કુલદીપસિંહ રાઉલજીએ ભાજપને કહ્યું રામ-રામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:59:13

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નેતા કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પોતાનો સ્વાર્થ જ્યાં સંતોષાતો હોય ત્યાં નમી જાય છે. કોંગ્રેસ છોડી હર્ષદ રાબડિયા ભાજપમાં સામેલ થયા તો કોંગ્રેસે પણ ભાજપના એક નેતાને પોતાના ખેમામાં લઈ લીધા છે. ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી જનાર આ નેતા છે કુલદિપસિંહ રાઘવજી. 

કુલદિપસિંહ રાઉલજી થયા કોંગ્રેસના 

ભાજપને અલવિદા કહેનાર કુલદિપસિંહ રાઘવજી છેલ્લા ઘણા સમયથી સાવલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. અનેક વખત આ ટિકિટ મેળવા માટે તેઓએ પ્રયાસ કર્યા હતા. પરંતુ હાઈ કમાન્ડથી કોઈ સંદેશોના આવતા તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. સાવલીથી તેમને ભાજપ દ્વારા ટિકિટ નહીં મળે તે વાતનો અંદાજો આવતા તેમણે કોંગ્રેસનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.    

Gujarat Assembly Elections: કોંગ્રેસનો વળતો પ્રહાર, વડોદરામાં ભાજપના દિગ્ગજ  નેતાને કોંગ્રેસમાં જોડ્યા

કોંગ્રેસમાં જોડાતા બદલાયા તેમના સુર

દરેક પક્ષપલટો કરનાર નેતાની જેમ ભાજપનો સાથ છોડી જનાર નેતાએ કોંગ્રેસમાં જઈ ભાજપની કામગીરી પર અનેક સવાલ કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકો કામ કરતા નથી. યુવાઓને રોજગાર મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી.

પક્ષ બદલતા જ નેતાને ભાજપમાં દેખાયા દુર્ગુણ 

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું. 

ચૂંટણી દરમિયાન પાર્ટીની સારી વાતો જ પક્ષ પલટા બાદ કેમ લાગે છે ખરાબ?

પક્ષપલટો કરનાર નેતાઓના વાતો સાંભળી પ્રશ્ન તો થાય જ કે આવું બહ્મજ્ઞાન પાર્ટી છોડ્યા પછી જ કેમ થાય છે. પાર્ટીના નેતા તરીકે જે વાતોનો પ્રચાર કરતા હોય છે તે જ વાતો પક્ષ છોડ્યા પછી કેમ નથી દેખાતી. જે વાતો પાર્ટીમાં રહીને સૌથી વધારે સારી લાગે છે, તે જ વાતો પક્ષ છોડ્યા પછી ખરાબ લાગે છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .