Kunvarji Bavaliyaને કરવો પડ્યો વિરોધનો સામનો, જાણો ક્યાંના ગ્રામજનોએ લગાવ્યા હાય હાયના નારા અને તે બાદ મંત્રીને ભગાડ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-11 16:57:39

આજકાલ ધારાસભ્યો જાણે લોકો સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓ, ધારાસભ્યો અનેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળી લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે તે જાણવા માટે ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુરની મુલાકાત જ્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ પુરવઠા મંત્રી હાય હાયના નારા લગાવી મંત્રીને ત્યાંથી ભગાડ્યા હતા. 


છોટાઉદેપુરના એક ગામમાં મંત્રીને કરવો પડ્યો વિરોધનો સામનો 

જ્યારે ગામડામાં રહેતા લોકો પાસે સુવિધાઓ નથી પહોંચતી , જ્યારે ગામડામાં રહેતા લોકોનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે તે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. ત્યારે લોકોના વિરોધનો સામનો કુંવરજી બાવળીયાએ કરવો પડ્યો હતો. ગઈકાલે છોટાઉદેપુરના રોજકુવાં ગામે મંત્રી કુંવરજી બાવળિયા પાણી પુરવઠા યોજનાની મુલાકાતે માટે ગયા હતા. ત્યારે લોકોએ મંત્રીનો હુરિયો બોલાવી વિરોધ કર્યો હતો. વિરોધ શા માટે થયો તેની વાત કરીએ તો, ગૌચરની જમીનમાં ખોટી રીતે ટાંકી બનાવ્યાનો ગામ લોકોએ મોટો આરોપ લગાવ્યો હતો. અગાઉ પણ આ બાબતે ગામ લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ ના આવતા લોકો મંત્રી પર તૂટી પડ્યા અને તેમને ભગાડવાનો પ્રયાસ કર્યો. 


મંત્રીજીની ગાડી રોકી લોકોએ ઠાલવ્યો પોતાનો રોષ

છોટાઉદેપુરના 3 થી 4 ગામની મુલાકાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ગયા હતા. મુલાકાત દરમિયાન તેએ રોજકુવાં ગામે પહોંચ્યા તો ત્યાં તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મંત્રીજીની ગાડી રોકી લેવામાં આવી અને ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો. આદિવાસી વિસ્તારોમાં અનેક સમસ્યા હોય છે અને છોટાઉદેપુરમાં લોકો અધિકારીઓને અને નેતાઓને કહી કહીને થાક્યા તો પણ કોઈ વાતનો ઉકેલ નથી આવતો.


સીએમે શાળાની લીધી હતી ઓચિંતી મુલાકાત 

એટલે હવે ત્યાંના લોકો ઉગ્ર બન્યા છે જોકે એક સારી વાત એ પણ છે કે મંત્રીઓની આંખ હવે ખૂલી છે અને તેઓ ગામડાઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે શાળામાં મીટરના ખુલ્લા વાયરો જોઇને મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરનો ઉધડો લીધો હતો.


રિયાલીટિ ચેક કરવામાં ત્યારે ખબર પડે કે યોજનાઓ તો લોકો સુધી પહોંચતી જ નથી!

બસ જો આવી રીતે જ મંત્રીઓ અને અધિકરીઓ છેવાળાના ગામ સુધી પહોંચે તો એમને ખ્યાલ આવે કે ગામની શું હાલત છે શિક્ષણની શું હાલત છે અને ગાંધીનગરની પાસ થતી એ યોજનાઓ વચ્ચે કયા ખવાઇ જાય છે? જો આવી જ રીતે નેતાઓ સરપ્રાઈઝ ચેકિંગ કરે ત્યારે તેમને જમીની હકીકત ખબર પડે. જે યોજનાઓ લોકો માટે શરૂ કરવામાં આવતી હોય છે, તે લાભાર્થીઓ સુધી નથી પહોંચતી. ગાંધીનગરથી ભલે ગમે તેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે પરંતુ ગામડામાં રહેતા લોકોની પરિસ્થિતિ તો સરખી જ રહે છે. કારણ કે યોજનાઓ ત્યાં રહેતા લોકો સુધી પહોંચતી જ નથી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.