Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા પહેલા Lal Krishna Advaniએ Atal Bihari Vajpayeeને કર્યા યાદ કહ્યું અટલજીની કમી... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-13 09:29:42

ભગવાન રામની મૂર્તિની સ્થાપના 22 જાન્યુઆરીએ થવાની છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં આ કાર્યક્રમને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સામેલ થવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલનના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે વીએચપી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે લાલ કૃષ્ણ અડવાણી આ સમારોહમાં સામેલ થશે. રામ મંદિરના ઉદ્ધાટન પહેલા તેમની પ્રતિક્રિયા સામે આવી છે. 

અટલ બિહારી વાજપૈયીને અડવાણીએ કર્યા યાદ 

લાલ કૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. રામ મંદિર આંદોલન માટે તેમણે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા પણ કાઢી હતી. રામ મંદિર આંદોલનમાં તેમણે સારથીની ભૂમિકા પણ ભજવી હતી. રામ મંદિરને લઈ પ્રથમ વખત લાલ કૃષ્ણ અડવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. એક અખબારમાં અડવાણીનો લેખ પ્રસિદ્ધ થવાનો છે તેવી માહિતી સામે આવી છે. તે લેખમાં લાલ કૃષ્ણ અડવાણીએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયીને યાદ કર્યા છે. તેમણે કહ્યં કે આ આયોજનમાં તે અટલ બિહારી વાજપૈયીની કમીને મહેસૂસ કરી રહ્યા છે. 



નરેન્દ્ર મોદી માટે અડવાણીએ કહી આ વાત! 

અખબાર માટે તેમણે લખ્યું છે કે જ્યારે તેમણે 25 સપ્ટેમ્બર 1990ના રોજ 'રથયાત્રા' શરૂ કરી ત્યારે તેમને ખબર નહોતી કે તે દેશમાં આંદોલનનું સ્વરૂપ લેશે. તે રથયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી પણ તેમના સાથી હતા. એ સમયે તેઓ ઓછા જાણીતા હતા પરંતુ એ સમયે જ ભગવાન રામે પોતાના મંદિરના પુનર્નિર્માણ માટે પોતાના ભક્ત મોદીને પસંદ કર્યા હતા. તેમણે લખ્યું કે "રથયાત્રા દરમિયાન આવા ઘણા અનુભવો થયા, જેણે મારા જીવનને પ્રભાવિત કર્યું. દૂરના ગામડાઓમાંથી અજાણ્યા ગ્રામજનો રથને જોઈને ભાવુક થઈને મારી પાસે આવતા. તેઓ નમસ્કાર કરીને, રામની સ્તુતિ કરતા અને ચાલ્યા જતા." 



રામ મંદિર પ્રતિષ્ઠાના આમંત્રણને લઈ ગરમાયું રાજકારણ

લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરનું ઉદ્ઘાટન કરશે ત્યારે તેઓ ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને રામના ગુણો અપનાવવા માટે પ્રેરણા આપે." મહત્વનું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આમંત્રણનો  અસ્વીકાર કર્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.