જમીન દલાલોએ એક જ પરિવારના આટલા સભ્યોને ઉપાડી લીધા! ફાર્મ હાઉસમાં પરિવારને બંધક રાખ્યા, ફરિયાદ થતા આરોપી થયા ફરાર


  • Published By :
  • Published Date : 2023-03-16 14:38:04

દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં અપહરણની ઘટનાઓ બનવી સામાન્ય માનવામાં આવે છે. પરંતુ અપહરણની ઘટના ગુજરાતમાં નોંધાઈ છે. પોલીસ ચોપડે બે-ત્રણ લોકોના અપહરણની ફરિયાદ નહીં પણ 19 લોકોના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં 19 લોકોનું અપહરણ થયું છે જેમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે બંને આરોપીઓ જમીન માફિયા તરીકે જાણીતા છે. 


દલાલે કંપની પાસેથી પૈસા લીધા પરંતુ માલિક સુધી ન પહોંચ્યા    

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વારસાઈમાં મળેલી નરોડા હંસપુરાની 6 વિઘા જમીનની દલાલી દિલીપ ઠાકોર સહિતના લોકોએ જનક ઠાકોર અને કુંદન ઠાકોર સાથે કરાવી હતી. દલાલે આ જમીનનો સોદો નરોડાની પી.માંડવા ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ ભાસ્કર જાદવાણીને વેચાણમાં આપી હતી. કંપનીએ જમીનના રુપિયા જનક અને કુંદનને આપ્યા હતા પરંતુ દિલીપ ઠાકોર તેમજ અન્ય માલિકો સુધી પૈસા પહોંચ્યા ન હતા. પૈસા ન મળતા જમીન માલિકે કંપનીને સીધો સંપર્ક કર્યો હતો. 


ઠાકોર પરિવારને સીંગરવા લઈ જવાયો  

થોડા દિવસો પહેલા વેચાણ દસ્તાવેજના કબૂલાતનામા માટે દિલીપ ઠાકોર તેમના પરિવારના સભ્યો સાથે બે ઈકોમાં બેસી શાહીબાગના ગીરધરનગરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી આવવા નિકળ્યા હતા. કબૂલાતનામા બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જનક અને કુંદન તેના સાગરીતો સાથે ત્રણ ગાડીઓ લઈને આવ્યા. કુંદન અને જનકના માણસોએ ઈકો કારના ડ્રાઈવરને હટાવી તેમનું સ્થાન લીધું અને તમામ લોકોને સીંગરવા લઈ જવાયા હતા. સીંગરવા ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં બે ડ્રાઈવર અને ઠાકોર પરિવારના 17 સભ્યોને રાખી મૂક્યા હતા. આ અંગે દિલીપ ઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી માહિતી આપી હતી. પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. 


જમીન માફિયા વિરૂદ્ધ કરાઈ ફરિયાદ 

જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં 19 જેટલા લોકોનો સમાવેશ થાય છે. ઈકો ગાડીમાં દિલીપ ઠાકોર, તેમના પત્ની, તેમની માતા, ભાઈ, ભાભી, ભત્રીજો, ચાર બહેનો, કાકા, કાકી, બે પિતરાઈ ભાઈ, બંને પિતરાઈભાઈની પત્ની, પિતરાઈ બહેન અને બે ડ્રાઈવરનો સમાવેશ થાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જેના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તે પૂર્વ અમદાવાદના મોટા જમીન માફિયા છે. બંને વિરુદ્ધ અનેક ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. અનેક કિસ્સાઓમાં સમાધાન કરવામાં આવ્યું છે. 


પોલીસે આ અંગે તપાસની શરૂઆત કરી  

અપહરણ શા માટે કરવામાં આવ્યું તેની વાત કરીએ તો જમીનના કાગળોમાં ફરિયાદી અને તેના પરિવારજનો સહી ના કરે તે હેતુથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાની જાણ અપહરણનો ગુન્હો નોંધીને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ 16 જેટલા લોકોને કોના ફાર્મમાં રાખવામાં આવ્યા હતા અને ફાર્મ હાઉસના માલિક કોણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.