સહારા કંપની ફરી વિવાદમાં, જામનગરના ધુંવાવ ગામની 225 વીઘા જમીન મામલે કંપની સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-05 21:55:53

જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ અને નગરસીમ વિસ્તારની 21 જેટલા ખેડૂતોની 225 વિઘા શ્રી સરકાર થયેલી જમીન વેચવાના મામલે સહારા કંપની ફરી ચર્ચામાં આવી છે, આ મામલો હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવા છતાં, સહારા કંપનીએ રાજકોટની કનેરીયા નામની પાર્ટી સાથે આ જમીનનો વેંચાણ વ્યવહાર કર્યો હોવાનું જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. આ કંપનીએ ગેરકાયદેસર રીતે ધુંવાવના ખેડૂતોની વિવાદી જમીન રાજકોટની એક પાર્ટીને વેચાણ આપવા એગ્રીમેન્ટ જાહેર કર્યું છે, તેના વિરુદ્ધ કાર્યવાહીઓ થશે. કેમ કે, મામલો અદાલતમાં પડતર છે.જામનગરમાં ધુંવાવના ખેડૂતો વતી આ મામલો એડવોકેટ નિલેશ મંગે સંભાળી રહ્યા છે. તેઓએ ધુંવાવના 21 ખેડૂતો વતી આ મામલો હાથમાં લીધો છે, કેમ કે ઓલરેડી આ કેસ વર્ષોથી હાઈકોર્ટમાં પડતર જ છે. અને, આ મુદ્દે નિલેશ મંગેએ એક પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો જાહેર કરી છે.


આ મામલે જાહેર નોટિસ


પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, ધુંવાવના ખેડૂતો અને સહારા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની વચ્ચે પાછલાં 18 વર્ષથી ધુંવાવ તથા નગરસીમની જમીનોનો વિવાદ ચાલે છે. તે દરમિયાન, તાજેતરમાં રાજકોટની પાર્ટી સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયાએ સવારના એક અખબારમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી છે. આ જાહેર નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જામનગર-રાજકોટ રોડ પર આવેલાં ધુંવાવ ગામમાં તથા નગરસીમમાં આવેલી ખેતીની તથા બિનખેતીની કેટલીક જમીનો સ્મિતકુમાર પુરુષોત્તમ કનેરિયા નામની રાજકોટની પાર્ટીએ સહારા નામની ઉપરોકત કંપની પાસેથી ખરીદવા એગ્રીમેન્ટ કર્યો છે. જેનો વેચાણ વ્યવહાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કનેરિયા રાજકોટમાં કાલાવડ રોડ પર, સ્વામી નારાયણ મંદિર સામેના ભાગમાં અર્પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બીજા માળે, 202 નંબરની ઓફિસ ધરાવે છે.


સહારા વિરૂધ્ધ થશે કાર્યવાહી


આ બાબતે જામનગરમાં પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે, આ નોટિસ અનુસંધાને સહારા નામની ઉપરોકત કંપની વિરુદ્ધ IPCની કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ધુંવાવના આ ખેડૂતોની જમીનોનો મામલો વર્ષોથી હાઈકોર્ટમાં છે. જેમાં વડી અદાલતે સ્ટેટ્સ કવો એટલે કે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ જેતે સમયે કરેલો છે. આ આદેશ આજની તારીખે આ કેસમાં લાગુ હોવા છતાં સહારા નામની આ કંપનીએ ધુંવાવની ઉપરોકત વિવાદી જમીનો વેચાણથી થર્ડ પાર્ટીને આપવા વેચાણ વ્યવહારનો એગ્રીમેન્ટ કર્યો છે અને આ એગ્રીમેન્ટ જાહેર પણ થયો છે એટલે કે આ કેસમાં અદાલતના આદેશ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તેથી સહારા કંપની વિરુદ્ધ ધુંવાવના ખેડૂતો વતી આ કેસમાં અદાલતની અવમાનના નો કેસ પણ દાખલ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનિય છે કે, ધુંવાવની જમીનોનો સહારા કંપની સંબંધિત આ વિવાદ ભૂતકાળમાં બહુ ગાજયા પછી, વર્ષો સુધી આ પ્રકરણમાં કોઈ સળવળાટ દેખાયો ન હતો, હવે ફરી સળવળાટ શરૂ થયો છે. જેથી સૌ સંબંધિતો અચરજ પણ અનુભવી રહ્યા છે અને ઘણાં બધાં લોકો આ પ્રકરણમાં વિશેષ રસ પણ દાખવી રહ્યા હોવાનું જાણવા મળે છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.