કુલદીપસિંહ રાઉલજીએ ભાજપને કહ્યું રામ-રામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:59:13

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નેતા કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પોતાનો સ્વાર્થ જ્યાં સંતોષાતો હોય ત્યાં નમી જાય છે. કોંગ્રેસ છોડી હર્ષદ રાબડિયા ભાજપમાં સામેલ થયા તો કોંગ્રેસે પણ ભાજપના એક નેતાને પોતાના ખેમામાં લઈ લીધા છે. ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી જનાર આ નેતા છે કુલદિપસિંહ રાઘવજી. 

કુલદિપસિંહ રાઉલજી થયા કોંગ્રેસના 

ભાજપને અલવિદા કહેનાર કુલદિપસિંહ રાઘવજી છેલ્લા ઘણા સમયથી સાવલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. અનેક વખત આ ટિકિટ મેળવા માટે તેઓએ પ્રયાસ કર્યા હતા. પરંતુ હાઈ કમાન્ડથી કોઈ સંદેશોના આવતા તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. સાવલીથી તેમને ભાજપ દ્વારા ટિકિટ નહીં મળે તે વાતનો અંદાજો આવતા તેમણે કોંગ્રેસનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.    

Gujarat Assembly Elections: કોંગ્રેસનો વળતો પ્રહાર, વડોદરામાં ભાજપના દિગ્ગજ  નેતાને કોંગ્રેસમાં જોડ્યા

કોંગ્રેસમાં જોડાતા બદલાયા તેમના સુર

દરેક પક્ષપલટો કરનાર નેતાની જેમ ભાજપનો સાથ છોડી જનાર નેતાએ કોંગ્રેસમાં જઈ ભાજપની કામગીરી પર અનેક સવાલ કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકો કામ કરતા નથી. યુવાઓને રોજગાર મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી.

પક્ષ બદલતા જ નેતાને ભાજપમાં દેખાયા દુર્ગુણ 

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું. 

ચૂંટણી દરમિયાન પાર્ટીની સારી વાતો જ પક્ષ પલટા બાદ કેમ લાગે છે ખરાબ?

પક્ષપલટો કરનાર નેતાઓના વાતો સાંભળી પ્રશ્ન તો થાય જ કે આવું બહ્મજ્ઞાન પાર્ટી છોડ્યા પછી જ કેમ થાય છે. પાર્ટીના નેતા તરીકે જે વાતોનો પ્રચાર કરતા હોય છે તે જ વાતો પક્ષ છોડ્યા પછી કેમ નથી દેખાતી. જે વાતો પાર્ટીમાં રહીને સૌથી વધારે સારી લાગે છે, તે જ વાતો પક્ષ છોડ્યા પછી ખરાબ લાગે છે.  




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.