લાલુ યાદવનો પુત્ર તેજ પ્રતાપ વધુ એકવાર વિવાદમાં સંપડાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 20:23:47

લાલુ યાદવના પુત્ર અને બિહારના પર્યાવણ મંત્રી તેજ પ્રતાપ યાદવ પોતાના નિવેદનના કારણે વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે વધુ એક વખત તે ચર્ચામાં છે. દિલ્હીમાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક અધવચ્ચેથી છોડી તેઓ બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી તેમણે મીડિયા સમક્ષ તેમની પાર્ટીના નેતા શ્યામ રજક પર ગાળો દેવાના આરોપ લગાવ્યા હતા અને શ્યામ રજકને RSS એજન્ટ કહ્યા હતા. 


ફરી એકવાર પાર્ટીનો આંતરિક વિવાદ આવ્યો સામે 

રાષ્ટ્રીય જનદા દળ પાર્ટીની રાષ્ટ્રીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં તેજપ્રતાપ યાદવ પણ હાજર રહ્યા હતા. પરંતુ ચાલુ બેઠકે તેજપ્રતાપ યાદવ બેઠક છોડીને બહાર આવી ગયા હતા અને મીડિયા સમક્ષ પાર્ટીના નેતા શ્યામ રજક પર આરોપો લાગવ્યા હતા. તેજ પ્રતાપે કહ્યું કે, "મારા PAએ જ્યારે શ્યામ રજકને બેઠકના સમય અંગે પૂછ્યું ત્યારે તેમણે મને મા-બેનની ગાળો આપી હતી મારી પાસે તેનો ઓડિયો છે. હું આ ઓડિયોને મારા સોશિયલ મીડિયા પેજ પરથી શેર કરીશ. આવા ભાજપના માણસને હું સંગઠનની બહાર કરીને રહીશ".


સમગ્ર મામલે શ્યામ રજકે શું પ્રતિક્રિયા આપી?

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપના આક્ષેપ સામે જ્યારે શ્યામ રજકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારે આ અંગે કંઈ નથી કહેવું, તેજપ્રતાપ શક્તિશાળી છે, જયારે હું સામાન્ય અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.