RSSને 'અભણ' કહેવાની કુમાર વિશ્વાસે કિંમત ચૂકવી, તેમનો વડોદરાનો કાર્યક્રમ રદ કરાયો


  • Published By :
  • Published Date : 2023-02-24 20:38:23

નેતા હોય કે સ્વૈચ્છિક સંગઠન કે પછી કોઈ પણ સંસ્થા એક બાબત નગ્ન સત્ય છે કે કોઈને પણ ટીકા ગમતી નથી, આ કારણે ઘણી વખત વાતનું વતેસર થઈ જતું હોય છે. જેમ કે જાણીતા કવિ કુમાર વિશ્વાસે તાજેતરમાં ઉજ્જૈનમાં એક ભાષણ દરમિયાન RSSને અભણ ગણાવ્યું હતું. કુમાર વિશ્વાસને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આ ટીકા ભારે પડી છે. કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ 'અપને અપને શ્યામ' વડોદરામાં યોજાવાનો હતો પણ હવે તે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. 


કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરાઈ


કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડોદરાના નવલખી મેદાનમાં ત્રીજી અને ચોથી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની જાહેરાત વખતે વિશ્વાસને યુગ કવિ અને હાલના સમયના સૌથી વધારે લોકપ્રિય હિન્દી કવિ કહેવામાં આવ્યા હતા અને કૃષ્ણજીવન પર આધારિત તેમના કાર્યક્રમનું અપને અપને શ્યામ શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.


આયોજકોએ શું કહ્યું?


કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ તાજેતરમાં વિશ્વાસે RSS વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આથી વડોદરાના આયોજકોએ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આપેલા નિવેદન અનુસાર રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે RSSના ઘણા સેવકોએ જીવનું બલિદાન આપ્યું છે. એવા જ એક સ્વયંસેવક દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે.

આવી સંસ્થાનું સન્માન જળવાઈ રહે તે માટે નફા નુકસાનની પરવાહ કર્યા વિના આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માટે 52,000 કરતા વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. છતાં વડોદરામાં યોજાનાર આવા પહેલા કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય વ્યથિત મને કરી રહ્યા છીએ, તેવી પ્રેસનોટ ડો. જીગર ઈનામદારના નામે વાઈરલ થઈ છે.


કુમાર વિશ્વાસે માફી માંગી હતી


કુમાર વિશ્વાસે RSS અંગે નિવેદન કર્યા બાદ વિવાદ વકર્યો હતો, ભાજપના કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો કુમાર વિશ્વાસ માફીં નહીં માંગે તો તે રામકથા યોજવા દે છે નહીં. વિવાદ વકરતા અંતે કુમાર વિશ્વાસે વીડિયો જારી કરી માફી માંગી લીધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે  તેમણે એવું કાંઈક કહ્યું જેનો લોકોએ ખોટો મતલબ શોધી કાઢ્યો હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.