Ladakh LAC -જવાનો બન્યા દુર્ઘટનાનો શિકાર, ટેન્કના અભ્યાસ વખતે અચાનક વધી ગયું નદીમાં પાણીનું સ્તર, પાંચ જવાનો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2024-06-29 16:16:28

લદ્દાખમાં ભારતીય જવાનો સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જવાનો ટેંકનો અભ્યાસ કરી રહ્યા હતા તે વખતે ટેન્ક ફસાઈ ગઈ. લદ્દાખમાં એલએસી પાસે જવાનો મિલિટરી એક્સરસાઈઝ કરી રહ્યા હતા તે વખતે દુર્ઘટના બની અને પાંચ જવાનો શહીદ થઈ ગયા છે.. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં આ ઘટના બની છે. નદીમાં જ્યારે અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે અચાનક નદીનું જળ સ્તર વધી ગયું જેમાં જવાન ફસાઈ ગયા અને જવાન મોતને ભેટ્યા છે, શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

  

પ્રેક્ટિસ દરમિયાન બની આ દુર્ઘટના 

જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. દેશની રક્ષા માટે જવાન પોતાનું જીવન  સમર્પિત કરતો હોય છે.. શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે... ત્યારે લદ્દાખથી સમાચાર સામે આવ્યા જેમાં પાંચ જવાનો એક દુર્ઘટનાનો શિકાર બની ગયા. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 


પાંચ જવાનના આ દુર્ઘટનામાં થયા મોત 

જે સમયે પ્રેક્ટિસ જવાનો કરી રહ્યા હતા તે વખતે અચાનક જળ સ્તર વધી ગયું. સંરક્ષણ અધિકારી દ્વારા આને લઈ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર લદ્દાખમાં ટેન્કને નદી પાર કરાવામાં આવી રહી હતી.. ટેન્કને પાર કરાવાની પ્રેક્ટિસ નિયમીત રીતે કરાવામાં આવે છે. જે વખતે આ અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીનો પ્રવાહ વધી ગયો. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટેન્કમાં પાંચ જવાન હાજર હતા જેમાં જુનિયર કમીશન અધિકારી પણ સામેલ હતા. બધાના મૃતદેહ મળી ગયા છે. આ ઘટનાને લઈ મલ્લિકાર્જુન ખડગેએ પણ શોક પ્રગટ કર્યો છે.

      



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.