જાણો શા માટે 26 નવેમ્બરના રોજ ઉજવાય છે સંવિધાન દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-26 10:29:12

26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણને મળેલા સંવૈધાનિક મૂલ્યોને પ્રોત્સાહન મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સંવિધાનને દુનિયાનું સૌથી મોટું સંવિધાન માનવામાં આવે છે. આપણને મળતા તમામ અધિકાર આપણા આ સંવિધાનમાં સુરક્ષિત છે. સંવિધાન રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. દરેક નાગરીકને પોતાના અધિકારની જાણકારી મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જોઈએ સંવિધાનનું મહત્વ.

BR Ambedkar: Father of our Constitution and radical social thinker – The  Leaflet

संविधान दिवस 2022 | Constitution Day of India Messages, SMS, Shayari,  Status, Images

ભારતને આઝાદી મળ્યા બાદ દેશને કેવી રીતે ચલાવવો તે માટે સંવિધાનની રચના કરવામાં આવી હતી. ભારતે ઓપચારીક રીતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવ્યું હતું. જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ તેની અમલી કરવામાં આવી હતી. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત બે વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. બંધારણ બનાવામાં સૌથી મોટો ફાળો ડો.ભીમરાવ આંબેડકરનો અને તેમની ટીમનો માનવામાં આવે છે. આ સંવિધાનમાં મૂળભૂત અધિકારની ચર્ચા કરવામાં આવી છે, મતાધિકાર કયા વર્ષે કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી છે, ધર્મ નિરેપક્ષ, સાર્વભૌમત્વ જનતાના હાથમાં, એક જ નાગરિકતા વગેરેની ચર્ચા કરવામાં આવી છે.

ભારતનું સંવિધાન(બંધારણ) 26 નવેમ્બરના રોજ બન્યુ હતુ , જાણો સંવિધાન વિશે


ભારતના સંવિધાનની અનેક વિશિષ્ઠાઓ છે. ત્યારે સંવિધાન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ. ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી મોટુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. આપણા સંવિધાનને વિવિધ દેશોના સંવિધાનમાંથી બનાવામાં આવ્યું છે. આપણા સંવિધાનની ઓરિજીનલ કોપી ટાઈપ થયેલી નથી. આપણા સંવિધાનને પ્રેમ નારાયણ રાયજાદાએ પોતાના હાથથી લખ્યું છે. સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવામાં આવી છે. ઉપરાંત સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. સંવિધાનમાં કુલ 145000 શબ્દો છે.  સંવિધાન દિવસ પર નરેન્દ્ર મોદીએ સંવિધાનના ઘડવૈયાને યાદ કર્યા છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.