જાણો કેમ CBI કરી રહી છે મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:27:01

સત્યપાલ મલિક ગત બે વર્ષથી કેન્દ્રની મોદી સરકાર સામે અનેક નિવેદનો આપી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત આંદોલન બાદ તો સત્યપાલ મિલેક સીધા પ્રધાનમંત્રી મોદી પર જ આરોપ લગાવી રહ્યા હતા. હવે કેન્દ્ર સરકારના આદેશથી સીબીઆઈ સત્યપાલ મલિકની 300 કરોડની લાંચ કેસમાં પૂછપરછ કરી રહી છે. જાણો સમગ્ર વિગત...


બિહાર, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યાપાલ મલિકની સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. 4 ઓક્ટોબરે સત્યપાલ મલિકે પોતાનો પાંચ વર્ષનો રાજ્યપાલ પદનો કાર્યભાર પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ ગત બે દિવસથી સીબીઆઈ તેમના કાર્યાલય પર છાપા મારી પૂછપરછ કરી રહી છે. 


સરકાર સામે અવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી 

સત્યપાલ મલિક ગત 2 વર્ષથી જાહેરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા. પંજાબ ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ તેઓ સરેઆમ મોદી સરકારની આલોચના કરતા નજરે પડતા હતા. જાહેર મંચ પરથી અનેકવાર સત્યપાલ મલિકે મોદી સરકાર પર બેફામ નિવેદનો આપ્યા હતા. ગત બે દિવસથી સત્યપાલ મલિક પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી 300 કરોડની લાંચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.


સત્યપાલ મલિક પર કેટલા આક્ષેપ લગાવ્યા છે?

સીબીઆઈએ સત્યપાલ મલિક પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તેના કારણે બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં સરકારી કર્મચારી માટે એક સામુહિક વીમા યોજના અને પૂર્વવર્તી રાજ્યમાં જળવિદ્યુત યોજના સંબંધિત 2200 કરોડ રૂપિયાના સિવિલ કામગીરીમાં ઠેકો લેવા મામલે આક્ષેપો લાગ્યા છે. 


 

  



  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.