Himachal Pradeshમાં થતા ભૂસ્ખલન યથાવત! જે દ્રશ્યો સામે આવ્યા તે ડરાવી શકે તેવા છે! કુદરતી આફતે લીધો આટલા લોકોનો ભોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 13:14:04

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. પર્વતવાળા વિસ્તારોથી અનેક વખત પથ્થરો પડતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બની ત્રાટકી રહ્યો છે. અનેક લોકોના જીવ આ વરસાદને કારણે થયેલી તબાહીમાં ગયા છે. ઠેર-ઠેર ભૂસ્ખલનના દ્રશ્યો, રસ્તાઓનું ધોવાણ થવું સહિતની દુર્ઘટનાઓ અનેક દિવસોથી સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના હાલ બેહાલ થઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે અત્યાર સુધીમાં ભૂસ્ખલન તેમજ વાદળ ફાટવાને કારણે 55 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 

ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે થયા આટલા લોકોના મોત 

હિમાચલ પ્રદેશથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ભૂસ્ખલન થવાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. રસ્તાનું ધોવાણ થવાને કારણે તેમજ પહાડ પરથી મોટા મોટા પથ્થર પડવાને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં થઈ રહેલો વરસાદ પોતાની સાથે વિનાશ લઈને આવ્યો છે. સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. સોમવારે શિમલાના સમર હિલ વિસ્તારમાં જે ભૂસ્ખલન થયું હતું તેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ગઈકાલે શવને નિકાળવાની કામગીરી કરવામાં આવી રહી હતી. સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.


જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયંકર છે...

ત્યારે ફરીથી એક વખત સમર હિલમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તે ઉપરાંત શિમલાના કૃષ્ણાનગર વિસ્તારમાં પણ ખતરનાક ભૂસ્ખલન થયું છે. ઝાડ એક બિલ્ડિંગ પર પડી ગયું. તે બાદ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું. શિમલા કાલકા હેરિટેજ રેડ લાઈન પાસે પણ ભૂસ્ખલન થયું હતું. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી શિમલાથી આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દુર્ઘટનાઓ સિવાય કંઈ હોતું નથી. અનેક લોકોના મોત ભૂસ્ખલનને કારણે થયું છે. જે તસવીરો સામે આવી છે તે ડરાવી દે તેવી છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે