ઉત્તર કોરિયાએ કટ્ટર શત્રુ દેશ દક્ષિણ કોરિયાની સરહદે 180 યુધ્ધ વિમાનો મોકલ્યા


  • Published By :
  • Published Date : 2022-11-04 18:26:50


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્વમાં મોંઘવારી અને ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી છે. જો કે હવે બીજા એક યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુધ્ધની નજીક પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ તેના લગભગ 180 વિમાન રવાના કર્યા છે. સંભવીત હુમલાનાની આશંકા વચ્ચે દક્ષિણ કોરિયાએ પણ તેના ફાઈટર વિમાનો તૈનાત કરી દીધા છે.


શા માટે કિમ જોંગ ઉન આક્રમક બન્યા?


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે એક યુધ્ધ કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. વિજિલેંટ સ્ટોર્મ એરફોર્સ યુધ્ધ અભ્યાસથી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ઘણા નારાજ છે. અત્રે ઉલ્લેખનિય છે કે કિમ જોગ ઉને આ યુધ્ધ  કવાયતમાં ન જોડાવા માટે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી હતી. જો કે દક્ષિણ કોરિયા તે ચેતવણી ફગાવી નાખતા કિમ જોંગ ઉન આક્રમક બન્યા છે. 


કિમ જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં 80 મિસાઈલો છોડ્યા


દક્ષિણ કોરિયા તેના મિત્ર દેશ અમેરિકા સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુધ્ધ કવાયતનો ઉત્તર કોરિયા વિરોધ કરી રહ્યું છે. કિમ  જોંગ ઉને છેલ્લા 3 દિવસમાં લગભગ 80 મિસાઈલો છોડ્યા છે. જેના કારણે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતાનો માહોલ છે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?