જાણો કેમ કર્ણાટકથી ભારત જોડો યાત્રામાં જોડાવાના છે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:40:21

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. આગામી સમયમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, જેને લઈ પણ કોંગ્રેસ તૈયારીઓ કરી રહ્યું છે. લોકસભાની સાથે સાથે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પર પણ ધ્યાન આપી રહ્યું છે. આગામી વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી, ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી કર્ણાટકથી આ યાત્રામાં જોડાવાના છે. 


ભારત જોડો યાત્રામાં સામેલ થશે સોનિયા અને પ્રિયંકા ગાંધી

 30 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચવાની છે જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. મે 2023 કે તેની આસપાસ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ કોંગ્રેસ અત્યારથી સક્રિય થયું છે. તેને ધ્યાનમાં રાખી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કર્ણાટક જવાના છે.  224 બેઠકો  માટે કર્ણાટકમાં મતદાન થવાનું છે. હાલ કર્ણાટકમાં ભાજપની સરકાર છે. તો કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે હમણાંથી જ કોંગ્રેસ દ્વારા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.   

Sonia Gandhi, Priyanka Gandhi Vadra visit Raebareli to thank voters |  Latest News India - Hindustan Times


કર્ણાટકમાં શરૂ થઈ ભારત જોડો યાત્રાના સ્વાગતની તૈયારી  

ભારત જોડો યાત્રાના સ્વાગત માટે કર્ણાટક કોંગ્રેસના અધિકારીઓએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે સોનિયા ગાંધી કોઈ પણ દિવસે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે જ્યારે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં જોડાવાના છે. બોમ્માઈ સરકાર અને આરએસએસ પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે છેલ્લા દસ વર્ષથી ભાજપ અને સંઘ પરિવારનું એક જ કામ છે - રાહુલ ગાંધીની ઈમેજ ખરાબ કરવી, પણ હવે લોકો સમજી રહ્યા છે કે રાહુલ ગાંધી કોણ છે. આ મુલાકાત ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. 

Ground report: Congress's Bharat Jodo Yatra kicks off from Kanyakumari |  The News Minute

રાહુલના કેન્દ્ર સરકાર પર પ્રહાર  

કેન્દ્ર સરકારને અનેક મુદ્દે ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી રહ્યા છે. તેમજ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાને લઈ ભાજપની સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.