જાણો કેમ 20 નવેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ બાળ દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-20 13:22:45

20 નવેમ્બરને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તમને થતું હશે કે બાળ દિવસ તો 14 નવેમ્બરે ગયો તો આજે કયો બાળ દિવસ છે. આજે પણ બાળ દિવસ છે પરંતુ આજે વિશ્વ બાળ દિવસ છે. ભારતમાં 14 નવેમ્બરે બાળ દિન ઉજવવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે 20 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી આ દિવસને એટલે 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત 1959માં આ તારીખે જ UN General Assemblyએ બાળ અધિકારોની ઘોષણા કરી હતી. આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોનું કલ્યાણ કરવા 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 

World Children's Day 2021: Quotes, wishes, WhatsApp status and messages to  share | Trending & Viral News

બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. બાળકોને પણ અનેક અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બાળકો પોતાને મળેલા હકો અંગે માહિતગાર થાય તે માટે આ દિવસને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળકોના જીવનમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમય વિકસિત થાય ઉપરાંત તેમના જીવનમાં સુધારો આવે તે માટે વૈશ્વિકસ્તરે આ દિવસને મનાવવામાં આવે છે. 

India Gate

ગો બ્લુ કેમ્પેઈન થીમ 

બાળકોના હક માટે વિશ્વસ્તરે અનેક ઓર્ગેનાઈઝેશન કામ કરે છે જેમાં UNICEFનો સમાવેશ થાય છે. આ વર્ષે ગો બ્લુ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનથી બાળકોને સુરક્ષિત અને સારો માહોલ આપવામાં આવશે તે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કેમ્પેઈનને ધ્યાનમાં રાખી ભારતમાં પણ અનેક સ્થળો પર વાદળી લાઈટિંગ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિયા ગેટ, કુતુબ મિનાર,રાષ્ટ્રપતિ ભવન સહિતના અનેક સ્થળો પર આવી રીતે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

A child painting with blue paint using their hands

અલગ દેશોમાં અલગ અલગ અલગ તારીખે મનાવાય છે બાળ દિવસ 

ભારત દેશમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. જવાહરલાલ નહેરૂને બાળકો ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. ચાચા નહેરુને બાળકો પ્રિય હતા. જેને કારણે તેમના જન્મદિવસને  બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતની જેમ બીજા અનેક દેશોમાં અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજજવામાં આવે છે, ઘણા દેશોમાં 1 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે તો ચીનમાં 4 એપ્રિલે બાળ દિવસ મનાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જૂનના બીજા સપ્તાહમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય જર્મનીમાં 20 સપ્ટેમ્બરે, બ્રિટનનમાં 30 ઓગસ્ટના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.    

Children's Day – Remembering Chacha Nehru and his indispensable legacy |  SabrangIndia

   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.