ભાજપના MLA કુમાર કાનાણીનો લેટર બોંબ, સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આપી આ ગર્ભિત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-01-28 21:11:46

ભાજપના અગ્રણી નેતા અને સુરતની વરાછા રોડ વિધાનસભા સીટના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક લેટર બોંબ ફોડ્યો છે. તેમણે સુરતમાં જોવા મળતી ગંદકી, દુર્ગંધ અને મરછરજન્ય રોગોના મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીના આ પત્રથી રાજકીય હડકંપ મચી ગયો છે. 


કાનાણીએ શું પત્રમાં શું ફરિયાદ કરી?


ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી. કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ થઈ જશે. કુમાર કાનાણીએ કમિશ્નરને પત્રના માધ્યમથી ગર્ભીત ચિમકી આપતા કહ્યું છે કે જો આ સમસ્યા હલ નહી થાય તો લોકો જન આંદોલન કરશે અને ત્યારે ન છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે જેની ખાસ નોંધ લેશો.


સુરતની વાસ્તવિક સ્થિતી શું છે?


દેશના સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરની ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના લીધે મચ્છરો અને ગંદકીના કારણે ફેલાઈ રહેલી દુર્ગંધથી લોકો પરેશાન થઈ ગયાં છે. અનેક રજૂઆતો કર્યા બાદ પણ આ ગંદકીની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.