જાણો કેમ CBI કરી રહી છે મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:27:01

સત્યપાલ મલિક ગત બે વર્ષથી કેન્દ્રની મોદી સરકાર સામે અનેક નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત આંદોલન બાદ તો સત્યપાલ મિલેક સીધા પ્રધાનમંત્રી મોદી પર જ આરોપ લગાવી રહ્યા હતા. હવે કેન્દ્ર સરકારના આદેશથી સીબીઆઈ સત્યપાલ મલિકની 300 કરોડની લાંચ કેસમાં પૂછપરછ કરી રહી છે. જાણો સમગ્ર વિગત...


બિહાર, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યાપાલ મલિકની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. 4 ઓક્ટોબરે સત્યપાલ મલિકે પોતાનો પાંચ વર્ષનો રાજ્યપાલ પદનો કાર્યભાર પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ ગત બે દિવસથી સીબીઆઈ તેમના કાર્યાલય પર છાપા મારી પૂછપરછ કરી રહી છે. 


સરકાર સામે અવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી 

સત્યપાલ મલિક ગત 2 વર્ષથી જાહેરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. પંજાબ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ તેઓ સરેઆમ મોદી સરકારની આલોચના કરતા નજરે પડતા હતા. જાહેર મંચ પરથી અનેકવાર સત્યપાલ મલિકે મોદી સરકાર પર બેફામ નિવેદનો આપ્યા હતા. ગત બે દિવસથી સત્યપાલ મલિક પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી 300 કરોડની લાંચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.


સત્યપાલ મલિક પર કેટલા આક્ષેપ લગાવ્યા છે?

સીબીઆઈએ સત્યપાલ મલિક પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેના કારણે બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં સરકારી કર્મચારી માટે એક સામુહિક વીમા યોજના અને પૂર્વવર્તી રાજ્યમાં જળવિદ્યુત યોજના સંબંધિત 2200 કરોડ રૂપિયાના સિવિલ કામગીરીમાં ઠેકો લેવા મામલે આક્ષેપો લાગ્યા છે. 


 

  



  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે