જાણો શા માટે શંખની પૂજા કરવાથી મળે છે માતા લક્ષ્મીના આશીર્વાદ?


  • Published By :
  • Published Date : 2022-12-10 17:32:29

હિંદુ ધર્મમાં શંખને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મંથન બાદ અનેક વસ્તુઓ નિકળી હતી. તેમાંથી શંખ પણ નીકળ્યો હતો. સાથે સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા. શંખને લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખને સ્થાન અપાય છે તે ઘરમાં કદી લક્ષ્મી ખૂટતી નથી. એ ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે.

ભગવાન શિવના આદેશ પર ગોસ્વામી તુલસીદાસે લખ્યું હતું શ્રીરામચરિતમાનસ, કાશીના  વિદ્વાનોએ પણ માની લીધી આ ગ્રંથની મહિમા | Ramcharit Manas, Goswami Tulsidas,  Hindu ...

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ હાથમાં શંખ ધારણ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શંખને ધારણ કર્યો હતો જેનું નામ પંચજન્ય હતું. લક્ષ્મીનો સ્વભાવ એકદમ ચંચળ હોય છે. એક જગ્યા પર લાંબા સમય સુધી તેઓ ટકતા નથી. એવું માનવામાં આવે છે જ્યાં ભગવાન નારાયણની અને શંખની પૂજા કરવામાં આવે તે ઘર પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શંખ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. 

घर में इस दिन रखें ''दक्षिणावर्ती शंख'', धन से भरी रहेगी आपकी तिजोरी | Hari  Bhoomi

જ્યારે પૂજા હોય ત્યારે શંખની પૂજા પણ કરવામાં આવે છે. શંખને પણ દેવતા માનવામાં આવે છે. દરેક મંદિરમાં શંખને સ્થાન આપવામાં આવે છે. ઘંટની સાથે સાથે મંદિરોમાં પણ શંખને રખાય છે. આરતી પૂર્વે પણ શંખનાદ કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ શંખને આરતીની પ્રદક્ષિણા કરાવી ભક્તો પર છાંટવામાં આવે છે. 

શું છે નિર્જળા એકાદશી? જાણો તેના મહત્વ અને ઉપવાસની વિધિ..

અનેક દેવતાઓ પર અભિષેક પણ શંખ દ્વારા કરવામાં આવે છે. શંખમાં રાખેલા જળને એકદમ પવિત્ર માનવામાં આવે છે. શંખમાં રહેલા રાસાયણિક તત્વોને કારણે અનેક બિમારીઓ પણ દૂર થાય છે. શંખ વગાડવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે. ઉપરાંત જે ઘરમાં રોજે શંખનાદ કરવામાં આવે છે તે ઘરમાં આસુરી શક્તિ તેમજ નકારાત્મકા આવતી નથી. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.