Banaskantha જીતવા BJPમાંથી બળવો કરીને ગયેલા લેબજી ઠાકોરની ઘર વાપસી? |Geniben Thakor સામે ઠાકોર નેતા!


  • Published By :
  • Published Date : 2024-03-18 16:35:32

બનાસકાંઠા જીતવું ભાજપ માટે અઘરું? આ પ્રશ્ન અત્યારે એટલે થઈ રહ્યો છે કારણ કે ગઈકાલથી એક સમાચાર વહેતા થયા છે કે બનાસકાંઠાના એક ઠાકોર નેતા જે બળવો કરીને અપક્ષ ચુંટણી લડ્યા એમને ઘર વાપસી કરાવા બીજેપી પ્રયાસો કરી રહી છે. જે નેતાની વાત અહીંયા થઈ રહી છે તે છે લેબજી ઠાકોર છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.    

લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવા બીજેપીએ કવાયત શરૂ કરી

ભાજપે બનાસકાંઠામાં વધુ એક પક્ષપલટો કરીને અપક્ષ ચૂંટણી લડેલા નેતા લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. હવે ગમે તે સમયે લેબજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. એનું કારણ શું તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતાં જ ભાજપને પણ ઠાકોર નેતાની જરૂર પડી છે. જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે એ રેખાબેન ચૌધરી જેમણે ચૌધરી સમાજનો સપોર્ટ તો મળી જશે પણ બનાસકાંઠા જીતવું એટલું સહેલું નથી! બનાસકાંઠામાં ચૌધરી સમાજના લોકો કરતાં ઠાકોર સમાજના લોકો વધારે છે  આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે , ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે એટલે જો બનાસકાંઠા જીતવું છે તો બીજેપીને ઠાકોર સમાજના મત પણ પોતાની તરફ ખેચવા પડશે એટલે ભાજપ લેબજી ઠાકોરને ભાજપમાં ઘર વાપસી કરાવી શકે છે 


વિધાનસભામાં ભાજપે લેબજી ઠાકોરને ન આપી હતી ટિકીટ 

ગઈ વિધાનસભા દરમિયાન લેબજી ઠાકોર પક્ષ સામે બળવો કરીને ડીસા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા એ લેબજી ઠાકોર  ફરીથી કેસરિયો કરશે તેવી વાત છે  ગઇ વિધાનસભા વખતે ભાજપે લેબજી ઠાકોરને અવગણીને ટિકીટ ન હતી આપી પછી લેબજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણીમાં 45000થી વધુ મતો પણ મેળવ્યા હતા. અને જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપને એક મજબૂત ઠાકોર નેતાની જરૂર પડી છે એટલે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. 


પહેલી વખત બનાકકાંઠા પરથી ભાજપે ઉતાર્યો મહિલા ચહેરાને!

જો રેખાબેન ચૌધરીની વાત કરીએ તો ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ ભાજપે આ પરંપરા તોડી ડો. રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે કામ કરે છે અને ભાજપે જે રીતે આ વખતે શિક્ષિત અને યુવા ચહેરાને ટિકિટ આપી છે એમાંથી એક ચેહરો રેખાબેન નો છે તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ પટેલ બનાસ ડેરીના  સ્થાપક છે. એટલે એ ફેક્ટર પણ કામ કરશે પણ કોકડું ઠાકોર સમાજના મત માં અટવાયું અને અને બીજેપીએ આનો તોડ હવે કાઢી લીધો છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.