લાલુ યાદવનો પુત્ર તેજ પ્રતાપ વધુ એકવાર વિવાદમાં સંપડાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 20:23:47

લાલુ યાદવના પુત્ર અને બિહારના પર્યાવણ મંત્રી તેજ પ્રતાપ યાદવ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત તે ચર્ચામાં છે. દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક અધવચ્ચેથી છોડી તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી તેમણે મીડિયા સમક્ષ તેમની પાર્ટીના નેતા શ્યામ રજક પર ગાળો દેવાના આરોપ લગાવ્યા હતા અને શ્યામ રજકને RSS એજન્ટ કહ્યા હતા. 


ફરી એકવાર પાર્ટીનો આંતરિક વિવાદ આવ્યો સામે 

રાષ્ટ્રીય જનદા દળ પાર્ટીની રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં તેજપ્રતાપ યાદવ પણ હાજર રહ્યા હતા. પરંતુ ચાલુ બેઠકે તેજપ્રતાપ યાદવ બેઠક છોડીને બહાર આવી ગયા હતા અને મીડિયા સમક્ષ પાર્ટીના નેતા શ્યામ રજક પર આરોપો લાગવ્યા હતા. તેજ પ્રતાપે કહ્યું કે, "મારા PAએ જ્યારે શ્યામ રજકને બેઠકના સમય અંગે પૂછ્યું ત્યારે તેમણે મને મા-બેનની ગાળો આપી હતી મારી પાસે તેનો ઓડિયો છે. હું આ ઓડિયોને મારા સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરીશ. આવા ભાજપના માણસને હું સંગઠનની બહાર કરીને રહીશ".


સમગ્ર મામલે શ્યામ રજકે શું પ્રતિક્રિયા આપી?

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપના આક્ષેપ સામે જ્યારે શ્યામ રજકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારે આ અંગે કંઈ નથી કહેવું, તેજપ્રતાપ શક્તિશાળી છે, જયારે હું સામાન્ય અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું."



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .