જાણો શા માટે શંખની પૂજા કરવાથી મળે છે માતા લક્ષ્મીના આશીર્વાદ?


  • Published By :
  • Published Date : 2022-12-10 17:32:29

હિંદુ ધર્મમાં શંખને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મંથન બાદ અનેક વસ્તુઓ નિકળી હતી. તેમાંથી શંખ પણ નીકળ્યો હતો. સાથે સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા. શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખને સ્થાન અપાય છે તે ઘરમાં કદી લક્ષ્મી ખૂટતી નથી. એ ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે.

ભગવાન શિવના આદેશ પર ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું શ્રીરામચરિતમાનસ, કાશીના  વિદ્વાનોએ પણ માની લીધી આ ગ્રંથની મહિમા | Ramcharit Manas, Goswami Tulsidas,  Hindu ...

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હાથમાં શંખ ધારણ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શંખને ધારણ કર્યો હતો જેનું નામ પંચજન્ય હતું. લક્ષ્મીનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે. એક જગ્યા પર લાંબા સમય સુધી તેઓ ટકતા નથી. એવું માનવામાં આવે છે જ્યાં ભગવાન નારાયણની અને શંખની પૂજા કરવામાં આવે તે ઘર પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. 

घर में इस दिन रखें ''दक्षिणावर्ती शंख'', धन से भरी रहेगी आपकी तिजोरी | Hari  Bhoomi

જ્યારે પૂજા હોય ત્યારે શંખની પૂજા પણ કરવામાં આવે છે. શંખને પણ દેવતા માનવામાં આવે છે. દરેક મંદિરમાં શંખને સ્થાન આપવામાં આવે છે. ઘંટની સાથે સાથે મંદિરોમાં પણ શંખને રખાય છે. આરતી પૂર્વે પણ શંખનાદ કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ શંખને આરતીની પ્રદક્ષિણા કરાવી ભક્તો પર છાંટવામાં આવે છે. 

શું છે નિર્જળા એકાદશી? જાણો તેના મહત્વ અને ઉપવાસની વિધિ..

અનેક દેવતાઓ પર અભિષેક પણ શંખ દ્વારા કરવામાં આવે છે. શંખમાં રાખેલા જળને એકદમ પવિત્ર માનવામાં આવે છે. શંખમાં રહેલા રાસાયણિક તત્વોને કારણે અનેક બિમારીઓ પણ દૂર થાય છે. શંખ વગાડવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે. ઉપરાંત જે ઘરમાં રોજે શંખનાદ કરવામાં આવે છે તે ઘરમાં આસુરી શક્તિ તેમજ નકારાત્મકા આવતી નથી. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.