લાલુ અને નીતિશની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા સાથે બેઠકથી રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 20:18:44

લોકસભા 2024ની ચૂંટણી પહેલા વિપક્ષ વચ્ચે એક મોટું ગઠબંધન રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડીના જેડીયુએના નિતીશ કુમાર અને લાલુપ્રસાદ યાદવે આ દિશામાં પ્રયાસો શરુ કરી દીધા છે. લાલુ પ્રસાદ યાદવ અને  બિહારના સીએમ નીતિશ કુમાર રવિવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન 10 જનપથ પર પહોંચ્યાં હતા. 


વર્ષો બાદ લાલુ-નીતિશ સોનિયાને મળ્યાં


બિહારમાં લાલુ અને નીતિશ કુમાર કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી છે. જો કે બંને નેતાઓ વર્ષો જના રાજકીય મતભેદો ભૂલાવીને સોનિયા ગાંધીને મળ્યાં છે. ત્રણેય નેતાઓએ ભેગા થઈને 2024ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. ત્રણેય નેતાઓની બેઠક બાદ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે. 

 

હરિયાણાના ફતેહાબાદમાં વિપક્ષોનું શક્તિ પ્રદર્શન


હરિયાણાના ફતેહાબાદમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં તમામ મોટા નેતાઓ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. લાલુ અને નીતિશ પણ રેલીમાં આવ્યાં હતા અને રેલી બાદ તેઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. 


તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ


રેલીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું કે, હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ કરું છું, તો જ ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારશે." "હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ લડાઈ નથી, ભાજપ અશાંતિ પેદા કરવા માગે છે. હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. ત્રીજા મોરચાનો સવાલ જ નથી, કોંગ્રેસ સાથે મોરચો હોવો જોઈએ, તો જ 2024માં ભાજપને હરાવી શકીશું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.