કુમાર કાનાણીએ ફરી એક વખત લખ્યો પત્ર, જાણો આ વખતે શેની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-02-22 11:03:02

થોડા સમય પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો જેમાં પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો તેમજ લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા કહેવામાં આવ્યું હતું. જે બાદ લક્ઝરી બસની મુસાફરી કરતા લોકોને શહેરની બહાર ઉતારવામાં આવ્યા હતા. આ નિર્ણયને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ એક પત્ર કુમાર કાનાણીએ લખ્યો છે જેમાં તેમણે સુરત શહેરમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારોમાં સ્લીપીંગ એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. 


મુખ્યમંત્રી તેમજ હર્ષ સંઘવીને લખ્યો પત્ર

અનેક વખત લક્ઝરી બસને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમય દરમિયાન લક્ઝરી બસને શહેરમાં ન પ્રવેશવા દેવાય તે માટે સુરતના ધારાસભ્યે પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ મુસાફરોને શહેરની બહાર ઉતારવા લાગ્યા. જેને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો છે જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં એસટી સ્લીપિંગ બસ શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. મુખ્યમંત્રીની સાથે સાથે તેમણે પત્ર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પણ લખ્યો છે.  


સ્લીપિંગ એસટી બસ શરૂ કરવા કરી રજૂઆત 

મળતી માહિતી અનુસાર કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો છે તેમાં એસટી બસ શરૂ કરવાની માગ કરવામાં આવી છે. કુમાર કાનાણીએ પત્રમાં માગ કરી છે કે પુણા, વરાછા, કારગામ સહિત વિસ્તારોમાં સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવામાં આવે.ધંધા અર્થે અનેક લોકો સુરત આવતા હોય છે જેને કારણે ખાનગી બસ સેવાનો ઉપયોગ કરવો પડે છે. ખાનગી બસ દ્વારા મન ફાવે તેટલા ભાડાના રકમની વસૂલી કરવામાં આવે છે. ત્યારે લોકોની માગ છે કે ખાનગી બસના રૂટનો સર્વે કરીને રૂટ પ્રમાણે સરકારી બસો શરૂ કરવામાં આવે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.