કુલદીપસિંહ રાઉલજીએ ભાજપને કહ્યું રામ-રામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:59:13

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નેતા કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પોતાનો સ્વાર્થ જ્યાં સંતોષાતો હોય ત્યાં નમી જાય છે. કોંગ્રેસ છોડી હર્ષદ રાબડિયા ભાજપમાં સામેલ થયા તો કોંગ્રેસે પણ ભાજપના એક નેતાને પોતાના ખેમામાં લઈ લીધા છે. ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી જનાર આ નેતા છે કુલદિપસિંહ રાઘવજી. 

કુલદિપસિંહ રાઉલજી થયા કોંગ્રેસના 

ભાજપને અલવિદા કહેનાર કુલદિપસિંહ રાઘવજી છેલ્લા ઘણા સમયથી સાવલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. અનેક વખત આ ટિકિટ મેળવા માટે તેઓએ પ્રયાસ કર્યા હતા. પરંતુ હાઈ કમાન્ડથી કોઈ સંદેશોના આવતા તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. સાવલીથી તેમને ભાજપ દ્વારા ટિકિટ નહીં મળે તે વાતનો અંદાજો આવતા તેમણે કોંગ્રેસનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.    

Gujarat Assembly Elections: કોંગ્રેસનો વળતો પ્રહાર, વડોદરામાં ભાજપના દિગ્ગજ  નેતાને કોંગ્રેસમાં જોડ્યા

કોંગ્રેસમાં જોડાતા બદલાયા તેમના સુર

દરેક પક્ષપલટો કરનાર નેતાની જેમ ભાજપનો સાથ છોડી જનાર નેતાએ કોંગ્રેસમાં જઈ ભાજપની કામગીરી પર અનેક સવાલ કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકો કામ કરતા નથી. યુવાઓને રોજગાર મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી.

પક્ષ બદલતા જ નેતાને ભાજપમાં દેખાયા દુર્ગુણ 

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું. 

ચૂંટણી દરમિયાન પાર્ટીની સારી વાતો જ પક્ષ પલટા બાદ કેમ લાગે છે ખરાબ?

પક્ષપલટો કરનાર નેતાઓના વાતો સાંભળી પ્રશ્ન તો થાય જ કે આવું બહ્મજ્ઞાન પાર્ટી છોડ્યા પછી જ કેમ થાય છે. પાર્ટીના નેતા તરીકે જે વાતોનો પ્રચાર કરતા હોય છે તે જ વાતો પક્ષ છોડ્યા પછી કેમ નથી દેખાતી. જે વાતો પાર્ટીમાં રહીને સૌથી વધારે સારી લાગે છે, તે જ વાતો પક્ષ છોડ્યા પછી ખરાબ લાગે છે.  




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.