Ayodhya Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે Lal Krishna Advani - VHPનો દાવો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-11 10:35:38

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો બીજી તરફ એવી વાત સામે આવી છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય  કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે લાલકુષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.       

વિવાદો પછી લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આપવામાં આવ્યું હતું આમંત્રણ

22 જાન્યુઆરીએ રામ લલ્લા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. અનેક દાયકાઓથી આ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા હતા. આમંત્રણને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તે અંગે અસમંજસ હતી. ચર્ચાઓ ચાલી રહી હતી કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે કે નહીં કારણ કે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે રામકૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોષીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણની સાથે સાથે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને ના આવવા વિનંતી પણ કરી છે અને તેનો સ્વીકાર બંને નેતાઓએ કર્યો છે. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું. 



આલોક કુમારે આપી આ અંગેની માહિતી 

એવું લાગતું હતું કે લાલ કૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં સામેલ કદાચ નહીં થાય પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણી સામેલ થવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર કાર્યક્રમ દરમિયાન તો તે ઉપસ્થિત નહીં રહે પરંતુ થોડા સમય માટે તે હાજરી આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી હાજર રહે છે કે નહીં..        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.