જમ્મુ-કાશ્મીર: ઘરમાં છુપાયેલા 5 આતંકીઓનો રોકેટ લોન્ચરથી સફાયો, સર્ચ ઓપરેશન યથાવત


  • Published By :
  • Published Date : 2023-11-17 14:17:13

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જે ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા તે ઘરને જ રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું હતું. સેનાની આ જોરદાર કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના છે. આ એ જ લશ્કર-એ-તૈયબા છે, જેનો ચીફ હાફિઝ સઈદ છે. જે સ્થળે આ એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી સેનાએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.  કાશ્મીર ખીણના કુલગામમાં ચાલી રહેલા આ ઓપરેશનનો આ બીજો દિવસ છે. 


બાતમીના આધારે કાર્યવાહી


કુલગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાદળોએ તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ-કશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રિય રાઈફલ્સ અને CRPFની ટુકડીઓએ આ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.  તેના જવાબમાં સેનાના  જવાનોએ પણ ફાયરિંગ કર્યું અને આતંકવાદીઓને ઘેરી લીધા હતા. 


હજુ પણ ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન


કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, કુલગામ જિલ્લાના ડીએચ પોરા વિસ્તારના સમનુ પોકેટમાં ગુરુવારે બપોરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના સંકેતો મળ્યા બાદ સુરક્ષા દળોએ નેહામા ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે જ સમયે, સેનાને આવતા જોઈને આતંકવાદીઓમાં ગભરાટ ફેલાયો હતો. તેઓએ તરત જ સુરક્ષા દળો તરફ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તરત જ ચાર્જ સંભાળ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.


અધિકારીઓએ કહ્યું કે, જોકે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો છે, પરંતુ આતંકવાદીઓ અહીં ફસાયેલા છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન રાતોરાત મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ શુક્રવાર સવારથી ફરી એકવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે કામગીરી તેના છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે તે થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે અને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોની માહિતી આપવામાં આવશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.