરમિયાન ઘંટડી વગાડતા હોઈએ છીએ. ઘંટડીનો નાદ કર્યા વગર પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઘરમાં પણ ઘંટડી રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનું આગમન થાય છે.

આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘંટડીનો નાદ અવશ્ય કરતા હોઈએ છીએ. ઉપરાંત પૂજા કરતી વખતે પણ ઘંટનો નાદ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ ભગવાનને પ્રિય હોય છે. ઘંટનો નાદ કરવાથી શુભતા ઘરમાં આવે છે ઉપરાંત વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઘંટડીના રણકારથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત આધ્યાત્મિકતા પણ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે મંદિરમાં જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ તો મૂર્તિની ચેતનામાં વધારો થાય છે. મૂર્તિનું તેજ વધે છે.

પૂજા ઘરની આ ગરુડ ઘંટડી ધરાવે છે 10 રહસ્યો, જેનાથી તમને


એટલા જ માટે મંદિરોમાં ઘંટ મૂકવામાં આવે છે. આપણે જેમ કોઈના ઘરે જઈએ છીએ તો પહેલા ડોર બેલ વગાડીએ છીએ. તેવી જ રીતે મંદિરમાં દર્શન કરતી પહેલા ઘંટ વગાડવો જોઈએ. ઘંટને આપણી હાજરી ચિન્હ પણ માની શકાય. એવું પણ માનવામાં આવે છે કે જો તમે ઘંટ વગાડો છો તો તમારી હાજરીની નોંધ ભગવાન દ્વારા લેવામાં આવે છે. ઉપરાંત ભગવાન સંમક્ષ જ્યારે પણ નૈવેદ્યનો ભોગ લગાવામાં આવે છે તે દરમિયાન પણ ઘંટનાદ કરવામાં આવે છે. 

इस वजह से मंदिर या घरों में रखी जाती है घंटी | NewsTrack Hindi 1

ઘંટડી વગાડતી વખતે ‘આગમાર્થન્તુ દેવાનામ્ ગમનાર્થન્તુ ચ રાક્ષસામ્’ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે જ્યારે પણ આપણે ઘંટડીને વગાડી છીએ તેના કારણે દેવતાનું આગમન થાય છે અને રાક્ષસો ચાલ્યા જાય છે. ઘંટડીનો નાદ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વ્યાપી ઉઠે છે. ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે જ્યારે આપણે ઘંટરવ કરતા હોઈએ છીએ તે દરમિયાન તેમાંથી જે ધ્વનિ એટલે કે તરંગો નિકળે છે તેનાથી વાતાવરણમાં રહેલા કિટાણુનો નાશ થાય છે. ઘંટની સાથે સાથે શંખ નાદ પણ કરવામાં આવે છે. ઘંટ નાદ વગર દરેક પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઉપરાંત આરતી દરમિયાન તો ઘંટનાદ અવશ્ય કરવો જોઈએ. ઘંટનો ઉપયોગ કરતા પહેલા ઘંટની પૂજા કરવી જોઈએ. ઘંટને તિલક અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. 




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .