Dwarkaમાં C.R.Patilના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ ફરકાવ્યા કાળા વાવટા! કાર્યક્રમમાં થયો વિરોધ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-06 14:45:37

લોકસભા ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ગુજરાતના અનેક ભાગોમાં આ વિરોધ જોવા મળ્યો હતો ત્યારે આ વિરોધના આગની ચિંગારી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યક્રમ સુધી પહોંચી હતી. દેવભૂમિ દ્વારકામાં આજે સી.આર.પાટીલનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં સભા મંડપ સુધી લોકો વિરોધ કરવા પહોંચ્યા અને ખુરશી પણ તોડી હોવાની માહિતી સામે આવી. અનેક વીડિયો પણ સામે આવ્યા છે જે ત્યાંના હોવાનું માનવામાં આવી રહ્યું છે...       


સી.આર.પાટીલના કાર્યક્રમમાં થયો વિરોધ! 

દિવસેને દિવસે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર  વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાનો તો વિરોધ આપણે જોયો છે પરંતુ આજે દ્વારકાના ખંભાળિયામાં જિલ્લા ભાજપના કમલમ ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ક્ષત્રિઓએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે થવાનું હતુ. જો કે આ કાર્યક્રમમાં પરષોત્તમ રુપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા. સી આર પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા.



રેલિંગ તોડીને સભામાં ઘૂસ્યા અને કર્યા સૂત્રોચ્ચાર! 

સી.આર.પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા. પરષોત્તમ રુપાલા સામેનો વિરોધ લોકો અહીં ઠાલવતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ધસી આવતા તેમને રોકવામાં આવ્યા હતા. જો કે ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે લોકો રેલિંગ તોડી સભામાં ઘૂસ્યા હતા અને વિરોધ દર્શાવવા લાગ્યા હતા. સી આર પાટીલનું આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું, જો કે બીજી જ તરફ થોડી જ વારમાં લોકોએ સભામાં આવીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. લોકોનું સંખ્યાબળ એટલુ હતુ કે SPએ ઘટના સ્થળે પહોંચીને સભા મંડપમાંથી ક્ષત્રિય સમાજના લોકોને બહાર કાઢ્યા હતા...



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે