Jamnagarમાં ફરી ક્ષત્રિય મહિલાઓ BJPનાં કાર્યક્રમમાં પહોંચી, કર્યા સૂત્રોચ્ચાર, પોલીસ અને ક્ષત્રાણીઓ વચ્ચે સર્જાયા ઘર્ષણના દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-11 17:32:46

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરથી ફરી એકવાર દ્રશ્ય સામે આવ્યા જેમાં ક્ષત્રાણીયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય. નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રાણીઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.   

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદની ચર્ચા થઈ રહી છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભરાઈ ગયો છે  અને સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ઠેર ઠેર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર પોસ્ટર પણ લાગ્યા છે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કોઈ વખત હાર્દિક પટેલને તો કોઈ વખત રેખાબેન ચૌધરીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. જામનગરથી અનેક વખત વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં ક્ષત્રાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.



જામનગરમાં ફરી એક વખત ક્ષત્રાણીઓએ નોંધાવ્યો વિરોધ 

લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ જગ્યાઓ પર ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે પણ નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. મહિલાઓએ 'રૂપાલા હાય હાય'ના નારા પણ લગાવ્યા હતા. 


16 તારીખે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ 

વિરોધ માટે આવેલી મહિલાઓને હટાવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ક્ષત્રાણીઓ ત્યાંથી ના હટી અને અંતે મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે વિરોધ કરી રહેલી મહિલાઓને હટાવવામાં પોલીસને સફળતા મળી હતી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો 16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.