Ladakh LAC -જવાનો બન્યા દુર્ઘટનાનો શિકાર, ટેન્કના અભ્યાસ વખતે અચાનક વધી ગયું નદીમાં પાણીનું સ્તર, પાંચ જવાનો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2024-06-29 16:16:28

લદ્દાખમાં ભારતીય જવાનો સાથે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જવાનો ટેંકનો અભ્યાસ કરી રહ્યા હતા તે વખતે ટેન્ક ફસાઈ ગઈ. લદ્દાખમાં એલએસી પાસે જવાનો મિલિટરી એક્સરસાઈઝ કરી રહ્યા હતા તે વખતે દુર્ઘટના બની અને પાંચ જવાનો શહીદ થઈ ગયા છે.. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં આ ઘટના બની છે. નદીમાં જ્યારે અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે અચાનક નદીનું જળ સ્તર વધી ગયું જેમાં જવાન ફસાઈ ગયા અને જવાન મોતને ભેટ્યા છે, શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

  

પ્રેક્ટિસ દરમિયાન બની આ દુર્ઘટના 

જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. દેશની રક્ષા માટે જવાન પોતાનું જીવન  સમર્પિત કરતો હોય છે.. શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે... ત્યારે લદ્દાખથી સમાચાર સામે આવ્યા જેમાં પાંચ જવાનો એક દુર્ઘટનાનો શિકાર બની ગયા. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો ટેન્ક સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 


પાંચ જવાનના આ દુર્ઘટનામાં થયા મોત 

જે સમયે પ્રેક્ટિસ જવાનો કરી રહ્યા હતા તે વખતે અચાનક જળ સ્તર વધી ગયું. સંરક્ષણ અધિકારી દ્વારા આને લઈ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર લદ્દાખમાં ટેન્કને નદી પાર કરાવામાં આવી રહી હતી.. ટેન્કને પાર કરાવાની પ્રેક્ટિસ નિયમીત રીતે કરાવામાં આવે છે. જે વખતે આ અભ્યાસ ચાલી રહ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીનો પ્રવાહ વધી ગયો. અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટેન્કમાં પાંચ જવાન હાજર હતા જેમાં જુનિયર કમીશન અધિકારી પણ સામેલ હતા. બધાના મૃતદેહ મળી ગયા છે. આ ઘટનાને લઈ મલ્લિકાર્જુન ખડગેએ પણ શોક પ્રગટ કર્યો છે.

      



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.