Vadodaraમાં મુખ્યમંત્રી Bhupendra Patelની સભામાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો, કાફલાને અટકાવવા કર્યો પ્રયાસ! જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-22 12:03:29

પરષોત્તમ રૂપાલા વિવાદને કારણે ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સામે એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ભાજપના નેતાઓ સાથે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોય. ત્યારે આ વિવાદને લઈ વિરોધનો સામનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવો પડ્યો છે વડોદરામાં... વડોદરામાં મુખ્યમંત્રીની સભા હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો છે. સભામાં તો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એવી પણ માહિતી સામે આવી છે કે તેમના કાફલાને પણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આરપારની લડાઈ લડવા ક્ષત્રિય સમાજ તૈયાર! 

ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદ હજી સુધી શાંત નથી થયો. સમાધાનનો કોઈ રસ્તો નીકળ્યો નથી.. હવે ક્ષત્રિય સમાજે નવી રણનીતિ અપનાવી છે.. એક તરફ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થશે. વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીનું ચિત્ર પણ સામે આવશે. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિરોધના વંટોળ વચ્ચે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું. ત્યારે આજે ચૂંટણી માટે ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે ક્ષત્રિયો છેલ્લી ઘડી સુધી ઝૂકવાના મૂડમાં નથી, અને લડી લેવા માંગે છે.... 


ક્ષત્રિય સમાજના લોકોએ લગાવ્યા પરષોત્તમ રૂપાલા હાય હાયના નારા 

ગઈકાલે વડોદરામાં  મુખ્યમંત્રીની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. લોકસભા ઉમેદવાર હેમાંગ જોશી અને વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેર સભામાં ક્ષત્રિયો આક્રમક બન્યા હતા. ક્ષત્રિય યુવાનો દ્વારા કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હાય હાયના નારા લગાવાયા હતા. જો કે, પોલીસ દ્વારા પાંચથી વધુ યુવાનોની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...


સીએમની સભામાં યુવાનોએ કર્યો હોબાળો!  

લોકસભા ચૂંટણી નજીક આવતા ઉમેદવારો માટે પ્રચાર કરવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ જગ્યાઓ પર મુખ્યમંત્રી પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે વડોદરા લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.... અને સુભાનપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં રાજકોટના ઉમેદવાર પરષોતમ રૂપાલાને લઈ વિરોધ કરાયો. મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો. ટોળાએ ‘રૂપાલા હાય હાય’ના નારા લગાવ્યા હતા. નારા લગાવતાની સાથે જ પોલીસે તાત્કાલિક તમામ લોકોની અટકાયત કરી હતી તેવી માહિતી સામે આવી છે.


અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

તે સિવાય એવી પણ માહિતી સામે આવી હતી કે સીએમના કાફલાને રોકવાનો પ્રયાસ પણ કરાયો હતો. પરંતુ તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મહત્વનું છે કે આ પહેલી વખત નથી બન્યું કે ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હોય. બનાસકાંઠા ડો. રેખા ચૌધરીને, હાર્દિક પટેલ સહિતના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.