Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા પહેલા Lal Krishna Advaniએ Atal Bihari Vajpayeeને કર્યા યાદ કહ્યું અટલજીની કમી... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-13 09:29:42

ભગવાન રામની મૂર્તિની સ્થાપના 22 જાન્યુઆરીએ થવાની છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં આ કાર્યક્રમને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સામેલ થવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલનના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે વીએચપી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે લાલ કૃષ્ણ અડવાણી આ સમારોહમાં સામેલ થશે. રામ મંદિરના ઉદ્ધાટન પહેલા તેમની પ્રતિક્રિયા સામે આવી છે. 

અટલ બિહારી વાજપૈયીને અડવાણીએ કર્યા યાદ 

લાલ કૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. રામ મંદિર આંદોલન માટે તેમણે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા પણ કાઢી હતી. રામ મંદિર આંદોલનમાં તેમણે સારથીની ભૂમિકા પણ ભજવી હતી. રામ મંદિરને લઈ પ્રથમ વખત લાલ કૃષ્ણ અડવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. એક અખબારમાં અડવાણીનો લેખ પ્રસિદ્ધ થવાનો છે તેવી માહિતી સામે આવી છે. તે લેખમાં લાલ કૃષ્ણ અડવાણીએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયીને યાદ કર્યા છે. તેમણે કહ્યં કે આ આયોજનમાં તે અટલ બિહારી વાજપૈયીની કમીને મહેસૂસ કરી રહ્યા છે. 



નરેન્દ્ર મોદી માટે અડવાણીએ કહી આ વાત! 

અખબાર માટે તેમણે લખ્યું છે કે જ્યારે તેમણે 25 સપ્ટેમ્બર 1990ના રોજ 'રથયાત્રા' શરૂ કરી ત્યારે તેમને ખબર નહોતી કે તે દેશમાં આંદોલનનું સ્વરૂપ લેશે. તે રથયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી પણ તેમના સાથી હતા. એ સમયે તેઓ ઓછા જાણીતા હતા પરંતુ એ સમયે જ ભગવાન રામે પોતાના મંદિરના પુનર્નિર્માણ માટે પોતાના ભક્ત મોદીને પસંદ કર્યા હતા. તેમણે લખ્યું કે "રથયાત્રા દરમિયાન આવા ઘણા અનુભવો થયા, જેણે મારા જીવનને પ્રભાવિત કર્યું. દૂરના ગામડાઓમાંથી અજાણ્યા ગ્રામજનો રથને જોઈને ભાવુક થઈને મારી પાસે આવતા. તેઓ નમસ્કાર કરીને, રામની સ્તુતિ કરતા અને ચાલ્યા જતા." 



રામ મંદિર પ્રતિષ્ઠાના આમંત્રણને લઈ ગરમાયું રાજકારણ

લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરનું ઉદ્ઘાટન કરશે ત્યારે તેઓ ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને રામના ગુણો અપનાવવા માટે પ્રેરણા આપે." મહત્વનું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આમંત્રણનો  અસ્વીકાર કર્યો છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.