જમ્મુ-કાશ્મીર: ઘરમાં છુપાયેલા 5 આતંકીઓનો રોકેટ લોન્ચરથી સફાયો, સર્ચ ઓપરેશન યથાવત


  • Published By :
  • Published Date : 2023-11-17 14:17:13

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘરને જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું હતું. સેનાની આ જોરદાર કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના છે. આ એ જ લશ્કર-એ-તૈયબા છે, જેનો ચીફ હાફિઝ સઈદ છે. જે સ્થળે આ એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી સેનાએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.  કાશ્મીર ખીણના કુલગામમાં ચાલી રહેલા આ ઓપરેશનનો આ બીજો દિવસ છે. 


બાતમીના આધારે કાર્યવાહી


કુલગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ-કશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રિય રાઈફલ્સ અને CRPFની ટુકડીઓએ આ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  તેના જવાબમાં સેનાના  જવાનોએ પણ ફાયરિંગ કર્યું અને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. 


હજુ પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન


કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના સમનુ પોકેટમાં ગુરુવારે બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના સંકેતો મળ્યા બાદ સુરક્ષા દળોએ નેહામા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, સેનાને આવતા જોઈને આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ તરત જ સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તરત જ ચાર્જ સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.


અધિકારીઓએ કહ્યું કે, જોકે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો છે, પરંતુ આતંકવાદીઓ અહીં ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન રાતોરાત મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ શુક્રવાર સવારથી ફરી એકવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કામગીરી તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે અને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોની માહિતી આપવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે