જાણો શા માટે ગણપતિજીને નથી અર્પણ કરાતા તુલસીના પાન, જાણો તેની પાછળ રહેલો ઈતિહાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 16:43:41

આપણા ધર્મમાં તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તેમજ પ્રસાદી પર તુલસીના પાન અવશ્ય મૂકવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ ભગવાનની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ ગણવામાં આવ્યું છે. 


ગણપતિ સામે તુલસીએ મુક્યો હતો વિવાહનો પ્રસ્તાવ 

પૌરાણીક કથા અનુસાર એક વખત ગંગાના કિનારે ભગવાન ગણપતિ તપ કરી રહ્યા હતા. તે દરમિયાન લગ્નની ઈચ્છતા ધરાવતી તુલસી નામની કન્યા ત્યાંથી પસાર થઈ. ગણેશજી ચંદનનો લેપ લગાવી રત્ન જડિત સિંહાસન પર બેઠા હતા રત્ન અને હીરા જડિત હાર પહેરેલી મનમોહક છબી જોઈને તુલસીજીને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તુલસીજીનું મન તપમાં લીન એવા ગણપિતજીને જોઈને આકર્ષિત થયું. તપમાંથી જગાડીને તુલસીએ ભગવાન ગણપતિ સમક્ષ પોતાનો વિવાહ પ્રસ્તાવ રજૂ કર્યો. તપભંગ થવાથી ભગવાન ગણપતિ ક્રોધિત થયા અને લગ્નના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. ગણપતિના મુખેથી ના સાંભળ્યા બાદ તુલસીજી દુખી થયા અને ક્રોધિત થઈ ભગવાન ગણેશને બે લગ્ન થવાનો શ્રાપ આપી દીધો.


ગણપતિજીની પૂજામાં નથી કરાતો તુલસીનો ઉપયોગ 

તો બીજી તરફ ગણેશજીએ પણ શ્રાપ આપતા તુલસીજીને કહ્યું કે તારા લગ્ન અસુર સાથે થશે. આ શ્રાપ સાંભળીને તુલસીજીએ ભગવાન ગણેશની માફી માગી. ક્ષમાની પ્રાર્થના સાંભળી ભગવાન ગણેશે તેમને આશીર્વાદ આપતા કહ્યું કે કળિયુગમાં તુલસી જીવન અને મોક્ષ આપનારી હશે. પરંતુ સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે મારી પૂજામાં તુલીસનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ જ કારણોસર ભગવાન ગણપતિને તુલસીનું પાન કર્યારે પણ અર્પણ કરવામાં આવતું નથી. અને એવું પણ માનવામાં આવે છે કે જ ભૂલમાં પણ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે તો તે પૂજાનું વિશેષ ફળ મળતું નથી. જો યોગ્ય રીતે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે તો ભગવાન ગણપતિના આશીર્વાદ હંમેશને માટે ભક્તો પર રહેતા હોય છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.