જાણો શા માટે શંખની પૂજા કરવાથી મળે છે માતા લક્ષ્મીના આશીર્વાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-10 17:32:29

હિંદુ ધર્મમાં શંખને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મંથન બાદ અનેક વસ્તુઓ નિકળી હતી. તેમાંથી શંખ પણ નીકળ્યો હતો. સાથે સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા. શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખને સ્થાન અપાય છે તે ઘરમાં કદી લક્ષ્મી ખૂટતી નથી. એ ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે.

ભગવાન શિવના આદેશ પર ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું શ્રીરામચરિતમાનસ, કાશીના  વિદ્વાનોએ પણ માની લીધી આ ગ્રંથની મહિમા | Ramcharit Manas, Goswami Tulsidas,  Hindu ...

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હાથમાં શંખ ધારણ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શંખને ધારણ કર્યો હતો જેનું નામ પંચજન્ય હતું. લક્ષ્મીનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે. એક જગ્યા પર લાંબા સમય સુધી તેઓ ટકતા નથી. એવું માનવામાં આવે છે જ્યાં ભગવાન નારાયણની અને શંખની પૂજા કરવામાં આવે તે ઘર પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. 

घर में इस दिन रखें ''दक्षिणावर्ती शंख'', धन से भरी रहेगी आपकी तिजोरी | Hari  Bhoomi

જ્યારે પૂજા હોય ત્યારે શંખની પૂજા પણ કરવામાં આવે છે. શંખને પણ દેવતા માનવામાં આવે છે. દરેક મંદિરમાં શંખને સ્થાન આપવામાં આવે છે. ઘંટની સાથે સાથે મંદિરોમાં પણ શંખને રખાય છે. આરતી પૂર્વે પણ શંખનાદ કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ શંખને આરતીની પ્રદક્ષિણા કરાવી ભક્તો પર છાંટવામાં આવે છે. 

શું છે નિર્જળા એકાદશી? જાણો તેના મહત્વ અને ઉપવાસની વિધિ..

અનેક દેવતાઓ પર અભિષેક પણ શંખ દ્વારા કરવામાં આવે છે. શંખમાં રાખેલા જળને એકદમ પવિત્ર માનવામાં આવે છે. શંખમાં રહેલા રાસાયણિક તત્વોને કારણે અનેક બિમારીઓ પણ દૂર થાય છે. શંખ વગાડવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે. ઉપરાંત જે ઘરમાં રોજે શંખનાદ કરવામાં આવે છે તે ઘરમાં આસુરી શક્તિ તેમજ નકારાત્મકા આવતી નથી. 




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.