લાલુ અને નીતિશની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા સાથે બેઠકથી રાજકારણ ગરમાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 20:18:44

લોકસભા 2024ની ચૂંટણી પહેલા વિપક્ષ વચ્ચે એક મોટું ગઠબંધન રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. બિહારની સત્તાધારી પાર્ટી આરજેડીના જેડીયુએના નિતીશ કુમાર અને લાલુપ્રસાદ યાદવે આ દિશામાં પ્રયાસો શરુ કરી દીધા છે. લાલુ પ્રસાદ યાદવ અને  બિહારના સીએમ નીતિશ કુમાર રવિવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન 10 જનપથ પર પહોંચ્યાં હતા. 


વર્ષો બાદ લાલુ-નીતિશ સોનિયાને મળ્યાં


બિહારમાં લાલુ અને નીતિશ કુમાર કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી છે. જો કે બંને નેતાઓ વર્ષો જના રાજકીય મતભેદો ભૂલાવીને સોનિયા ગાંધીને મળ્યાં છે. ત્રણેય નેતાઓએ ભેગા થઈને 2024ની લોકસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. ત્રણેય નેતાઓની બેઠક બાદ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે. 

 

હરિયાણાના ફતેહાબાદમાં વિપક્ષોનું શક્તિ પ્રદર્શન


હરિયાણાના ફતેહાબાદમાં યોજાયેલી વિપક્ષની રેલીમાં તમામ મોટા નેતાઓ, લાલુપ્રસાદ યાદવ, નીતિશ કુમાર, શરદ પવાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. લાલુ અને નીતિશ પણ રેલીમાં આવ્યાં હતા અને રેલી બાદ તેઓ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. 


તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ


રેલીને સંબોધિત કરતા નીતિશ કુમારે કહ્યું કે, હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ કરું છું, તો જ ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારશે." "હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ લડાઈ નથી, ભાજપ અશાંતિ પેદા કરવા માગે છે. હું વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી. ત્રીજા મોરચાનો સવાલ જ નથી, કોંગ્રેસ સાથે મોરચો હોવો જોઈએ, તો જ 2024માં ભાજપને હરાવી શકીશું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.