હવે ફરીથી થશે જમીનનો રિ સર્વે, રૂ.700 કરોડનો ધુમાડો કર્યા બાદ સરકારને ભૂલ સમજાઈ


  • Published By :
  • Published Date : 2023-01-11 19:45:29

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં જમીનનો ફરીથી રિ સર્વે કરાવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાણકારી આપી હતી. આ સાથે જ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે.


નવો જમીન રિ સર્વે શા માટે?


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ભૂતકાળમાં જમીન માપણીના સર્વે માટે જે એજન્સીઓને કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન ઘોંચમાં પડી ગઈ હતી. સરકારને પણ જુના રી-સર્વેને લઈ અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.


રૂપાણી સરકારે રૂ. 700 કરોડનું કર્યું આંધણ


રાજ્યની વિજય રૂપાણીની સરકારે જમીન રિ સર્વે માટે એજન્સીને અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવાની કવાયત શરૂ કરી છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે તે તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિજીટલલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સર્વેની કામગીરી હાથ ધરી હોવાની શેખી મારી હતી. 


પાઇલોટ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકાથી શરૂ થશે


સમગ્ર રાજ્યમાં ફરીથી શરૂ થનારા જમીનના રિ સર્વેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવષે. નવેસરથી થનારા જમીન રિ સર્વેમાં પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનનો ઉપયોગ કરાશે. જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.  


અર્જુન મોઢવાડિયાએ સરકારની ઝાટકણી કાઢી


કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ  ટ્વીટરના માધ્યમથી સરકારના જમીન રિ સર્વેના નિર્ણયની ઝાટકણી કાઢી હતી. તેમણે "નવી જમીન માપણી" રદ્દ કરવામાં આવી તેને ગુજરાતના ખેડૂતોની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચારની મેં છેક 2009માં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી. અંતે 10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.