જાણો કેમ 20 નવેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ બાળ દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-20 13:22:45

20 નવેમ્બરને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તમને થતું હશે કે બાળ દિવસ તો 14 નવેમ્બરે ગયો તો આજે કયો બાળ દિવસ છે. આજે પણ બાળ દિવસ છે પરંતુ આજે વિશ્વ બાળ દિવસ છે. ભારતમાં 14 નવેમ્બરે બાળ દિન ઉજવવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે 20 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી આ દિવસને એટલે 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત 1959માં આ તારીખે જ UN General Assemblyએ બાળ અધિકારોની ઘોષણા કરી હતી. આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોનું કલ્યાણ કરવા 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 

World Children's Day 2021: Quotes, wishes, WhatsApp status and messages to  share | Trending & Viral News

બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. બાળકોને પણ અનેક અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બાળકો પોતાને મળેલા હકો અંગે માહિતગાર થાય તે માટે આ દિવસને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળકોના જીવનમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમય વિકસિત થાય ઉપરાંત તેમના જીવનમાં સુધારો આવે તે માટે વૈશ્વિકસ્તરે આ દિવસને મનાવવામાં આવે છે. 

India Gate

ગો બ્લુ કેમ્પેઈન થીમ 

બાળકોના હક માટે વિશ્વસ્તરે અનેક ઓર્ગેનાઈઝેશન કામ કરે છે જેમાં UNICEFનો સમાવેશ થાય છે. આ વર્ષે ગો બ્લુ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનથી બાળકોને સુરક્ષિત અને સારો માહોલ આપવામાં આવશે તે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કેમ્પેઈનને ધ્યાનમાં રાખી ભારતમાં પણ અનેક સ્થળો પર વાદળી લાઈટિંગ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિયા ગેટ, કુતુબ મિનાર,રાષ્ટ્રપતિ ભવન સહિતના અનેક સ્થળો પર આવી રીતે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

A child painting with blue paint using their hands

અલગ દેશોમાં અલગ અલગ અલગ તારીખે મનાવાય છે બાળ દિવસ 

ભારત દેશમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. જવાહરલાલ નહેરૂને બાળકો ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. ચાચા નહેરુને બાળકો પ્રિય હતા. જેને કારણે તેમના જન્મદિવસને  બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતની જેમ બીજા અનેક દેશોમાં અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજજવામાં આવે છે, ઘણા દેશોમાં 1 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે તો ચીનમાં 4 એપ્રિલે બાળ દિવસ મનાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જૂનના બીજા સપ્તાહમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય જર્મનીમાં 20 સપ્ટેમ્બરે, બ્રિટનનમાં 30 ઓગસ્ટના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.    

Children's Day – Remembering Chacha Nehru and his indispensable legacy |  SabrangIndia

   




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?