માનગઢ હિલ ફરવા આવેલા પ્રવાસીઓ માટે Kuber Dindor બન્યા ગાઈડ, શિક્ષણમંત્રીએ પ્રવાસીઓને ગણાવ્યા ભાજપ દ્વારા કરાયેલા કામ, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-08-28 11:47:57

ગુજરાતીઓને ફરવાના શોખિન માનવામાં આવે છે. નવી નવી જગ્યાઓની મુલાકાત લેવી ગુજરાતીઓને પસંદ હોય છે.રાજ્ય બહાર આવેલા પર્યટક સ્થળ વિશે લોકોને ખબર હશે પરંતુ ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળો વિશે કદાચ ખબર નહીં હોય. કુદરતી સૌંદર્યને જોવા માટે લોકો ગુજરાતની બહાર જાય છે પરંતુ ગુજરાતમાં આવેલા કુદરતી સૌંદર્ય વિશે જાણ પણ નહીં હોય. ગુજરાતના અનેક જિલ્લાઓ છે જ્યાં પ્રકૃતિ સોળે કલાએ ખીલેલી જોવા મળે છે. 


શિક્ષણમંત્રી બન્યા માનગઢ હિલ્સ આવેલા પ્રવાસીઓના ગાઈડ   

અમે વાત કરી રહ્યા છીએ મહિસાગરમાં આવેલા માનગઢ હિલ્સની. ગુજરાતમાં પણ એવી અનેક ફરવા લાયક જગ્યા છે જ્યાં આપણે જઈએ તો બહારના દ્રશ્યો આપણે ભૂલી જઈએ. અમે આજે પર્યટક સ્થળોની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શિક્ષણ મંત્રી ખુદ પ્રવાસીઓના ગાઈડ બન્યા હતા. વડોદરાના પ્રવાસીઓ માનગઢ હીલ ખાતે આવેલા ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન ફરવા ગયા હતા ત્યાં તેમના માર્ગદર્શક શિક્ષણમંત્રી પોતે બન્યા હતા. સ્થળ વિશેની માહિતી કુબેર ડિંડોરે આપી હતી.



વડોદરાના પ્રવાસીઓને સ્થળના ઈતિહાસ વિશે માહિતીગાર કરાયા!

આદિવાસી વિસ્તાર અનેક રોચક ઈતિહાસ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિ એમ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. એક તરફ આદિવાસી વિસ્તારના લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તો બીજી તરફ પ્રવાસી લોકો ત્યાં જઈ નવી જગ્યાઓને એસ્પોર કરી રહ્યા છે. આઝાદી સમયે વીરોએ આપેલા બલિદાનને યાદ રાખવા માટે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. માનગઢ ખાતે અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. ત્યારે આદિવાસી વિસ્તારથી આવતા શિક્ષણમંત્રીએ પ્રવાસીઓને સ્થળનો ઈતિહાસ જણાવ્યો હતો. ત્યાં વાવેલા વૃક્ષો અંગેની પણ જાણકારી તેમણે આપી હતી. શિક્ષણમંત્રીએ વિવિધ સ્થળોની તેમજ વિવિધ વનસ્પતિઓની માહિતી પ્રવાસીઓને આપી હતી.


શું છે શહીદ સ્મારકનો ઈતિહાસ?

જે શહીદ સ્મારકની વાત કરવામાં આવી રહી છે તેના ઈતિહાસ અંગેની વાત કરીએ તો, માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ થયો હતો. જ્યારે બ્રિટિશ અને ભારતીય સૈનિકોએ ભીલ વિદ્રોહના અંતે ગોવિંદગીરીના ગઢ પર હુમલો કર્યો હતો. તે રાજસ્થાનના માનગઢ હિલ્સમાં એક ટેકરી પર બન્યું હતું. માર્યા ગયેલા ભીલોની સંખ્યા માટે કોઈ ચોક્કસ આંકડા નથી, પરંતુ અંદાજો "કેટલાક ભીલો મૃત્યુ પામ્યા" થી લઈને મૌખિક પરંપરા સુધી કે 1,500 આદિવાસીઓ માર્યા ગયા હતા.  


ગુજરાતમાં આવેલા પર્યટક સ્થળોની લેવી જોઈએ મુલાકાત  

પ્રકૃતિના ખોળે વસેલી જગ્યાઓ લોકો માટે ફરવા લાયક સ્થળ બની રહી છે. બીજા રાજ્યોની મુલાકાત લેવી જોઈએ, નવી નવી જગ્યાઓ પર ફરવું જોઈએ, પરંતુ આપણા રાજ્યમાં આવેલા પર્યટક સ્થળોની પણ મુલાકાત લેવી જોઈએ. મહત્વનું છે કે ગાઈડ ન હોવાને કારણે માહિતી વગર પર્યટકો પરત ફરી રહ્યા હતા અને તે સમયે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ગાઈડની ગરજ સારી હતી અને પ્રવાસીઓના માટે પોતે ગાઈડ બન્યા હતા.


સ્થળના વિકાસ પાછળ કરાય કરોડોનો ખર્ચ, પરંતુ નથી હોતા ગાઈડ!

સ્થળને વિકસાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થળના ઈતિહાસ વિશેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગાઈડની વ્યવસ્થા ન કરવામાં આવતા ત્યાં આવતા લોકો માત્ર ફરીને જતા રહે છે. સ્થળ વિશેની વધારે માહિતી, સ્થળનો ઈતિહાસ તેમની પાસે હોતો નથી. ત્યારે આવા પર્યટક સ્થળો પર ગાઈડ મૂકવામાં આવે તેવી રજૂઆત આ વડોદરાના પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે કુબેર ડિંડોરે પ્રવાસીઓને ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પીએમ મોદીના આવ્યા બાદ કેટલો વિકાસ થયો છે તે ગણાવ્યો હતો.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.