ભાજપના છેલ્લા ઉમેદવાર જાહેર,વડોદરા માંજલપુર બેઠક પર યોગેશ પટેલ રીપીટ કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-17 08:58:51

ભાજપે બુધવારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, વડોદરાના માંજલપુર મતવિસ્તારમાં તેના ઉમેદવારને લઈને સસ્પેન્સ રાખ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે ભાજપે માંજલપુર સીટ પરથી  યોગેશ પટેલ રીપીટ કરાયાની જાહેરાત કરવામાં આવી 

Vadodara gets representation in cabinet finally | Vadodara News - Times of  India

યોગેશ પટેલ 8મી વખત વિધાનસભાની ચૂંટણી લડશે,છેલ્લી બે ટર્મથી માંજલપુરના MLA છે 


પટેલને પાર્ટી દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમણે ટિકિટની વહેંચણી અંગે પક્ષમાં અસંમતિને કાબૂમાં લેવા માટે દોડી જવું પડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પટેલે બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.


બુધવારે, પક્ષના ઉમેદવારની અટકળોએ જોર પકડ્યું હતું કારણ કે ગુરુવાર, 17 નવેમ્બરે માંજલપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે.ભાજપે ખેરાલુમાંથી સરદારસિંહ ચૌધરી, માણસામાંથી જયંતિ પટેલ ઉર્ફે જેએસ પટેલ અને ગરબાડા મતવિસ્તારમાંથી મહેન્દ્ર ભાભોરને ઉમેદવાર બનાવ્યા છે, જે અનુસૂચિત જનજાતિ સમુદાય માટે અનામત છે. ચૌધરી પક્ષના કિસાન મોરચાના મહાસચિવ છે જ્યારે પટેલ અને ભાભોર પોતપોતાના મતવિસ્તારના વરિષ્ઠ પક્ષના નેતાઓ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.