શિક્ષકોની બદલી મુદ્દે લલીત વસોયા અને ગુલાબસિંહ રાજપૂતે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:27:30

બદલી કેમ્પ યોજવા માટે શિક્ષકો ઉગ્રતાથી માગ કરી રહ્યા છે ત્યારે આજે તેની તરફેણમાં લલીત વસોયા અને ગુલાબસિંહ રાજપૂત આવ્યા છે. ગુલાબસિંહ રાજપૂત અને લલીત વસોયાએ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્ર લખી સુધારા ઠરાવ કરી તાત્કાલિક શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા માટે માગ કરી છે. 


ધારાસભ્ય લલીત વસોયાએ શું ભલામણ કરી?

લલીત વસોયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ટૂંક સમયમાં આચાર સંહિતા લાગુ થઈ જશે ત્યારબાદ સરકાર કોઈ જાહેરાતો કે યોજનાઓ બહાર નહીં પાડી શકે એવામાં શિક્ષકોની જિલ્લાફેર બદલી માટે કેમ્પ યોજવા માગ કરી છે. તેમણે લખ્યું છે કે હાઈકોર્ટના ચુકાદા મુજબના ઠરાવ સાથે તાત્કાલીક કેમ્પની તારીખો જાહેર કરો. જિલ્લા ફેરબદલી કેમ્પ થશે તો શિક્ષકો મુક્ત મને શૈક્ષણિક કાર્ય કરી શકશે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 


ગુલાબસિંહ રાજપૂતે પત્રમાં શું માગ ઉઠાવી?

ગુલાબસિંહ રાજપૂતે પત્રમાં લખ્યું છે કે જ્યાં બદલી કેમ્પ થયા છે ત્યાં શિક્ષકોની ખાલી જગ્યાના 40 ટકા પ્રમાણે કેમ્પ થયા છે. જગ્યાઓ ખાલી હોવા છતાં જિલ્લા ફેર બદલીના લાભ શિક્ષકોને નથી આપવામાં આવતા તેનો લાભ તાત્કાલીક આપવામાં આવે. તેમણે વધુમાં લખ્યું છે કે 20-25 વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ શિક્ષકોને બદલીનો લાભ નથી મળ્યો. 


શું હોય છે બદલી કેમ્પ? 

ગુજરાતના તમામ જિલ્લાની સરકારી શાળામાં શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે તે વિવિધ જિલ્લાના હોય છે. તેમની માગણી હોય છે કે તેમને તેમના વતન વિસ્તારમાં કામગીરી કરવા મળે. જેથી શિક્ષકોની ફેરબદલીના કેમ્પ જાહેર કરવામાં આવતા હોય છે. આંતર જિલ્લા, જિલ્લા સ્તરની અને આંતરિક જિલ્લાની બદલી એમ અનેક પ્રકારના કેમ્પ યોજાતા હોય છે. 


ગત વર્ષે 2021માં શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેની પહેલા વર્ષ 2019 અને વર્ષ 2016માં બદલી કેમ્પનું સરકારે આયોજન કર્યું હતું. ગત 20 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોના પક્ષમાં ચુકાદો આપ્યો છે ત્યારે હાલ શિક્ષકો બદલી કેમ્પ યોજવા માટે સરકાર સામે માગ ઉઠાવી રહી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે