ભાજપના છેલ્લા ઉમેદવાર જાહેર,વડોદરા માંજલપુર બેઠક પર યોગેશ પટેલ રીપીટ કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-17 08:58:51

ભાજપે બુધવારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, વડોદરાના માંજલપુર મતવિસ્તારમાં તેના ઉમેદવારને લઈને સસ્પેન્સ રાખ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે ભાજપે માંજલપુર સીટ પરથી  યોગેશ પટેલ રીપીટ કરાયાની જાહેરાત કરવામાં આવી 

Vadodara gets representation in cabinet finally | Vadodara News - Times of  India

યોગેશ પટેલ 8મી વખત વિધાનસભાની ચૂંટણી લડશે,છેલ્લી બે ટર્મથી માંજલપુરના MLA છે 


પટેલને પાર્ટી દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમણે ટિકિટની વહેંચણી અંગે પક્ષમાં અસંમતિને કાબૂમાં લેવા માટે દોડી જવું પડ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પટેલે બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો.


બુધવારે, પક્ષના ઉમેદવારની અટકળોએ જોર પકડ્યું હતું કારણ કે ગુરુવાર, 17 નવેમ્બરે માંજલપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે.ભાજપે ખેરાલુમાંથી સરદારસિંહ ચૌધરી, માણસામાંથી જયંતિ પટેલ ઉર્ફે જેએસ પટેલ અને ગરબાડા મતવિસ્તારમાંથી મહેન્દ્ર ભાભોરને ઉમેદવાર બનાવ્યા છે, જે અનુસૂચિત જનજાતિ સમુદાય માટે અનામત છે. ચૌધરી પક્ષના કિસાન મોરચાના મહાસચિવ છે જ્યારે પટેલ અને ભાભોર પોતપોતાના મતવિસ્તારના વરિષ્ઠ પક્ષના નેતાઓ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.