Ladakh LAC -જવાનો બન્યા દુર્ઘટનાનો શિકાર, ટેન્કના અભ્યાસ વખતે અચાનક વધી ગયું નદીમાં પાણીનું સ્તર, પાંચ જવાનો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2024-06-29 16:16:28

લદ્દાખમાં ભારતીય જવાનો સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જવાનો ટેંકનો અભ્યાસ કરી રહ્યા હતા તે વખતે ટેન્ક ફસાઈ ગઈ. લદ્દાખમાં એલએસી પાસે જવાનો મિલિટરી એક્સરસાઈઝ કરી રહ્યા હતા તે વખતે દુર્ઘટના બની અને પાંચ જવાનો શહીદ થઈ ગયા છે.. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં આ ઘટના બની છે. નદીમાં જ્યારે અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે અચાનક નદીનું જળ સ્તર વધી ગયું જેમાં જવાન ફસાઈ ગયા અને જવાન મોતને ભેટ્યા છે, શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

  

પ્રેક્ટિસ દરમિયાન બની આ દુર્ઘટના 

જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. દેશની રક્ષા માટે જવાન પોતાનું જીવન  સમર્પિત કરતો હોય છે.. શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે... ત્યારે લદ્દાખથી સમાચાર સામે આવ્યા જેમાં પાંચ જવાનો એક દુર્ઘટનાનો શિકાર બની ગયા. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 


પાંચ જવાનના આ દુર્ઘટનામાં થયા મોત 

જે સમયે પ્રેક્ટિસ જવાનો કરી રહ્યા હતા તે વખતે અચાનક જળ સ્તર વધી ગયું. સંરક્ષણ અધિકારી દ્વારા આને લઈ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર લદ્દાખમાં ટેન્કને નદી પાર કરાવામાં આવી રહી હતી.. ટેન્કને પાર કરાવાની પ્રેક્ટિસ નિયમીત રીતે કરાવામાં આવે છે. જે વખતે આ અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીનો પ્રવાહ વધી ગયો. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટેન્કમાં પાંચ જવાન હાજર હતા જેમાં જુનિયર કમીશન અધિકારી પણ સામેલ હતા. બધાના મૃતદેહ મળી ગયા છે. આ ઘટનાને લઈ મલ્લિકાર્જુન ખડગેએ પણ શોક પ્રગટ કર્યો છે.

      



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.