જાણો શા માટે 26 નવેમ્બરના રોજ ઉજવાય છે સંવિધાન દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-26 10:29:12

26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને મળેલા સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સંવિધાનને દુનિયાનું સૌથી મોટું સંવિધાન માનવામાં આવે છે. આપણને મળતા તમામ અધિકાર આપણા આ સંવિધાનમાં સુરક્ષિત છે. સંવિધાન રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. દરેક નાગરીકને પોતાના અધિકારની જાણકારી મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જોઈએ સંવિધાનનું મહત્વ.

BR Ambedkar: Father of our Constitution and radical social thinker – The  Leaflet

संविधान दिवस 2022 | Constitution Day of India Messages, SMS, Shayari,  Status, Images

ભારતને આઝાદી મળ્યા બાદ દેશને કેવી રીતે ચલાવવો તે માટે સંવિધાનની રચના કરવામાં આવી હતી. ભારતે ઓપચારીક રીતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ તેની અમલી કરવામાં આવી હતી. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત બે વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. બંધારણ બનાવામાં સૌથી મોટો ફાળો ડો.ભીમરાવ આંબેડકરનો અને તેમની ટીમનો માનવામાં આવે છે. આ સંવિધાનમાં મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવી છે, મતાધિકાર કયા વર્ષે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી છે, ધર્મ નિરેપક્ષ, સાર્વભૌમત્વ જનતાના હાથમાં, એક જ નાગરિકતા વગેરેની ચર્ચા કરવામાં આવી છે.

ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ , જાણો સંવિધાન વિશે


ભારતના સંવિધાનની અનેક વિશિષ્ઠાઓ છે. ત્યારે સંવિધાન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી મોટુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. આપણા સંવિધાનને વિવિધ દેશોના સંવિધાનમાંથી બનાવામાં આવ્યું છે. આપણા સંવિધાનની ઓરિજીનલ કોપી ટાઈપ થયેલી નથી. આપણા સંવિધાનને પ્રેમ નારાયણ રાયજાદાએ પોતાના હાથથી લખ્યું છે. સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવી છે. ઉપરાંત સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. સંવિધાનમાં કુલ 145000 શબ્દો છે.  સંવિધાન દિવસ પર નરેન્દ્ર મોદીએ સંવિધાનના ઘડવૈયાને યાદ કર્યા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.