જાણો કેમ 20 નવેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ બાળ દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-20 13:22:45

20 નવેમ્બરને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તમને થતું હશે કે બાળ દિવસ તો 14 નવેમ્બરે ગયો તો આજે કયો બાળ દિવસ છે. આજે પણ બાળ દિવસ છે પરંતુ આજે વિશ્વ બાળ દિવસ છે. ભારતમાં 14 નવેમ્બરે બાળ દિન ઉજવવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે 20 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી આ દિવસને એટલે 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત 1959માં આ તારીખે જ UN General Assemblyએ બાળ અધિકારોની ઘોષણા કરી હતી. આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોનું કલ્યાણ કરવા 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 

World Children's Day 2021: Quotes, wishes, WhatsApp status and messages to  share | Trending & Viral News

બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. બાળકોને પણ અનેક અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બાળકો પોતાને મળેલા હકો અંગે માહિતગાર થાય તે માટે આ દિવસને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળકોના જીવનમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમય વિકસિત થાય ઉપરાંત તેમના જીવનમાં સુધારો આવે તે માટે વૈશ્વિકસ્તરે આ દિવસને મનાવવામાં આવે છે. 

India Gate

ગો બ્લુ કેમ્પેઈન થીમ 

બાળકોના હક માટે વિશ્વસ્તરે અનેક ઓર્ગેનાઈઝેશન કામ કરે છે જેમાં UNICEFનો સમાવેશ થાય છે. આ વર્ષે ગો બ્લુ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનથી બાળકોને સુરક્ષિત અને સારો માહોલ આપવામાં આવશે તે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કેમ્પેઈનને ધ્યાનમાં રાખી ભારતમાં પણ અનેક સ્થળો પર વાદળી લાઈટિંગ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિયા ગેટ, કુતુબ મિનાર,રાષ્ટ્રપતિ ભવન સહિતના અનેક સ્થળો પર આવી રીતે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

A child painting with blue paint using their hands

અલગ દેશોમાં અલગ અલગ અલગ તારીખે મનાવાય છે બાળ દિવસ 

ભારત દેશમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. જવાહરલાલ નહેરૂને બાળકો ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. ચાચા નહેરુને બાળકો પ્રિય હતા. જેને કારણે તેમના જન્મદિવસને  બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતની જેમ બીજા અનેક દેશોમાં અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજજવામાં આવે છે, ઘણા દેશોમાં 1 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે તો ચીનમાં 4 એપ્રિલે બાળ દિવસ મનાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જૂનના બીજા સપ્તાહમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય જર્મનીમાં 20 સપ્ટેમ્બરે, બ્રિટનનમાં 30 ઓગસ્ટના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.    

Children's Day – Remembering Chacha Nehru and his indispensable legacy |  SabrangIndia

   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .