Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા પહેલા Lal Krishna Advaniએ Atal Bihari Vajpayeeને કર્યા યાદ કહ્યું અટલજીની કમી... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-13 09:29:42

ભગવાન રામની મૂર્તિની સ્થાપના 22 જાન્યુઆરીએ થવાની છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં આ કાર્યક્રમને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સામેલ થવા અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલનના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ બધા વચ્ચે વીએચપી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે લાલ કૃષ્ણ અડવાણી આ સમારોહમાં સામેલ થશે. રામ મંદિરના ઉદ્ધાટન પહેલા તેમની પ્રતિક્રિયા સામે આવી છે. 

અટલ બિહારી વાજપૈયીને અડવાણીએ કર્યા યાદ 

લાલ કૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. રામ મંદિર આંદોલન માટે તેમણે 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથ યાત્રા પણ કાઢી હતી. રામ મંદિર આંદોલનમાં તેમણે સારથીની ભૂમિકા પણ ભજવી હતી. રામ મંદિરને લઈ પ્રથમ વખત લાલ કૃષ્ણ અડવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. એક અખબારમાં અડવાણીનો લેખ પ્રસિદ્ધ થવાનો છે તેવી માહિતી સામે આવી છે. તે લેખમાં લાલ કૃષ્ણ અડવાણીએ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયીને યાદ કર્યા છે. તેમણે કહ્યં કે આ આયોજનમાં તે અટલ બિહારી વાજપૈયીની કમીને મહેસૂસ કરી રહ્યા છે. 



નરેન્દ્ર મોદી માટે અડવાણીએ કહી આ વાત! 

અખબાર માટે તેમણે લખ્યું છે કે જ્યારે તેમણે 25 સપ્ટેમ્બર 1990ના રોજ 'રથયાત્રા' શરૂ કરી ત્યારે તેમને ખબર નહોતી કે તે દેશમાં આંદોલનનું સ્વરૂપ લેશે. તે રથયાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી પણ તેમના સાથી હતા. એ સમયે તેઓ ઓછા જાણીતા હતા પરંતુ એ સમયે જ ભગવાન રામે પોતાના મંદિરના પુનર્નિર્માણ માટે પોતાના ભક્ત મોદીને પસંદ કર્યા હતા. તેમણે લખ્યું કે "રથયાત્રા દરમિયાન આવા ઘણા અનુભવો થયા, જેણે મારા જીવનને પ્રભાવિત કર્યું. દૂરના ગામડાઓમાંથી અજાણ્યા ગ્રામજનો રથને જોઈને ભાવુક થઈને મારી પાસે આવતા. તેઓ નમસ્કાર કરીને, રામની સ્તુતિ કરતા અને ચાલ્યા જતા." 



રામ મંદિર પ્રતિષ્ઠાના આમંત્રણને લઈ ગરમાયું રાજકારણ

લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીના કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરનું ઉદ્ઘાટન કરશે ત્યારે તેઓ ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને રામના ગુણો અપનાવવા માટે પ્રેરણા આપે." મહત્વનું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આમંત્રણનો  અસ્વીકાર કર્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.