જાણો મંદિરમાં અને પૂજા દરમિયાન કેમ કરવામાં આવે છે ઘંટનાદ?


  • Published By :
  • Published Date : 2022-11-25 14:22:48

હિંદુ ધર્મમાં દરેક વસ્તુને મહત્વ આપવામાં આવ્યું છે. અનેક વસ્તુઓનો પૂજામાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે પૂજા દરમિયાન ઘંટડી વગાડતા હોઈએ છીએ. ઘંટડીનો નાદ કર્યા વગર પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઘરમાં પણ ઘંટડી રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનું આગમન થાય છે.

આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘંટડીનો નાદ અવશ્ય કરતા હોઈએ છીએ. ઉપરાંત પૂજા કરતી વખતે પણ ઘંટનો નાદ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે ઘંટડીનો નાદ ભગવાનને પ્રિય હોય છે. ઘંટનો નાદ કરવાથી શુભતા ઘરમાં આવે છે ઉપરાંત વાતાવરણ પણ શુદ્ધ બને છે. ઘંટડીના રણકારથી માનસિક શાંતિ મળે છે ઉપરાંત આધ્યાત્મિકતા પણ વધે છે. એવું પણ માનવામાં આવે છે કે મંદિરમાં જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ તો મૂર્તિની ચેતનામાં વધારો થાય છે. મૂર્તિનું તેજ વધે છે.

પૂજા ઘરની આ ગરુડ ઘંટડી ધરાવે છે 10 રહસ્યો, જેનાથી તમને


એટલા જ માટે મંદિરોમાં ઘંટ મૂકવામાં આવે છે. આપણે જેમ કોઈના ઘરે જઈએ છીએ તો પહેલા ડોર બેલ વગાડીએ છીએ. તેવી જ રીતે મંદિરમાં દર્શન કરતી પહેલા ઘંટ વગાડવો જોઈએ. ઘંટને આપણી હાજરી ચિન્હ પણ માની શકાય. એવું પણ માનવામાં આવે છે કે જો તમે ઘંટ વગાડો છો તો તમારી હાજરીની નોંધ ભગવાન દ્વારા લેવામાં આવે છે. ઉપરાંત ભગવાન સંમક્ષ જ્યારે પણ નૈવેદ્યનો ભોગ લગાવામાં આવે છે તે દરમિયાન પણ ઘંટનાદ કરવામાં આવે છે. 

इस वजह से मंदिर या घरों में रखी जाती है घंटी | NewsTrack Hindi 1

ઘંટડી વગાડતી વખતે ‘આગમાર્થન્તુ દેવાનામ્ ગમનાર્થન્તુ ચ રાક્ષસામ્’ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે જ્યારે પણ આપણે ઘંટડીને વગાડી છીએ તેના કારણે દેવતાનું આગમન થાય છે અને રાક્ષસો ચાલ્યા જાય છે. ઘંટડીનો નાદ કરવાથી વાતાવરણમાં સકારાત્મકતા વ્યાપી ઉઠે છે. ઘંટડી વગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે કે જ્યારે આપણે ઘંટરવ કરતા હોઈએ છીએ તે દરમિયાન તેમાંથી જે ધ્વનિ એટલે કે તરંગો નિકળે છે તેનાથી વાતાવરણમાં રહેલા કિટાણુનો નાશ થાય છે. ઘંટની સાથે સાથે શંખ નાદ પણ કરવામાં આવે છે. ઘંટ નાદ વગર દરેક પૂજા અધૂરી ગણવામાં આવે છે. ઉપરાંત આરતી દરમિયાન તો ઘંટનાદ અવશ્ય કરવો જોઈએ. ઘંટનો ઉપયોગ કરતા પહેલા ઘંટની પૂજા કરવી જોઈએ. ઘંટને તિલક અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.