Himachal Pradeshમાં થતા ભૂસ્ખલન યથાવત! જે દ્રશ્યો સામે આવ્યા તે ડરાવી શકે તેવા છે! કુદરતી આફતે લીધો આટલા લોકોનો ભોગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 13:14:04

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. પર્વતવાળા વિસ્તારોથી અનેક વખત પથ્થરો પડતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વરસાદ આફત બની ત્રાટકી રહ્યો છે. અનેક લોકોના જીવ આ વરસાદને કારણે થયેલી તબાહીમાં ગયા છે. ઠેર-ઠેર ભૂસ્ખલનના દ્રશ્યો, રસ્તાઓનું ધોવાણ થવું સહિતની દુર્ઘટનાઓ અનેક દિવસોથી સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના હાલ બેહાલ થઈ રહ્યા છે. એવી માહિતી સામે આવી છે અત્યાર સુધીમાં ભૂસ્ખલન તેમજ વાદળ ફાટવાને કારણે 55 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 

ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે થયા આટલા લોકોના મોત 

હિમાચલ પ્રદેશથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ભૂસ્ખલન થવાને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. રસ્તાનું ધોવાણ થવાને કારણે તેમજ પહાડ પરથી મોટા મોટા પથ્થર પડવાને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં થઈ રહેલો વરસાદ પોતાની સાથે વિનાશ લઈને આવ્યો છે. સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. સોમવારે શિમલાના સમર હિલ વિસ્તારમાં જે ભૂસ્ખલન થયું હતું તેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ગઈકાલે શવને નિકાળવાની કામગીરી કરવામાં આવી રહી હતી. સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે.


જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયંકર છે...

ત્યારે ફરીથી એક વખત સમર હિલમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તે ઉપરાંત શિમલાના કૃષ્ણાનગર વિસ્તારમાં પણ ખતરનાક ભૂસ્ખલન થયું છે. ઝાડ એક બિલ્ડિંગ પર પડી ગયું. તે બાદ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું. શિમલા કાલકા હેરિટેજ રેડ લાઈન પાસે પણ ભૂસ્ખલન થયું હતું. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી શિમલાથી આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દુર્ઘટનાઓ સિવાય કંઈ હોતું નથી. અનેક લોકોના મોત ભૂસ્ખલનને કારણે થયું છે. જે તસવીરો સામે આવી છે તે ડરાવી દે તેવી છે.        




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .