રાજકોટમાં આવતી કાલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું..


  • Published By :
  • Published Date : 2024-04-13 17:53:19

રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેને કારણે ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિરોધના દ્રશ્યો અનેક જગ્યાઓથી આપણી સામે આવ્યા છે જેમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા. આવતીકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવતી કાલે રાજકોટ ખાતે આ સંમેલન યોજાવાનું છે તે પહેલા હિંમતનગરના રાજપુર ખાતે ક્ષત્રિય સમાજનું આંદોલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તેમની એક જ માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. 

Rupala controversy issue, demand to cancel the ticket of Parshotam Rupala in Kshatriya Asmita Sammelan in Himmat Nagar વિશાળ  ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન, ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી

હિંમતનગર ખાતે યોજાયું ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે, એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે તો બીજી તરફ પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે નામાંકન ફોર્મ ભરવાના છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અનેક જગ્યાઓ પર ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 


"જો ટિકીટ રદ્દ નહીં થાય તો..." - ક્ષત્રિય સમાજના આગેવાનો 

આવતી કાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે પરંતુ તે પહેલા આજે હિંમતનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.