જાણો શા માટે 26 નવેમ્બરના રોજ ઉજવાય છે સંવિધાન દિવસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-26 10:29:12

26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને મળેલા સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સંવિધાનને દુનિયાનું સૌથી મોટું સંવિધાન માનવામાં આવે છે. આપણને મળતા તમામ અધિકાર આપણા આ સંવિધાનમાં સુરક્ષિત છે. સંવિધાન રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. દરેક નાગરીકને પોતાના અધિકારની જાણકારી મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જોઈએ સંવિધાનનું મહત્વ.

BR Ambedkar: Father of our Constitution and radical social thinker – The  Leaflet

संविधान दिवस 2022 | Constitution Day of India Messages, SMS, Shayari,  Status, Images

ભારતને આઝાદી મળ્યા બાદ દેશને કેવી રીતે ચલાવવો તે માટે સંવિધાનની રચના કરવામાં આવી હતી. ભારતે ઓપચારીક રીતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ તેની અમલી કરવામાં આવી હતી. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત બે વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. બંધારણ બનાવામાં સૌથી મોટો ફાળો ડો.ભીમરાવ આંબેડકરનો અને તેમની ટીમનો માનવામાં આવે છે. આ સંવિધાનમાં મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવી છે, મતાધિકાર કયા વર્ષે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી છે, ધર્મ નિરેપક્ષ, સાર્વભૌમત્વ જનતાના હાથમાં, એક જ નાગરિકતા વગેરેની ચર્ચા કરવામાં આવી છે.

ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ , જાણો સંવિધાન વિશે


ભારતના સંવિધાનની અનેક વિશિષ્ઠાઓ છે. ત્યારે સંવિધાન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી મોટુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. આપણા સંવિધાનને વિવિધ દેશોના સંવિધાનમાંથી બનાવામાં આવ્યું છે. આપણા સંવિધાનની ઓરિજીનલ કોપી ટાઈપ થયેલી નથી. આપણા સંવિધાનને પ્રેમ નારાયણ રાયજાદાએ પોતાના હાથથી લખ્યું છે. સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવી છે. ઉપરાંત સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. સંવિધાનમાં કુલ 145000 શબ્દો છે.  સંવિધાન દિવસ પર નરેન્દ્ર મોદીએ સંવિધાનના ઘડવૈયાને યાદ કર્યા છે. 




અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.