ભાજપના MLA કુમાર કાનાણીનો લેટર બોંબ, સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-28 21:11:46

ભાજપના અગ્રણી નેતા અને સુરતની વરાછા રોડ વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક લેટર બોંબ ફોડ્યો છે. તેમણે સુરતમાં જોવા મળતી ગંદકી, દુર્ગંધ અને મરછરજન્ય રોગોના મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આ પત્રથી રાજકીય હડકંપ મચી ગયો છે. 


કાનાણીએ શું પત્રમાં શું ફરિયાદ કરી?


ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી. કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ થઈ જશે. કુમાર કાનાણીએ કમિશ્નરને પત્રના માધ્યમથી ગર્ભીત ચિમકી આપતા કહ્યું છે કે જો આ સમસ્યા હલ નહી થાય તો લોકો જન આંદોલન કરશે અને ત્યારે ન છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.


સુરતની વાસ્તવિક સ્થિતી શું છે?


દેશના સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરની ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના લીધે મચ્છરો અને ગંદકીના કારણે ફેલાઈ રહેલી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયાં છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ આ ગંદકીની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.