લાલો લોભે લૂંટાય, હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ !


  • Published By :
  • Published Date : 2023-10-04 16:37:02

મહેસાણામાં ભાજપના અગ્રણી અને અનેક પ્રકારની NGO ચલાવતા પિયુષ વ્યાસ સામે ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવું જ કઈક મહેસાણામાં પણ થયું છે

મહેસાણા શહેરમાં નાગરિક સેવા કેન્દ્ર બની ઓફિસ ચલાવતા પિયુષ વ્યાસ દ્વારા હેપ્પી લોનના નામે ઠગાઈ કરી અને કૌભાંડ કર્યું છે હેપી લોનના નામે જરૂરિયાતમંદ લોકોને ચેનલ પદ્ધતિથી લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું પિયુષ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી પોતાની કંપનીની વેબસાઈટ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસાનું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું છે 


50% સબસિડી વાળી લોન લેવી હોય તો સભ્યો બનાવો !

કડીના ચંદીગઢ ખાતે રહેતા રાજુ ભાઈ દંતાણીને તેમને મિત્રએ આ લોનની વાત કરી હતી જેમાં લોન અંગે માહિતી લેવા રાજુ ભાઈ પિયુષ વ્યાસને મળ્યા હતા ત્યારે પિયુષ વ્યાસે હેપી લોન નામની કંપની બતાવી હતી અને પેમ્પ્લેટ બતાવ્યા હતા જેમાં લોન લેવા માટે કોઈ પણ આધાર પુરાવાની જરૂર વગર 1000 રૂપિયા જમાં લઈને ગ્રુપ લોન આપવાની વાત કરી હતી..જીરો ટકા વ્યાજ અને 50% સબસીડીની લાલચ આપી ચેનલ ચલાવી લોન આપવાનું નેટવર્ક ઉભી કર્યું હતું..જેમાં ફરિયાદો પાસે અન્ય સભ્યો બનાવવા માટે કહ્યું હતું અને ફરિયાદી લાલચમાં આવી જતા તેમણે 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્યદીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બાદમાં લોન ન આપી હતી ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસઘાત થયાની ખબર પડતાં જ પિયુષ વ્યાસ પાસે પૈસાની માંગણી કરતા રૂપિયા પરત ન મળતા રાજુ ભાઇએ પોલીસનો સહારો લીધો હતો જેમાં પોલીસે છેતરપિંડી સહિતની કલમો ઉમેરી ફરિયાદ નોંધી છે


હેપી લોન ચલાવતા પિયુષ વ્યાસનું શું કહેવું છે?

જવાબદાર મીડિયા તરીકે અમે બંને પાસાઓ જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તેવી જ રીતે આ પ્રકરણમાં પણ અમે પિયુષ વ્યાસનો સંપર્ક કર્યો હતો જેમાં પિયુષ વ્યાસે કહ્યું હતું કે મને સમાજના કેટલાક લોકો દ્વારા જ બદનામ કરાઈ રહ્યો છે અમે કોઈ લોનની કંપની બનાવી જ નહોતી અમે ફાઉન્ડેશનના બેઝ પર સહાય આપતા હતા કોઈ પણ વ્યક્તિને લોન નહોતા આપતા અને ફરિયાદી પાસેથી મે કોઈ પણ રૂપિયા લીધા નથી

સાથે જ આગળ પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે અમે આ યોજના બંધ કરી હતી કારણ કે આ યોજનામાં આમને નુકશાન આવતું હતું આ યોજના થકી જેની પાસેથી અમે પૈસા લીધા હતા તે બધાને અમોએ પૈસા પરત કરી દીધા હતા...મે કોઈ જ ગુનો કર્યો નથી અને મે કોઈનો એક રૂપિયો પણ ગેરકાયદેસર લીધો નથી

ઉલ્લેખનીય છે કે પિયુષ વ્યાસના કેટલાક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં ઉલ્લેખ છે કે પિયુષ વ્યાસ દ્વારા અનેક લોનની જાહેરાતો કરવામાં આવી છે અત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી