જાણો શા માટે ગણપતિજીને નથી અર્પણ કરાતા તુલસીના પાન, જાણો તેની પાછળ રહેલો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 16:43:41

આપણા ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તેમજ પ્રસાદી પર તુલસીના પાન અવશ્ય મૂકવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ ભગવાનની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવ્યું છે. 


ગણપતિ સામે તુલસીએ મુક્યો હતો વિવાહનો પ્રસ્તાવ 

પૌરાણીક કથા અનુસાર એક વખત ગંગાના કિનારે ભગવાન ગણપતિ તપ કરી રહ્યા હતા. તે દરમિયાન લગ્નની ઈચ્છતા ધરાવતી તુલસી નામની કન્યા ત્યાંથી પસાર થઈ. ગણેશજી ચંદનનો લેપ લગાવી રત્ન જડિત સિંહાસન પર બેઠા હતા રત્ન અને હીરા જડિત હાર પહેરેલી મનમોહક છબી જોઈને તુલસીજીને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તુલસીજીનું મન તપમાં લીન એવા ગણપિતજીને જોઈને આકર્ષિત થયું. તપમાંથી જગાડીને તુલસીએ ભગવાન ગણપતિ સમક્ષ પોતાનો વિવાહ પ્રસ્તાવ રજૂ કર્યો. તપભંગ થવાથી ભગવાન ગણપતિ ક્રોધિત થયા અને લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ગણપતિના મુખેથી ના સાંભળ્યા બાદ તુલસીજી દુખી થયા અને ક્રોધિત થઈ ભગવાન ગણેશને બે લગ્ન થવાનો શ્રાપ આપી દીધો.


ગણપતિજીની પૂજામાં નથી કરાતો તુલસીનો ઉપયોગ 

તો બીજી તરફ ગણેશજીએ પણ શ્રાપ આપતા તુલસીજીને કહ્યું કે તારા લગ્ન અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળીને તુલસીજીએ ભગવાન ગણેશની માફી માગી. ક્ષમાની પ્રાર્થના સાંભળી ભગવાન ગણેશે તેમને આશીર્વાદ આપતા કહ્યું કે કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે મારી પૂજામાં તુલીસનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ જ કારણોસર ભગવાન ગણપતિને તુલસીનું પાન કર્યારે પણ અર્પણ કરવામાં આવતું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે જ ભૂલમાં પણ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે તો તે પૂજાનું વિશેષ ફળ મળતું નથી. જો યોગ્ય રીતે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તો ભગવાન ગણપતિના આશીર્વાદ હંમેશને માટે ભક્તો પર રહેતા હોય છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .