જાણો કેમ કર્ણાટકથી ભારત જોડો યાત્રામાં જોડાવાના છે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:40:21

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, જેને લઈ પણ કોંગ્રેસ તૈયારીઓ કરી રહ્યું છે. લોકસભાની સાથે સાથે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પર પણ ધ્યાન આપી રહ્યું છે. આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી, ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કર્ણાટકથી આ યાત્રામાં જોડાવાના છે. 


ભારત જોડો યાત્રામાં સામેલ થશે સોનિયા અને પ્રિયંકા ગાંધી

 30 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચવાની છે જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. મે 2023 કે તેની આસપાસ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ કોંગ્રેસ અત્યારથી સક્રિય થયું છે. તેને ધ્યાનમાં રાખી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કર્ણાટક જવાના છે.  224 બેઠકો  માટે કર્ણાટકમાં મતદાન થવાનું છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. તો કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે હમણાંથી જ કોંગ્રેસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.   

Sonia Gandhi, Priyanka Gandhi Vadra visit Raebareli to thank voters |  Latest News India - Hindustan Times


કર્ણાટકમાં શરૂ થઈ ભારત જોડો યાત્રાના સ્વાગતની તૈયારી  

ભારત જોડો યાત્રાના સ્વાગત માટે કર્ણાટક કોંગ્રેસના અધિકારીઓએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે સોનિયા ગાંધી કોઈ પણ દિવસે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે જ્યારે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં જોડાવાના છે. બોમ્માઈ સરકાર અને આરએસએસ પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી ભાજપ અને સંઘ પરિવારનું એક જ કામ છે - રાહુલ ગાંધીની ઈમેજ ખરાબ કરવી, પણ હવે લોકો સમજી રહ્યા છે કે રાહુલ ગાંધી કોણ છે. આ મુલાકાત ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. 

Ground report: Congress's Bharat Jodo Yatra kicks off from Kanyakumari |  The News Minute

રાહુલના કેન્દ્ર સરકાર પર પ્રહાર  

કેન્દ્ર સરકારને અનેક મુદ્દે ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી રહ્યા છે. તેમજ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાને લઈ ભાજપની સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.  



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.