રાજકોટમાં આવતી કાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું..


  • Published By :
  • Published Date : 2024-04-13 17:53:19

રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને કારણે ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિરોધના દ્રશ્યો અનેક જગ્યાઓથી આપણી સામે આવ્યા છે જેમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવતી કાલે રાજકોટ ખાતે આ સંમેલન યોજાવાનું છે તે પહેલા હિંમતનગરના રાજપુર ખાતે ક્ષત્રિય સમાજનું આંદોલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તેમની એક જ માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 

Rupala controversy issue, demand to cancel the ticket of Parshotam Rupala in Kshatriya Asmita Sammelan in Himmat Nagar વિશાળ  ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન, ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી

હિંમતનગર ખાતે યોજાયું ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન ફોર્મ ભરવાના છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 


"જો ટિકીટ રદ્દ નહીં થાય તો..." - ક્ષત્રિય સમાજના આગેવાનો 

આવતી કાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે પરંતુ તે પહેલા આજે હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે