યુએસ ઇન્ટેલીજન્સની હુતી બળવાખોરો વિશે આ માહિતી થઈ લીક!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-27 14:47:40

૧૧ માર્ચ ૨૦૨૫નાં દિવસે અમેરીકન ઈન્ટેલિજન્સના ઈતિહાસની એટલી મોટી ભુલ થઈ જેણે જેમ્સ બોન્ડ, હોલિવુડ જેવી અનેક અમેરીકન સિરીઝ જેમાં સીઆઈએ કે અમેરીકન ઈન્ટેલિજન્સ નેટવર્ક માટે જેટલી ભારે છવી બનાવી હતી એનાં પર ખુબ મોટું પ્રશ્નાર્થ મુકી દીધું. ખુબ સામાન્ય લાગે એવી માનવીય ભુલનાં કારણે અમેરીકાનો યુદ્ધ પ્લાન આખી દુનિયા સામે હતો. ધ એટલાન્ટીક નામે ન્યૂઝ પ્રકાશનના જર્નાલિસ્ટ જેફ ગોલ્ડબર્ગને ૧૧મી માર્ચ ૨૦૨૫એ એક સિગ્નલ ગૃપમાં જોડાવવા માટે ઈન્વાઈટ મળે છે. સિગ્નલ એ વ્હોટ્સએપ જેવું જ એક ચેટ પ્લેટફોર્મ છે. ગૃપનું નામ હું હુતી પીસી સ્મોલ ગૃપ. આ સિગ્નલ ગૃપમાં જેફ ગોલ્ડબર્ગ સિવાય હતા યુનાઈટેડ સ્ટેટ્સના વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી.વાન્સ, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ, સેક્રેટરી ઓફ સ્ટેટ, સીઆઈએ ડિરેક્ટર, નેશનલ ઈન્ટેલિજન્સના તુલસી ગબાર્ડ જેવા અમેરીકાના ટોચનાં ૧૮ માણસો અને એમાં ચર્ચા થઈ રહી હતી હુતી આક્રમણકારો પર હુમલાની.  

Houthi rebels storm Human Rights Office in Yemen: UN - The Hindu1,200 × 675

૧૫ માર્ચના રોજ પીટ હેગસેથે ચેટમાં યમન પર હુમલાની વિગતો શેર કરી, જેમાં હવાઈ હુમલાનો સમય (11:44 AM ET), ઉપયોગમાં લેવાતા હથિયારો (F-18 ફાઈટર જેટ્સ અને MQ-9 ડ્રોન્સ) અને લક્ષ્યોની ચોક્કસ માહિતી હતી. આ માહિતી હુમલાના બે કલાક પહેલાં શેર કરવામાં આવી હતી. શરૂઆતમાં તો ગોલ્ડબર્ગને એ ના સમજાયું કે આટલા સંવેદનશીલ અને નેશનલ સિક્યુરીટીના મુદ્દા વાળા ગૃપમાં એક પત્રકાર એટલે કે એ પોતે શું કરી રહ્યા છે.  આ જ વિષય પર કોઈ જ ઈન્ફોર્મેશન બહાર પાડ્યા વગર એમણે ધ એટલાન્ટિકમાં એક આર્ટીકલ પબ્લીશ કર્યો, એક આર્ટીકલ સામે આવતાની સાથે જ એનએસએનાં અધિકારીએ કહી દીધું કે આ એમની ભુલ હતી, બીજા નામથી ગોલ્ડબર્ગનો નંબર સેવ હતો, અને એમને ભુલથી એડ કરી દેવાયા છે, સેનેટની સામે દેશનાં અધિકારીઓને એક પછી એક રજૂ કરાયા, રીતસરથી ગ્રીલ કરાયા અને પુછાયા એ પ્રશ્નો જેનાં જવાબ જાણવાની યુએસની જનતા હકદાર હતી, પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને નાની માનવીય ક્ષતિ ગણાવી અને કહી દીધુ કે એમાં કોઈ જ સંવેદનશીલ જાણકારી નહોતી, આ પ્રતિક્રીયા આવતાની સાથે જ ધ એટલાન્ટીકે સ્ક્રીન શોટ સાથે, હુમલાની વિગતો જે શેર કરાઈ હતી એ માહિતી સાથે બીજો એક આર્ટીકલ પબ્લિશ કરી દીધો. કારણ અને દલીલ બંને ટાળી શકાય એમ નહોતા કે આ ઘટના જનતા માટે જાણવી જરૂરી છે, કારણ કે તે સરકારની બેદરકારી અને સંભવિત જોખમોને ઉજાગર કરે છે. કારણ કે આ તો અમેરીકન જર્નાલિસ્ટ હતા, પણ એમની જગ્યાએ જો કોઈ બીજું એવું વ્યક્તિ હોત જે હુમલા પહેલા જ એની જાણકારી પબ્લિશ કરી દેતું તો. જ્યાં સુધી આર્ટીકલ પબ્લીશ ના થયો ત્યાં સુધી એ ગૃપમાં રહેલા બીજા કોઈ જ માણસોને આનો અંદેશો પણ ના આવે એને બેદરકારી સિવાય બીજુ શું નામ આપી  શકાય. 

The Atlantic - Wikipedia

ઈઝરાયેલની જેમ અમેરીકા પણ પોતાનાં ઈન્ટેલ માટે જાણીતું છે. એમના સાથી રાષ્ટ્રો અને બાકીની આખી દુનિયા માને છે કે અમેરીકન ઈન્ટેલિજન્સ સોલીડ રીતે કામ કરે છે, પણ શું અમેરીકાના આટલા મોટા અને દુનિયાની શાંતિ માટે જવાબદાર અધિકારીઓ વ્હોટ્સએપની જેમ સિગ્નલ પર એક ગૃપ બનાવીને, એમાં કોણ કોણ એડ થયેલું છે એ જોવાની દરકાર કર્યા વિના સતત એક અઠવાડીયા સુધી યમન પર હુમલાની તૈયારી કરતા રહ્યા. હવે અમેરીકન સેનેટર આ ઈન્ટેલિજન્સ ઓફીસર્સને ગ્રીલ કરી રહ્યા છે એ પ્રશ્ન સાથે કે તમે અમેરીકન ઈન્ટેલીજન્સની દુનિયા સામે મજાક બનાવી નાખી.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.