Jamnagarમાં ફરી ક્ષત્રિય મહિલાઓ BJPનાં કાર્યક્રમમાં પહોંચી, કર્યા સૂત્રોચ્ચાર, પોલીસ અને ક્ષત્રાણીઓ વચ્ચે સર્જાયા ઘર્ષણના દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-11 17:32:46

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જામનગરથી ફરી એકવાર દ્રશ્ય સામે આવ્યા જેમાં ક્ષત્રાણીયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય. નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રાણીઓએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.   

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદની ચર્ચા થઈ રહી છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભરાઈ ગયો છે  અને સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ઠેર ઠેર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓ પર પોસ્ટર પણ લાગ્યા છે પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કોઈ વખત હાર્દિક પટેલને તો કોઈ વખત રેખાબેન ચૌધરીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.. જામનગરથી અનેક વખત વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક વખત જામનગરમાં ક્ષત્રાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.



જામનગરમાં ફરી એક વખત ક્ષત્રાણીઓએ નોંધાવ્યો વિરોધ 

લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ જગ્યાઓ પર ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં પણ સતત બે દિવસથી ભાજપના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેમાં ક્ષત્રિયાણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે પણ નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. મહિલાઓએ 'રૂપાલા હાય હાય'ના નારા પણ લગાવ્યા હતા. 


16 તારીખે પરષોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ 

વિરોધ માટે આવેલી મહિલાઓને હટાવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ક્ષત્રાણીઓ ત્યાંથી ના હટી અને અંતે મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે વિરોધ કરી રહેલી મહિલાઓને હટાવવામાં પોલીસને સફળતા મળી હતી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો 16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. 




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .