જાણો મંદિરમાં અને પૂજા દરમિયાન કેમ કરવામાં આવે છે ઘંટનાદ?


  • Published By :
  • Published Date : 2022-11-25 14:22:48

હિંદુ ધર્મમાં દરેક વસ્તુને મહત્વ આપવામાં આવ્યું છે. અનેક વસ્તુઓનો પૂજામાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે પૂજા દરમિયાન ઘંટડી વગાડતા હોઈએ છીએ. ઘંટડીનો નાદ કર્યા વગર પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઘરમાં પણ ઘંટડી રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનું આગમન થાય છે.

આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘંટડીનો નાદ અવશ્ય કરતા હોઈએ છીએ. ઉપરાંત પૂજા કરતી વખતે પણ ઘંટનો નાદ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ ભગવાનને પ્રિય હોય છે. ઘંટનો નાદ કરવાથી શુભતા ઘરમાં આવે છે ઉપરાંત વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઘંટડીના રણકારથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત આધ્યાત્મિકતા પણ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે મંદિરમાં જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ તો મૂર્તિની ચેતનામાં વધારો થાય છે. મૂર્તિનું તેજ વધે છે.

પૂજા ઘરની આ ગરુડ ઘંટડી ધરાવે છે 10 રહસ્યો, જેનાથી તમને


એટલા જ માટે મંદિરોમાં ઘંટ મૂકવામાં આવે છે. આપણે જેમ કોઈના ઘરે જઈએ છીએ તો પહેલા ડોર બેલ વગાડીએ છીએ. તેવી જ રીતે મંદિરમાં દર્શન કરતી પહેલા ઘંટ વગાડવો જોઈએ. ઘંટને આપણી હાજરી ચિન્હ પણ માની શકાય. એવું પણ માનવામાં આવે છે કે જો તમે ઘંટ વગાડો છો તો તમારી હાજરીની નોંધ ભગવાન દ્વારા લેવામાં આવે છે. ઉપરાંત ભગવાન સંમક્ષ જ્યારે પણ નૈવેદ્યનો ભોગ લગાવામાં આવે છે તે દરમિયાન પણ ઘંટનાદ કરવામાં આવે છે. 

इस वजह से मंदिर या घरों में रखी जाती है घंटी | NewsTrack Hindi 1

ઘંટડી વગાડતી વખતે ‘આગમાર્થન્તુ દેવાનામ્ ગમનાર્થન્તુ ચ રાક્ષસામ્’ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે જ્યારે પણ આપણે ઘંટડીને વગાડી છીએ તેના કારણે દેવતાનું આગમન થાય છે અને રાક્ષસો ચાલ્યા જાય છે. ઘંટડીનો નાદ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વ્યાપી ઉઠે છે. ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે જ્યારે આપણે ઘંટરવ કરતા હોઈએ છીએ તે દરમિયાન તેમાંથી જે ધ્વનિ એટલે કે તરંગો નિકળે છે તેનાથી વાતાવરણમાં રહેલા કિટાણુનો નાશ થાય છે. ઘંટની સાથે સાથે શંખ નાદ પણ કરવામાં આવે છે. ઘંટ નાદ વગર દરેક પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઉપરાંત આરતી દરમિયાન તો ઘંટનાદ અવશ્ય કરવો જોઈએ. ઘંટનો ઉપયોગ કરતા પહેલા ઘંટની પૂજા કરવી જોઈએ. ઘંટને તિલક અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.