કુમાર કાનાણીએ ફરી એક વખત લખ્યો પત્ર, જાણો આ વખતે શેની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-02-22 11:03:02

થોડા સમય પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો જેમાં પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો તેમજ લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા કહેવામાં આવ્યું હતું. જે બાદ લક્ઝરી બસની મુસાફરી કરતા લોકોને શહેરની બહાર ઉતારવામાં આવ્યા હતા. આ નિર્ણયને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વધુ એક પત્ર કુમાર કાનાણીએ લખ્યો છે જેમાં તેમણે સુરત શહેરમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારોમાં સ્લીપીંગ એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. 


મુખ્યમંત્રી તેમજ હર્ષ સંઘવીને લખ્યો પત્ર

અનેક વખત લક્ઝરી બસને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમય દરમિયાન લક્ઝરી બસને શહેરમાં ન પ્રવેશવા દેવાય તે માટે સુરતના ધારાસભ્યે પત્ર લખ્યો હતો. જે બાદ લકઝરી બસ મુસાફરોને શહેરની બહાર ઉતારવા લાગ્યા. જેને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો છે જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં એસટી સ્લીપિંગ બસ શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે. મુખ્યમંત્રીની સાથે સાથે તેમણે પત્ર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પણ લખ્યો છે.  


સ્લીપિંગ એસટી બસ શરૂ કરવા કરી રજૂઆત 

મળતી માહિતી અનુસાર કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો છે તેમાં એસટી બસ શરૂ કરવાની માગ કરવામાં આવી છે. કુમાર કાનાણીએ પત્રમાં માગ કરી છે કે પુણા, વરાછા, કારગામ સહિત વિસ્તારોમાં સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવામાં આવે.ધંધા અર્થે અનેક લોકો સુરત આવતા હોય છે જેને કારણે ખાનગી બસ સેવાનો ઉપયોગ કરવો પડે છે. ખાનગી બસ દ્વારા મન ફાવે તેટલા ભાડાના રકમની વસૂલી કરવામાં આવે છે. ત્યારે લોકોની માગ છે કે ખાનગી બસના રૂટનો સર્વે કરીને રૂટ પ્રમાણે સરકારી બસો શરૂ કરવામાં આવે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.