ઉત્તર કોરિયાએ કટ્ટર શત્રુ દેશ દક્ષિણ કોરિયાની સરહદે 180 યુધ્ધ વિમાનો મોકલ્યા


  • Published By :
  • Published Date : 2022-11-04 18:26:50


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્વમાં મોંઘવારી અને ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી છે. જો કે હવે બીજા એક યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુધ્ધની નજીક પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ તેના લગભગ 180 વિમાન રવાના કર્યા છે. સંભવીત હુમલાનાની આશંકા વચ્ચે દક્ષિણ કોરિયાએ પણ તેના ફાઈટર વિમાનો તૈનાત કરી દીધા છે.


શા માટે કિમ જોંગ ઉન આક્રમક બન્યા?


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે એક યુધ્ધ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. વિજિલેંટ સ્ટોર્મ એરફોર્સ યુધ્ધ અભ્યાસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણા નારાજ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કિમ જોગ ઉને આ યુધ્ધ  કવાયતમાં ન જોડાવા માટે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી. જો કે દક્ષિણ કોરિયા તે ચેતવણી ફગાવી નાખતા કિમ જોંગ ઉન આક્રમક બન્યા છે. 


કિમ જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં 80 મિસાઈલો છોડ્યા


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુધ્ધ કવાયતનો ઉત્તર કોરિયા વિરોધ કરી રહ્યું છે. કિમ  જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં લગભગ 80 મિસાઈલો છોડ્યા છે. જેના કારણે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતાનો માહોલ છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .