હવે ફરીથી થશે જમીનનો રિ સર્વે, રૂ.700 કરોડનો ધુમાડો કર્યા બાદ સરકારને ભૂલ સમજાઈ


  • Published By :
  • Published Date : 2023-01-11 19:45:29

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં જમીનનો ફરીથી રિ સર્વે કરાવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાણકારી આપી હતી. આ સાથે જ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે.


નવો જમીન રિ સર્વે શા માટે?


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ભૂતકાળમાં જમીન માપણીના સર્વે માટે જે એજન્સીઓને કામ સોંપ્યું હતું તેણે મોટા લોચા મારીને અનેક એવી ભૂલો કરી હતી કે જેના કારણે ખેડૂતોની જમીન ઘોંચમાં પડી ગઈ હતી. સરકારને પણ જુના રી-સર્વેને લઈ અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશા બદલાય ગયા હતા, ખેડૂતોના નામ બદલાઈ ગયા હતા. જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.


રૂપાણી સરકારે રૂ. 700 કરોડનું કર્યું આંધણ


રાજ્યની વિજય રૂપાણીની સરકારે જમીન રિ સર્વે માટે એજન્સીને અંદાજિત રૂ. 700 કરોડનું ચૂકવણું પણ કરી દીધું છે. હવે સરકાર ફરીથી જમીનનો રિ સર્વે કરવાની કવાયત શરૂ કરી છે. આગામી બજેટમાં આ અંગેની તમામ જોગવાઈ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે તે તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યભરનાં જમીનના તમામ સર્વે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિજીટલલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી જમીન માપણી અંગે જમીન રી-સર્વેની કામગીરી હાથ ધરી હોવાની શેખી મારી હતી. 


પાઇલોટ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકાથી શરૂ થશે


સમગ્ર રાજ્યમાં ફરીથી શરૂ થનારા જમીનના રિ સર્વેના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. નવા જમીન સર્વેમાં જૂની અને નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવષે. નવેસરથી થનારા જમીન રિ સર્વેમાં પરંપરાગત સાંકળ પદ્ધતિથી અને સાથે ડિજિટલ મશીનનો ઉપયોગ કરાશે. જમીનના સર્વે દરમિયાન ખેડૂતને પણ સાથે રાખવા ફરજિયાત રહેશે.  


અર્જુન મોઢવાડિયાએ સરકારની ઝાટકણી કાઢી


કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ  ટ્વીટરના માધ્યમથી સરકારના જમીન રિ સર્વેના નિર્ણયની ઝાટકણી કાઢી હતી. તેમણે "નવી જમીન માપણી" રદ્દ કરવામાં આવી તેને ગુજરાતના ખેડૂતોની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે નવી જમીન માપણીમાં ભ્રષ્ટાચારની મેં છેક 2009માં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5.28 લાખ ખેડૂતોએ પૂનઃ માપણીની માંગ કરી હતી. અંતે 10 વર્ષના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.