કુલદીપસિંહ રાઉલજીએ ભાજપને કહ્યું રામ-રામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:59:13

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. નેતા કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પોતાનો સ્વાર્થ જ્યાં સંતોષાતો હોય ત્યાં નમી જાય છે. કોંગ્રેસ છોડી હર્ષદ રાબડિયા ભાજપમાં સામેલ થયા તો કોંગ્રેસે પણ ભાજપના એક નેતાને પોતાના ખેમામાં લઈ લીધા છે. ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી જનાર આ નેતા છે કુલદિપસિંહ રાઘવજી. 

કુલદિપસિંહ રાઉલજી થયા કોંગ્રેસના 

ભાજપને અલવિદા કહેનાર કુલદિપસિંહ રાઘવજી છેલ્લા ઘણા સમયથી સાવલી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા છે. અનેક વખત આ ટિકિટ મેળવા માટે તેઓએ પ્રયાસ કર્યા હતા. પરંતુ હાઈ કમાન્ડથી કોઈ સંદેશોના આવતા તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. સાવલીથી તેમને ભાજપ દ્વારા ટિકિટ નહીં મળે તે વાતનો અંદાજો આવતા તેમણે કોંગ્રેસનો સાથ આપવાનો નિર્ણય કર્યો છે.    

Gujarat Assembly Elections: કોંગ્રેસનો વળતો પ્રહાર, વડોદરામાં ભાજપના દિગ્ગજ  નેતાને કોંગ્રેસમાં જોડ્યા

કોંગ્રેસમાં જોડાતા બદલાયા તેમના સુર

દરેક પક્ષપલટો કરનાર નેતાની જેમ ભાજપનો સાથ છોડી જનાર નેતાએ કોંગ્રેસમાં જઈ ભાજપની કામગીરી પર અનેક સવાલ કર્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકો કામ કરતા નથી. યુવાઓને રોજગાર મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી.

પક્ષ બદલતા જ નેતાને ભાજપમાં દેખાયા દુર્ગુણ 

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું. 

ચૂંટણી દરમિયાન પાર્ટીની સારી વાતો જ પક્ષ પલટા બાદ કેમ લાગે છે ખરાબ?

પક્ષપલટો કરનાર નેતાઓના વાતો સાંભળી પ્રશ્ન તો થાય જ કે આવું બહ્મજ્ઞાન પાર્ટી છોડ્યા પછી જ કેમ થાય છે. પાર્ટીના નેતા તરીકે જે વાતોનો પ્રચાર કરતા હોય છે તે જ વાતો પક્ષ છોડ્યા પછી કેમ નથી દેખાતી. જે વાતો પાર્ટીમાં રહીને સૌથી વધારે સારી લાગે છે, તે જ વાતો પક્ષ છોડ્યા પછી ખરાબ લાગે છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે