જાણો કેમ 20 નવેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ બાળ દિવસ?


  • Published By :
  • Published Date : 2022-11-20 13:22:45

20 નવેમ્બરને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. તમને થતું હશે કે બાળ દિવસ તો 14 નવેમ્બરે ગયો તો આજે કયો બાળ દિવસ છે. આજે પણ બાળ દિવસ છે પરંતુ આજે વિશ્વ બાળ દિવસ છે. ભારતમાં 14 નવેમ્બરે બાળ દિન ઉજવવામાં આવે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે 20 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 1954થી આ દિવસને એટલે 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત 1959માં આ તારીખે જ UN General Assemblyએ બાળ અધિકારોની ઘોષણા કરી હતી. આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોનું કલ્યાણ કરવા 20 નવેમ્બરે વિશ્વ બાળ દિવસ ઉજવવામાં આવે છે. 

World Children's Day 2021: Quotes, wishes, WhatsApp status and messages to  share | Trending & Viral News

બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. બાળકોને પણ અનેક અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બાળકો પોતાને મળેલા હકો અંગે માહિતગાર થાય તે માટે આ દિવસને વિશ્વ બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળકોના જીવનમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમય વિકસિત થાય ઉપરાંત તેમના જીવનમાં સુધારો આવે તે માટે વૈશ્વિકસ્તરે આ દિવસને મનાવવામાં આવે છે. 

India Gate

ગો બ્લુ કેમ્પેઈન થીમ 

બાળકોના હક માટે વિશ્વસ્તરે અનેક ઓર્ગેનાઈઝેશન કામ કરે છે જેમાં UNICEFનો સમાવેશ થાય છે. આ વર્ષે ગો બ્લુ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનથી બાળકોને સુરક્ષિત અને સારો માહોલ આપવામાં આવશે તે સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કેમ્પેઈનને ધ્યાનમાં રાખી ભારતમાં પણ અનેક સ્થળો પર વાદળી લાઈટિંગ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિયા ગેટ, કુતુબ મિનાર,રાષ્ટ્રપતિ ભવન સહિતના અનેક સ્થળો પર આવી રીતે દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

A child painting with blue paint using their hands

અલગ દેશોમાં અલગ અલગ અલગ તારીખે મનાવાય છે બાળ દિવસ 

ભારત દેશમાં 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. જવાહરલાલ નહેરૂને બાળકો ચાચા નહેરુ તરીકે બોલાવતા હતા. ચાચા નહેરુને બાળકો પ્રિય હતા. જેને કારણે તેમના જન્મદિવસને  બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતની જેમ બીજા અનેક દેશોમાં અલગ-અલગ દિવસે બાળ દિવસ ઉજજવામાં આવે છે, ઘણા દેશોમાં 1 જૂનના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે તો ચીનમાં 4 એપ્રિલે બાળ દિવસ મનાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં જૂનના બીજા સપ્તાહમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સિવાય જર્મનીમાં 20 સપ્ટેમ્બરે, બ્રિટનનમાં 30 ઓગસ્ટના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.    

Children's Day – Remembering Chacha Nehru and his indispensable legacy |  SabrangIndia

   




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.