Himachal Pradeshમાં થતા ભૂસ્ખલન યથાવત! જે દ્રશ્યો સામે આવ્યા તે ડરાવી શકે તેવા છે! કુદરતી આફતે લીધો આટલા લોકોનો ભોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 13:14:04

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. પર્વતવાળા વિસ્તારોથી અનેક વખત પથ્થરો પડતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બની ત્રાટકી રહ્યો છે. અનેક લોકોના જીવ આ વરસાદને કારણે થયેલી તબાહીમાં ગયા છે. ઠેર-ઠેર ભૂસ્ખલનના દ્રશ્યો, રસ્તાઓનું ધોવાણ થવું સહિતની દુર્ઘટનાઓ અનેક દિવસોથી સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના હાલ બેહાલ થઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે અત્યાર સુધીમાં ભૂસ્ખલન તેમજ વાદળ ફાટવાને કારણે 55 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 

ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે થયા આટલા લોકોના મોત 

હિમાચલ પ્રદેશથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ભૂસ્ખલન થવાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. રસ્તાનું ધોવાણ થવાને કારણે તેમજ પહાડ પરથી મોટા મોટા પથ્થર પડવાને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં થઈ રહેલો વરસાદ પોતાની સાથે વિનાશ લઈને આવ્યો છે. સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. સોમવારે શિમલાના સમર હિલ વિસ્તારમાં જે ભૂસ્ખલન થયું હતું તેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ગઈકાલે શવને નિકાળવાની કામગીરી કરવામાં આવી રહી હતી. સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.


જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયંકર છે...

ત્યારે ફરીથી એક વખત સમર હિલમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તે ઉપરાંત શિમલાના કૃષ્ણાનગર વિસ્તારમાં પણ ખતરનાક ભૂસ્ખલન થયું છે. ઝાડ એક બિલ્ડિંગ પર પડી ગયું. તે બાદ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું. શિમલા કાલકા હેરિટેજ રેડ લાઈન પાસે પણ ભૂસ્ખલન થયું હતું. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી શિમલાથી આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દુર્ઘટનાઓ સિવાય કંઈ હોતું નથી. અનેક લોકોના મોત ભૂસ્ખલનને કારણે થયું છે. જે તસવીરો સામે આવી છે તે ડરાવી દે તેવી છે.        




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.