Ayodhya Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે Lal Krishna Advani - VHPનો દાવો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 10:35:38

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો બીજી તરફ એવી વાત સામે આવી છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય  કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે લાલકુષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.       

વિવાદો પછી લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આપવામાં આવ્યું હતું આમંત્રણ

22 જાન્યુઆરીએ રામ લલ્લા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. અનેક દાયકાઓથી આ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા હતા. આમંત્રણને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તે અંગે અસમંજસ હતી. ચર્ચાઓ ચાલી રહી હતી કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે કે નહીં કારણ કે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે રામકૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોષીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણની સાથે સાથે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને ના આવવા વિનંતી પણ કરી છે અને તેનો સ્વીકાર બંને નેતાઓએ કર્યો છે. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું. 



આલોક કુમારે આપી આ અંગેની માહિતી 

એવું લાગતું હતું કે લાલ કૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં સામેલ કદાચ નહીં થાય પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણી સામેલ થવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર કાર્યક્રમ દરમિયાન તો તે ઉપસ્થિત નહીં રહે પરંતુ થોડા સમય માટે તે હાજરી આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી હાજર રહે છે કે નહીં..        



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે