જાણો શા માટે માતા પાર્વતી કરે છે સિંહની સવારી?


  • Published By :
  • Published Date : 2022-12-12 17:06:15

દરેક દેવી-દેવતાઓના પોત પોતાના વાહન હોય છે. ભગવાન શંકર નંદી પર સવાર હોય છે. વિષ્ણુ ભગવાન ગરૂડ પર સવાર હોય છે. ભગવાન ગણેશનું વાહન મૂષક એટલે કે ઉંદર છે. ત્યારે દેવી પાર્વતીનું વાહન સિંહ છે. ત્યારે આજે જાણીએ સિંહ દેવી પાર્વતીનું વાહન કેવી રીતે બન્યું.

Shiva Parvati Kali Durga Puja, PNG, 1032x1066px, Shiva, Art, Carnival,  Deity, Devi Download Free

આપણા શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા તેમજ તેમની પત્ની બનવા માતા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. આ તપના ફળ સ્વરૂપે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીના પતિ બન્યા. જ્યારે માતાજી તપ કરતા હતા તે દરમિયાન ભૂખ્યો થયેલો સિંહ શિકારની તપાસમાં ત્યાં આવી પહોંચ્યો. દેવી પાર્વતીને ધ્યાનમાં જોઈ સિંહ પણ ત્યાં રાહ જોવા લાગ્યો. તપમાં મગ્ન પાર્વતીજીનું તેજ એટલું બધું હતું કે સિંહ તેમની પાસે આવી શક્યો ન હતો.

માતા પાર્વતી કઠોર તપ કરી રહ્યા હતા. અનેક વર્ષો સુધી તપમાં લીન થવાને કારણે તેઓ શ્યામ વર્ણના થઈ ગયા. અનેક વર્ષો સુધી તેમનું તપ ચાલ્યું. અંતે ભગવાન શંકર તેમની ભક્તિ તેમજ તપને કારણે પ્રસન્ન થયા. ભગવાન શંકર માતાજીની સામે પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા. ઉપરાંત નદીમાં સ્નાન કરવા કહ્યું. માતાજીએ જ્યારે નદીમાં સ્નાન કર્યું ત્યારે તેમનું શ્વેત વર્ણ પાછું આવી ગયું. અને તેઓ ગોરી કહેવાય.

Gupt Navratri: How A Lion Became The Vahana Of The Goddess - Boldsky.com

જ્યારે માતાજી પરત ફરી રહ્યા હતા તે સમયે દેવીની નજર શિકારની તલાશમાં આવેલા પેલા સિંહ પર પડી. માતાજીએ શિવજીને આ સિંહને આશીર્વાદ આપવા માટે કહ્યું. શિવજી પ્રગટ થયા અને માતાજીએ કહ્યું હું જ્યારથી તપ કરી રહી છું તે સમયથી આ સિંહ પર અહીં તપસ્યા કરી રહ્યો છે. આ સિંહને મારૂ વાહન બનાવા માતાજીએ ઈચ્છા પ્રગટ કરી. વરદાન મળતા સિંહ માતાજીનું વાહન બની ગયું. માતાજી સિંહ પર બીરાજમાન થયા તે માટે તેઓ શેરાવાલીના નામે ઓળખાયા.

અહીં આપેલી માહિતી વાર્તાઓ તેમજ પ્રચલિત દંતકથા પર આધારિત છે. 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.