Ayodhya Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે Lal Krishna Advani - VHPનો દાવો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-11 10:35:38

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તો બીજી તરફ એવી વાત સામે આવી છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય  કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે લાલકુષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.       

વિવાદો પછી લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આપવામાં આવ્યું હતું આમંત્રણ

22 જાન્યુઆરીએ રામ લલ્લા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. અનેક દાયકાઓથી આ ક્ષણની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા હતા. આમંત્રણને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તે અંગે અસમંજસ હતી. ચર્ચાઓ ચાલી રહી હતી કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે કે નહીં કારણ કે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે રામકૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોષીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણની સાથે સાથે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને ના આવવા વિનંતી પણ કરી છે અને તેનો સ્વીકાર બંને નેતાઓએ કર્યો છે. આ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું. 



આલોક કુમારે આપી આ અંગેની માહિતી 

એવું લાગતું હતું કે લાલ કૃષ્ણ અડવાણી આ કાર્યક્રમમાં સામેલ કદાચ નહીં થાય પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે આ કાર્યક્રમમાં લાલ કૃષ્ણ અડવાણી સામેલ થવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર સમગ્ર કાર્યક્રમ દરમિયાન તો તે ઉપસ્થિત નહીં રહે પરંતુ થોડા સમય માટે તે હાજરી આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી હાજર રહે છે કે નહીં..        



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.