Banaskantha જીતવા BJPમાંથી બળવો કરીને ગયેલા લેબજી ઠાકોરની ઘર વાપસી? |Geniben Thakor સામે ઠાકોર નેતા!


  • Published By :
  • Published Date : 2024-03-18 16:35:32

બનાસકાંઠા જીતવું ભાજપ માટે અઘરું? આ પ્રશ્ન અત્યારે એટલે થઈ રહ્યો છે કારણ કે ગઈકાલથી એક સમાચાર વહેતા થયા છે કે બનાસકાંઠાના એક ઠાકોર નેતા જે બળવો કરીને અપક્ષ ચુંટણી લડ્યા એમને ઘર વાપસી કરાવા બીજેપી પ્રયાસો કરી રહી છે. જે નેતાની વાત અહીંયા થઈ રહી છે તે છે લેબજી ઠાકોર છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.    

લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવા બીજેપીએ કવાયત શરૂ કરી

ભાજપે બનાસકાંઠામાં વધુ એક પક્ષપલટો કરીને અપક્ષ ચૂંટણી લડેલા નેતા લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. હવે ગમે તે સમયે લેબજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. એનું કારણ શું તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતાં જ ભાજપને પણ ઠાકોર નેતાની જરૂર પડી છે. જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે એ રેખાબેન ચૌધરી જેમણે ચૌધરી સમાજનો સપોર્ટ તો મળી જશે પણ બનાસકાંઠા જીતવું એટલું સહેલું નથી! બનાસકાંઠામાં ચૌધરી સમાજના લોકો કરતાં ઠાકોર સમાજના લોકો વધારે છે  આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે , ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે એટલે જો બનાસકાંઠા જીતવું છે તો બીજેપીને ઠાકોર સમાજના મત પણ પોતાની તરફ ખેચવા પડશે એટલે ભાજપ લેબજી ઠાકોરને ભાજપમાં ઘર વાપસી કરાવી શકે છે 


વિધાનસભામાં ભાજપે લેબજી ઠાકોરને ન આપી હતી ટિકીટ 

ગઈ વિધાનસભા દરમિયાન લેબજી ઠાકોર પક્ષ સામે બળવો કરીને ડીસા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા એ લેબજી ઠાકોર  ફરીથી કેસરિયો કરશે તેવી વાત છે  ગઇ વિધાનસભા વખતે ભાજપે લેબજી ઠાકોરને અવગણીને ટિકીટ ન હતી આપી પછી લેબજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણીમાં 45000થી વધુ મતો પણ મેળવ્યા હતા. અને જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપને એક મજબૂત ઠાકોર નેતાની જરૂર પડી છે એટલે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે. 


પહેલી વખત બનાકકાંઠા પરથી ભાજપે ઉતાર્યો મહિલા ચહેરાને!

જો રેખાબેન ચૌધરીની વાત કરીએ તો ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે પ્રથમવાર મહિલા ઉમેદવારની પસંદગી કરી અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતુ હતુ. પરંતુ ભાજપે આ પરંપરા તોડી ડો. રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે કામ કરે છે અને ભાજપે જે રીતે આ વખતે શિક્ષિત અને યુવા ચહેરાને ટિકિટ આપી છે એમાંથી એક ચેહરો રેખાબેન નો છે તેમના દાદા સ્વર્ગસ્થ ગલબાભાઇ પટેલ બનાસ ડેરીના  સ્થાપક છે. એટલે એ ફેક્ટર પણ કામ કરશે પણ કોકડું ઠાકોર સમાજના મત માં અટવાયું અને અને બીજેપીએ આનો તોડ હવે કાઢી લીધો છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો..



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે