જાણો કેમ CBI કરી રહી છે મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:27:01

સત્યપાલ મલિક ગત બે વર્ષથી કેન્દ્રની મોદી સરકાર સામે અનેક નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત આંદોલન બાદ તો સત્યપાલ મિલેક સીધા પ્રધાનમંત્રી મોદી પર જ આરોપ લગાવી રહ્યા હતા. હવે કેન્દ્ર સરકારના આદેશથી સીબીઆઈ સત્યપાલ મલિકની 300 કરોડની લાંચ કેસમાં પૂછપરછ કરી રહી છે. જાણો સમગ્ર વિગત...


બિહાર, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યાપાલ મલિકની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. 4 ઓક્ટોબરે સત્યપાલ મલિકે પોતાનો પાંચ વર્ષનો રાજ્યપાલ પદનો કાર્યભાર પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ ગત બે દિવસથી સીબીઆઈ તેમના કાર્યાલય પર છાપા મારી પૂછપરછ કરી રહી છે. 


સરકાર સામે અવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી 

સત્યપાલ મલિક ગત 2 વર્ષથી જાહેરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. પંજાબ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ તેઓ સરેઆમ મોદી સરકારની આલોચના કરતા નજરે પડતા હતા. જાહેર મંચ પરથી અનેકવાર સત્યપાલ મલિકે મોદી સરકાર પર બેફામ નિવેદનો આપ્યા હતા. ગત બે દિવસથી સત્યપાલ મલિક પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી 300 કરોડની લાંચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.


સત્યપાલ મલિક પર કેટલા આક્ષેપ લગાવ્યા છે?

સીબીઆઈએ સત્યપાલ મલિક પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેના કારણે બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં સરકારી કર્મચારી માટે એક સામુહિક વીમા યોજના અને પૂર્વવર્તી રાજ્યમાં જળવિદ્યુત યોજના સંબંધિત 2200 કરોડ રૂપિયાના સિવિલ કામગીરીમાં ઠેકો લેવા મામલે આક્ષેપો લાગ્યા છે. 


 

  



  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .