જમીન દલાલોએ એક જ પરિવારના આટલા સભ્યોને ઉપાડી લીધા! ફાર્મ હાઉસમાં પરિવારને બંધક રાખ્યા, ફરિયાદ થતા આરોપી થયા ફરાર


  • Published By :
  • Published Date : 2023-03-16 14:38:04

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં અપહરણની ઘટનાઓ બનવી સામાન્ય માનવામાં આવે છે. પરંતુ અપહરણની ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. પોલીસ ચોપડે બે-ત્રણ લોકોના અપહરણની ફરિયાદ નહીં પણ 19 લોકોના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં 19 લોકોનું અપહરણ થયું છે જેમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે બંને આરોપીઓ જમીન માફિયા તરીકે જાણીતા છે. 


દલાલે કંપની પાસેથી પૈસા લીધા પરંતુ માલિક સુધી ન પહોંચ્યા    

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વારસાઈમાં મળેલી નરોડા હંસપુરાની 6 વિઘા જમીનની દલાલી દિલીપ ઠાકોર સહિતના લોકોએ જનક ઠાકોર અને કુંદન ઠાકોર સાથે કરાવી હતી. દલાલે આ જમીનનો સોદો નરોડાની પી.માંડવા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ ભાસ્કર જાદવાણીને વેચાણમાં આપી હતી. કંપનીએ જમીનના રુપિયા જનક અને કુંદનને આપ્યા હતા પરંતુ દિલીપ ઠાકોર તેમજ અન્ય માલિકો સુધી પૈસા પહોંચ્યા ન હતા. પૈસા ન મળતા જમીન માલિકે કંપનીને સીધો સંપર્ક કર્યો હતો. 


ઠાકોર પરિવારને સીંગરવા લઈ જવાયો  

થોડા દિવસો પહેલા વેચાણ દસ્તાવેજના કબૂલાતનામા માટે દિલીપ ઠાકોર તેમના પરિવારના સભ્યો સાથે બે ઈકોમાં બેસી શાહીબાગના ગીરધરનગરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી આવવા નિકળ્યા હતા. કબૂલાતનામા બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જનક અને કુંદન તેના સાગરીતો સાથે ત્રણ ગાડીઓ લઈને આવ્યા. કુંદન અને જનકના માણસોએ ઈકો કારના ડ્રાઈવરને હટાવી તેમનું સ્થાન લીધું અને તમામ લોકોને સીંગરવા લઈ જવાયા હતા. સીંગરવા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને રાખી મૂક્યા હતા. આ અંગે દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી માહિતી આપી હતી. પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. 


જમીન માફિયા વિરૂદ્ધ કરાઈ ફરિયાદ 

જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં 19 જેટલા લોકોનો સમાવેશ થાય છે. ઈકો ગાડીમાં દિલીપ ઠાકોર, તેમના પત્ની, તેમની માતા, ભાઈ, ભાભી, ભત્રીજો, ચાર બહેનો, કાકા, કાકી, બે પિતરાઈ ભાઈ, બંને પિતરાઈભાઈની પત્ની, પિતરાઈ બહેન અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જેના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તે પૂર્વ અમદાવાદના મોટા જમીન માફિયા છે. બંને વિરુદ્ધ અનેક ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અનેક કિસ્સાઓમાં સમાધાન કરવામાં આવ્યું છે. 


પોલીસે આ અંગે તપાસની શરૂઆત કરી  

અપહરણ શા માટે કરવામાં આવ્યું તેની વાત કરીએ તો જમીનના કાગળોમાં ફરિયાદી અને તેના પરિવારજનો સહી ના કરે તે હેતુથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ અપહરણનો ગુન્હો નોંધીને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ 16 જેટલા લોકોને કોના ફાર્મમાં રાખવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના માલિક કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.