લાલુ યાદવનો પુત્ર તેજ પ્રતાપ વધુ એકવાર વિવાદમાં સંપડાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 20:23:47

લાલુ યાદવના પુત્ર અને બિહારના પર્યાવણ મંત્રી તેજ પ્રતાપ યાદવ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત તે ચર્ચામાં છે. દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક અધવચ્ચેથી છોડી તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી તેમણે મીડિયા સમક્ષ તેમની પાર્ટીના નેતા શ્યામ રજક પર ગાળો દેવાના આરોપ લગાવ્યા હતા અને શ્યામ રજકને RSS એજન્ટ કહ્યા હતા. 


ફરી એકવાર પાર્ટીનો આંતરિક વિવાદ આવ્યો સામે 

રાષ્ટ્રીય જનદા દળ પાર્ટીની રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં તેજપ્રતાપ યાદવ પણ હાજર રહ્યા હતા. પરંતુ ચાલુ બેઠકે તેજપ્રતાપ યાદવ બેઠક છોડીને બહાર આવી ગયા હતા અને મીડિયા સમક્ષ પાર્ટીના નેતા શ્યામ રજક પર આરોપો લાગવ્યા હતા. તેજ પ્રતાપે કહ્યું કે, "મારા PAએ જ્યારે શ્યામ રજકને બેઠકના સમય અંગે પૂછ્યું ત્યારે તેમણે મને મા-બેનની ગાળો આપી હતી મારી પાસે તેનો ઓડિયો છે. હું આ ઓડિયોને મારા સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરીશ. આવા ભાજપના માણસને હું સંગઠનની બહાર કરીને રહીશ".


સમગ્ર મામલે શ્યામ રજકે શું પ્રતિક્રિયા આપી?

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપના આક્ષેપ સામે જ્યારે શ્યામ રજકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારે આ અંગે કંઈ નથી કહેવું, તેજપ્રતાપ શક્તિશાળી છે, જયારે હું સામાન્ય અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું."



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે