Kunvarji Bavaliyaને કરવો પડ્યો વિરોધનો સામનો, જાણો ક્યાંના ગ્રામજનોએ લગાવ્યા હાય હાયના નારા અને તે બાદ મંત્રીને ભગાડ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-11 16:57:39

આજકાલ ધારાસભ્યો જાણે લોકો સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓ, ધારાસભ્યો અનેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે તે જાણવા માટે ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુરની મુલાકાત જ્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ પુરવઠા મંત્રી હાય હાયના નારા લગાવી મંત્રીને ત્યાંથી ભગાડ્યા હતા. 


છોટાઉદેપુરના એક ગામમાં મંત્રીને કરવો પડ્યો વિરોધનો સામનો 

જ્યારે ગામડામાં રહેતા લોકો પાસે સુવિધાઓ નથી પહોંચતી , જ્યારે ગામડામાં રહેતા લોકોનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે તે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. ત્યારે લોકોના વિરોધનો સામનો કુંવરજી બાવળીયાએ કરવો પડ્યો હતો. ગઈકાલે છોટાઉદેપુરના રોજકુવાં ગામે મંત્રી કુંવરજી બાવળિયા પાણી પુરવઠા યોજનાની મુલાકાતે માટે ગયા હતા. ત્યારે લોકોએ મંત્રીનો હુરિયો બોલાવી વિરોધ કર્યો હતો. વિરોધ શા માટે થયો તેની વાત કરીએ તો, ગૌચરની જમીનમાં ખોટી રીતે ટાંકી બનાવ્યાનો ગામ લોકોએ મોટો આરોપ લગાવ્યો હતો. અગાઉ પણ આ બાબતે ગામ લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ ના આવતા લોકો મંત્રી પર તૂટી પડ્યા અને તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો. 


મંત્રીજીની ગાડી રોકી લોકોએ ઠાલવ્યો પોતાનો રોષ

છોટાઉદેપુરના 3 થી 4 ગામની મુલાકાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ગયા હતા. મુલાકાત દરમિયાન તેએ રોજકુવાં ગામે પહોંચ્યા તો ત્યાં તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મંત્રીજીની ગાડી રોકી લેવામાં આવી અને ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો. આદિવાસી વિસ્તારોમાં અનેક સમસ્યા હોય છે અને છોટાઉદેપુરમાં લોકો અધિકારીઓને અને નેતાઓને કહી કહીને થાક્યા તો પણ કોઈ વાતનો ઉકેલ નથી આવતો.


સીએમે શાળાની લીધી હતી ઓચિંતી મુલાકાત 

એટલે હવે ત્યાંના લોકો ઉગ્ર બન્યા છે જોકે એક સારી વાત એ પણ છે કે મંત્રીઓની આંખ હવે ખૂલી છે અને તેઓ ગામડાઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે શાળામાં મીટરના ખુલ્લા વાયરો જોઇને મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરનો ઉધડો લીધો હતો.


રિયાલીટિ ચેક કરવામાં ત્યારે ખબર પડે કે યોજનાઓ તો લોકો સુધી પહોંચતી જ નથી!

બસ જો આવી રીતે જ મંત્રીઓ અને અધિકરીઓ છેવાળાના ગામ સુધી પહોંચે તો એમને ખ્યાલ આવે કે ગામની શું હાલત છે શિક્ષણની શું હાલત છે અને ગાંધીનગરની પાસ થતી એ યોજનાઓ વચ્ચે કયા ખવાઇ જાય છે? જો આવી જ રીતે નેતાઓ સરપ્રાઈઝ ચેકિંગ કરે ત્યારે તેમને જમીની હકીકત ખબર પડે. જે યોજનાઓ લોકો માટે શરૂ કરવામાં આવતી હોય છે, તે લાભાર્થીઓ સુધી નથી પહોંચતી. ગાંધીનગરથી ભલે ગમે તેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે પરંતુ ગામડામાં રહેતા લોકોની પરિસ્થિતિ તો સરખી જ રહે છે. કારણ કે યોજનાઓ ત્યાં રહેતા લોકો સુધી પહોંચતી જ નથી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.