RSSને 'અભણ' કહેવાની કુમાર વિશ્વાસે કિંમત ચૂકવી, તેમનો વડોદરાનો કાર્યક્રમ રદ કરાયો


  • Published By :
  • Published Date : 2023-02-24 20:38:23

નેતા હોય કે સ્વૈચ્છિક સંગઠન કે પછી કોઈ પણ સંસ્થા એક બાબત નગ્ન સત્ય છે કે કોઈને પણ ટીકા ગમતી નથી, આ કારણે ઘણી વખત વાતનું વતેસર થઈ જતું હોય છે. જેમ કે જાણીતા કવિ કુમાર વિશ્વાસે તાજેતરમાં ઉજ્જૈનમાં એક ભાષણ દરમિયાન RSSને અભણ ગણાવ્યું હતું. કુમાર વિશ્વાસને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આ ટીકા ભારે પડી છે. કુમાર વિશ્વાસનો એક કાર્યક્રમ 'અપને અપને શ્યામ' વડોદરામાં યોજાવાનો હતો પણ હવે તે કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. 


કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત કરાઈ


કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડોદરાના નવલખી મેદાનમાં ત્રીજી અને ચોથી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની જાહેરાત વખતે વિશ્વાસને યુગ કવિ અને હાલના સમયના સૌથી વધારે લોકપ્રિય હિન્દી કવિ કહેવામાં આવ્યા હતા અને કૃષ્ણજીવન પર આધારિત તેમના કાર્યક્રમનું અપને અપને શ્યામ શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.


આયોજકોએ શું કહ્યું?


કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને અપને શ્યામ વડોદરામાં પહેલી વાર યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ તાજેતરમાં વિશ્વાસે RSS વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આથી વડોદરાના આયોજકોએ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આપેલા નિવેદન અનુસાર રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે RSSના ઘણા સેવકોએ જીવનું બલિદાન આપ્યું છે. એવા જ એક સ્વયંસેવક દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને દેશને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે.

આવી સંસ્થાનું સન્માન જળવાઈ રહે તે માટે નફા નુકસાનની પરવાહ કર્યા વિના આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માટે 52,000 કરતા વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. છતાં વડોદરામાં યોજાનાર આવા પહેલા કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય વ્યથિત મને કરી રહ્યા છીએ, તેવી પ્રેસનોટ ડો. જીગર ઈનામદારના નામે વાઈરલ થઈ છે.


કુમાર વિશ્વાસે માફી માંગી હતી


કુમાર વિશ્વાસે RSS અંગે નિવેદન કર્યા બાદ વિવાદ વકર્યો હતો, ભાજપના કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો કુમાર વિશ્વાસ માફીં નહીં માંગે તો તે રામકથા યોજવા દે છે નહીં. વિવાદ વકરતા અંતે કુમાર વિશ્વાસે વીડિયો જારી કરી માફી માંગી લીધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે  તેમણે એવું કાંઈક કહ્યું જેનો લોકોએ ખોટો મતલબ શોધી કાઢ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.