જમ્મુ-કાશ્મીર: ઘરમાં છુપાયેલા 5 આતંકીઓનો રોકેટ લોન્ચરથી સફાયો, સર્ચ ઓપરેશન યથાવત


  • Published By :
  • Published Date : 2023-11-17 14:17:13

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘરને જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું હતું. સેનાની આ જોરદાર કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના છે. આ એ જ લશ્કર-એ-તૈયબા છે, જેનો ચીફ હાફિઝ સઈદ છે. જે સ્થળે આ એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી સેનાએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.  કાશ્મીર ખીણના કુલગામમાં ચાલી રહેલા આ ઓપરેશનનો આ બીજો દિવસ છે. 


બાતમીના આધારે કાર્યવાહી


કુલગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ-કશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રિય રાઈફલ્સ અને CRPFની ટુકડીઓએ આ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  તેના જવાબમાં સેનાના  જવાનોએ પણ ફાયરિંગ કર્યું અને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. 


હજુ પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન


કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના સમનુ પોકેટમાં ગુરુવારે બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના સંકેતો મળ્યા બાદ સુરક્ષા દળોએ નેહામા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, સેનાને આવતા જોઈને આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ તરત જ સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તરત જ ચાર્જ સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.


અધિકારીઓએ કહ્યું કે, જોકે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો છે, પરંતુ આતંકવાદીઓ અહીં ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન રાતોરાત મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ શુક્રવાર સવારથી ફરી એકવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કામગીરી તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે અને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોની માહિતી આપવામાં આવશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .