જાણો શા માટે ગણપતિજીને નથી અર્પણ કરાતા તુલસીના પાન, જાણો તેની પાછળ રહેલો ઈતિહાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-21 16:43:41

આપણા ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તેમજ પ્રસાદી પર તુલસીના પાન અવશ્ય મૂકવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ ભગવાનની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવ્યું છે. 


ગણપતિ સામે તુલસીએ મુક્યો હતો વિવાહનો પ્રસ્તાવ 

પૌરાણીક કથા અનુસાર એક વખત ગંગાના કિનારે ભગવાન ગણપતિ તપ કરી રહ્યા હતા. તે દરમિયાન લગ્નની ઈચ્છતા ધરાવતી તુલસી નામની કન્યા ત્યાંથી પસાર થઈ. ગણેશજી ચંદનનો લેપ લગાવી રત્ન જડિત સિંહાસન પર બેઠા હતા રત્ન અને હીરા જડિત હાર પહેરેલી મનમોહક છબી જોઈને તુલસીજીને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તુલસીજીનું મન તપમાં લીન એવા ગણપિતજીને જોઈને આકર્ષિત થયું. તપમાંથી જગાડીને તુલસીએ ભગવાન ગણપતિ સમક્ષ પોતાનો વિવાહ પ્રસ્તાવ રજૂ કર્યો. તપભંગ થવાથી ભગવાન ગણપતિ ક્રોધિત થયા અને લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ગણપતિના મુખેથી ના સાંભળ્યા બાદ તુલસીજી દુખી થયા અને ક્રોધિત થઈ ભગવાન ગણેશને બે લગ્ન થવાનો શ્રાપ આપી દીધો.


ગણપતિજીની પૂજામાં નથી કરાતો તુલસીનો ઉપયોગ 

તો બીજી તરફ ગણેશજીએ પણ શ્રાપ આપતા તુલસીજીને કહ્યું કે તારા લગ્ન અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળીને તુલસીજીએ ભગવાન ગણેશની માફી માગી. ક્ષમાની પ્રાર્થના સાંભળી ભગવાન ગણેશે તેમને આશીર્વાદ આપતા કહ્યું કે કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે મારી પૂજામાં તુલીસનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ જ કારણોસર ભગવાન ગણપતિને તુલસીનું પાન કર્યારે પણ અર્પણ કરવામાં આવતું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે જ ભૂલમાં પણ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે તો તે પૂજાનું વિશેષ ફળ મળતું નથી. જો યોગ્ય રીતે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તો ભગવાન ગણપતિના આશીર્વાદ હંમેશને માટે ભક્તો પર રહેતા હોય છે.



લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ અનેક ભાષણોમાં આ લીડની વાત નથી થતી!

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?