સહારા કંપની ફરી વિવાદમાં, જામનગરના ધુંવાવ ગામની 225 વીઘા જમીન મામલે કંપની સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-05 21:55:53

જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ અને નગરસીમ વિસ્તારની 21 જેટલા ખેડૂતોની 225 વિઘા શ્રી સરકાર થયેલી જમીન વેચવાના મામલે સહારા કંપની ફરી ચર્ચામાં આવી છે, આ મામલો હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં, સહારા કંપનીએ રાજકોટની કનેરીયા નામની પાર્ટી સાથે આ જમીનનો વેંચાણ વ્યવહાર કર્યો હોવાનું જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ કંપનીએ ગેરકાયદેસર રીતે ધુંવાવના ખેડૂતોની વિવાદી જમીન રાજકોટની એક પાર્ટીને વેચાણ આપવા એગ્રીમેન્ટ જાહેર કર્યું છે, તેના વિરુદ્ધ કાર્યવાહીઓ થશે. કેમ કે, મામલો અદાલતમાં પડતર છે.જામનગરમાં ધુંવાવના ખેડૂતો વતી આ મામલો એડવોકેટ નિલેશ મંગે સંભાળી રહ્યા છે. તેઓએ ધુંવાવના 21 ખેડૂતો વતી આ મામલો હાથમાં લીધો છે, કેમ કે ઓલરેડી આ કેસ વર્ષોથી હાઈકોર્ટમાં પડતર જ છે. અને, આ મુદ્દે નિલેશ મંગેએ એક પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી છે.


આ મામલે જાહેર નોટિસ


પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, ધુંવાવના ખેડૂતો અને સહારા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની વચ્ચે પાછલાં 18 વર્ષથી ધુંવાવ તથા નગરસીમની જમીનોનો વિવાદ ચાલે છે. તે દરમિયાન, તાજેતરમાં રાજકોટની પાર્ટી સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયાએ સવારના એક અખબારમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી છે. આ જાહેર નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જામનગર-રાજકોટ રોડ પર આવેલાં ધુંવાવ ગામમાં તથા નગરસીમમાં આવેલી ખેતીની તથા બિનખેતીની કેટલીક જમીનો સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયા નામની રાજકોટની પાર્ટીએ સહારા નામની ઉપરોકત કંપની પાસેથી ખરીદવા એગ્રીમેન્ટ કર્યો છે. જેનો વેચાણ વ્યવહાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનેરિયા રાજકોટમાં કાલાવડ રોડ પર, સ્વામી નારાયણ મંદિર સામેના ભાગમાં અર્પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બીજા માળે, 202 નંબરની ઓફિસ ધરાવે છે.


સહારા વિરૂધ્ધ થશે કાર્યવાહી


આ બાબતે જામનગરમાં પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે, આ નોટિસ અનુસંધાને સહારા નામની ઉપરોકત કંપની વિરુદ્ધ IPCની કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ધુંવાવના આ ખેડૂતોની જમીનોનો મામલો વર્ષોથી હાઈકોર્ટમાં છે. જેમાં વડી અદાલતે સ્ટેટ્સ કવો એટલે કે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ જેતે સમયે કરેલો છે. આ આદેશ આજની તારીખે આ કેસમાં લાગુ હોવા છતાં સહારા નામની આ કંપનીએ ધુંવાવની ઉપરોકત વિવાદી જમીનો વેચાણથી થર્ડ પાર્ટીને આપવા વેચાણ વ્યવહારનો એગ્રીમેન્ટ કર્યો છે અને આ એગ્રીમેન્ટ જાહેર પણ થયો છે એટલે કે આ કેસમાં અદાલતના આદેશ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તેથી સહારા કંપની વિરુદ્ધ ધુંવાવના ખેડૂતો વતી આ કેસમાં અદાલતની અવમાનના નો કેસ પણ દાખલ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનિય છે કે, ધુંવાવની જમીનોનો સહારા કંપની સંબંધિત આ વિવાદ ભૂતકાળમાં બહુ ગાજયા પછી, વર્ષો સુધી આ પ્રકરણમાં કોઈ સળવળાટ દેખાયો ન હતો, હવે ફરી સળવળાટ શરૂ થયો છે. જેથી સૌ સંબંધિતો અચરજ પણ અનુભવી રહ્યા છે અને ઘણાં બધાં લોકો આ પ્રકરણમાં વિશેષ રસ પણ દાખવી રહ્યા હોવાનું જાણવા મળે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી