જાણો શા માટે માતા પાર્વતી કરે છે સિંહની સવારી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-12 17:06:15

દરેક દેવી-દેવતાઓના પોત પોતાના વાહન હોય છે. ભગવાન શંકર નંદી પર સવાર હોય છે. વિષ્ણુ ભગવાન ગરૂડ પર સવાર હોય છે. ભગવાન ગણેશનું વાહન મૂષક એટલે કે ઉંદર છે. ત્યારે દેવી પાર્વતીનું વાહન સિંહ છે. ત્યારે આજે જાણીએ સિંહ દેવી પાર્વતીનું વાહન કેવી રીતે બન્યું.

Shiva Parvati Kali Durga Puja, PNG, 1032x1066px, Shiva, Art, Carnival,  Deity, Devi Download Free

આપણા શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શંકરને પ્રસન્ન કરવા તેમજ તેમની પત્ની બનવા માતા પાર્વતીએ કઠોર તપ કર્યું હતું. આ તપના ફળ સ્વરૂપે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીના પતિ બન્યા. જ્યારે માતાજી તપ કરતા હતા તે દરમિયાન ભૂખ્યો થયેલો સિંહ શિકારની તપાસમાં ત્યાં આવી પહોંચ્યો. દેવી પાર્વતીને ધ્યાનમાં જોઈ સિંહ પણ ત્યાં રાહ જોવા લાગ્યો. તપમાં મગ્ન પાર્વતીજીનું તેજ એટલું બધું હતું કે સિંહ તેમની પાસે આવી શક્યો ન હતો.

માતા પાર્વતી કઠોર તપ કરી રહ્યા હતા. અનેક વર્ષો સુધી તપમાં લીન થવાને કારણે તેઓ શ્યામ વર્ણના થઈ ગયા. અનેક વર્ષો સુધી તેમનું તપ ચાલ્યું. અંતે ભગવાન શંકર તેમની ભક્તિ તેમજ તપને કારણે પ્રસન્ન થયા. ભગવાન શંકર માતાજીની સામે પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા. ઉપરાંત નદીમાં સ્નાન કરવા કહ્યું. માતાજીએ જ્યારે નદીમાં સ્નાન કર્યું ત્યારે તેમનું શ્વેત વર્ણ પાછું આવી ગયું. અને તેઓ ગોરી કહેવાય.

Gupt Navratri: How A Lion Became The Vahana Of The Goddess - Boldsky.com

જ્યારે માતાજી પરત ફરી રહ્યા હતા તે સમયે દેવીની નજર શિકારની તલાશમાં આવેલા પેલા સિંહ પર પડી. માતાજીએ શિવજીને આ સિંહને આશીર્વાદ આપવા માટે કહ્યું. શિવજી પ્રગટ થયા અને માતાજીએ કહ્યું હું જ્યારથી તપ કરી રહી છું તે સમયથી આ સિંહ પર અહીં તપસ્યા કરી રહ્યો છે. આ સિંહને મારૂ વાહન બનાવા માતાજીએ ઈચ્છા પ્રગટ કરી. વરદાન મળતા સિંહ માતાજીનું વાહન બની ગયું. માતાજી સિંહ પર બીરાજમાન થયા તે માટે તેઓ શેરાવાલીના નામે ઓળખાયા.

અહીં આપેલી માહિતી વાર્તાઓ તેમજ પ્રચલિત દંતકથા પર આધારિત છે. 





દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.