લાલો લોભે લૂંટાય, હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ !


  • Published By :
  • Published Date : 2023-10-04 16:37:02

મહેસાણામાં ભાજપના અગ્રણી અને અનેક પ્રકારની NGO ચલાવતા પિયુષ વ્યાસ સામે ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવું જ કઈક મહેસાણામાં પણ થયું છે

મહેસાણા શહેરમાં નાગરિક સેવા કેન્દ્ર બની ઓફિસ ચલાવતા પિયુષ વ્યાસ દ્વારા હેપ્પી લોનના નામે ઠગાઈ કરી અને કૌભાંડ કર્યું છે હેપી લોનના નામે જરૂરિયાતમંદ લોકોને ચેનલ પદ્ધતિથી લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું પિયુષ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી પોતાની કંપનીની વેબસાઈટ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસાનું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું છે 


50% સબસિડી વાળી લોન લેવી હોય તો સભ્યો બનાવો !

કડીના ચંદીગઢ ખાતે રહેતા રાજુ ભાઈ દંતાણીને તેમને મિત્રએ આ લોનની વાત કરી હતી જેમાં લોન અંગે માહિતી લેવા રાજુ ભાઈ પિયુષ વ્યાસને મળ્યા હતા ત્યારે પિયુષ વ્યાસે હેપી લોન નામની કંપની બતાવી હતી અને પેમ્પ્લેટ બતાવ્યા હતા જેમાં લોન લેવા માટે કોઈ પણ આધાર પુરાવાની જરૂર વગર 1000 રૂપિયા જમાં લઈને ગ્રુપ લોન આપવાની વાત કરી હતી..જીરો ટકા વ્યાજ અને 50% સબસીડીની લાલચ આપી ચેનલ ચલાવી લોન આપવાનું નેટવર્ક ઉભી કર્યું હતું..જેમાં ફરિયાદો પાસે અન્ય સભ્યો બનાવવા માટે કહ્યું હતું અને ફરિયાદી લાલચમાં આવી જતા તેમણે 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્યદીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બાદમાં લોન ન આપી હતી ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસઘાત થયાની ખબર પડતાં જ પિયુષ વ્યાસ પાસે પૈસાની માંગણી કરતા રૂપિયા પરત ન મળતા રાજુ ભાઇએ પોલીસનો સહારો લીધો હતો જેમાં પોલીસે છેતરપિંડી સહિતની કલમો ઉમેરી ફરિયાદ નોંધી છે


હેપી લોન ચલાવતા પિયુષ વ્યાસનું શું કહેવું છે?

જવાબદાર મીડિયા તરીકે અમે બંને પાસાઓ જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તેવી જ રીતે આ પ્રકરણમાં પણ અમે પિયુષ વ્યાસનો સંપર્ક કર્યો હતો જેમાં પિયુષ વ્યાસે કહ્યું હતું કે મને સમાજના કેટલાક લોકો દ્વારા જ બદનામ કરાઈ રહ્યો છે અમે કોઈ લોનની કંપની બનાવી જ નહોતી અમે ફાઉન્ડેશનના બેઝ પર સહાય આપતા હતા કોઈ પણ વ્યક્તિને લોન નહોતા આપતા અને ફરિયાદી પાસેથી મે કોઈ પણ રૂપિયા લીધા નથી

સાથે જ આગળ પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે અમે આ યોજના બંધ કરી હતી કારણ કે આ યોજનામાં આમને નુકશાન આવતું હતું આ યોજના થકી જેની પાસેથી અમે પૈસા લીધા હતા તે બધાને અમોએ પૈસા પરત કરી દીધા હતા...મે કોઈ જ ગુનો કર્યો નથી અને મે કોઈનો એક રૂપિયો પણ ગેરકાયદેસર લીધો નથી

ઉલ્લેખનીય છે કે પિયુષ વ્યાસના કેટલાક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં ઉલ્લેખ છે કે પિયુષ વ્યાસ દ્વારા અનેક લોનની જાહેરાતો કરવામાં આવી છે અત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.